________________
સર
આનંદ મંદિર.
સૂયૅવતીને પૂર્ણ વિશ્વાસ આવ્યા. તત્કાળ તે પેાતાના બાળ કુમારને લઇ આવી. સૂર્યવતીની દાસીઓ આસપાસ ઉભી રહી, કાઇએ કુમારને અંજન કર્યું, કાઇએ તેના કંઠમાં હાર પહેરાવ્યા, કાએ તેના તેજસ્વી લલાટમાં તિલક કર્યું, કાઇએ ચંદનનાં છાંટણાં કર્યાં, સૂર્યવતી કુમારને ઉત્સંગમાં લઇ, રૂદન કરતી ખેલી—મારા પ્રાણ ! હું તારી માતા થઇ, તને નેત્રથી દૂર કરૂં છું. મારાં કર્મની ગતિ કેવી વિચિત્ર ? જન્મ આપી તરતજ વહાલા પુત્રને વિખુટા પાડનારી મારા જેવી અભાગીય! માતાએ જગતમાં થાડી હશે. પુત્ર 1 જૈન ધર્મના અધિષ્ટાયક દેવ તારી રક્ષા કરો, શ્રી ધર્મનું તને શરણુ હાજો, તારા કામળ શરીરને પ'ચપરમેથ્રી વચરૂપ થજો.રાજકુમાર ! રૂદન કરીશ નહિ, તારા મસ્તક ઉપર રાજ્યક્ષુબ્ધ શત્રુ જાગ્રત થઈ ઉભા છે. વત્સ ! પાછા હમણાંજ તારી દુઃખી માતાને મળજે. આટલુ' કહા સૂયૅવતીએ તે બાળ કુમાર માલને સોંપી દીધા. ચતુર માલણે સુગ ંધી પુષ્પના પુંજમાં તેને ઢાંકી દીધા, અને તે સૂયૅવતીને ધીરજ ભરેલાં વચન કહી, ત્યાંથી ચાલી નીકળી. ચેાકીશરાએ જરા પણ જાણ્યું નહિ. માલણે વાટિકામાં રત્નકબલમાં વીંટાયેલા તે ખાળકને પુષ્પના પુજની અંદર રાખ્યા. સૂયૅવતીને કુમાર પુષ્પની શય્યામાં સુઇ રહ્યા.
માલણુ કુમારને લઇ ચાલી, તે વખતે રાણી સૂર્યવતી સિંહાવલોકનથી પેાતાના ખાળ પુત્રને અવલેાકતી ન કરતી હતી. રૂદનનેા સ્વર કાને આવતાં ચેાકીદારો ચમક્યા, અને તેઓના હૃદયમાં શકા આવતાં તે વાસગૃહમાં દાખલ થયા. તેઓએ દાસીને પુછ્યુ, કહા ધરમાં શું છે ? પ્રસવ થયા કે નહીં ? દાસીમાંથી કાઇએ ઉત્તર આપ્યા નહીં, તેમ તેમ તેના મનમાં વિશેષ શકા થવા લાગી. તરતજ તેઓએ જયકુમારને ખબર આપ્યા. પાપી જયકુમાર સૂર્યવતીના મેહેલમાં દાડી આવ્યા. આસપાસ જોવા માંડયું. દરેક ખુણા, પેટીઓ અને ભૂમિગૃહ જોવરાવ્યાં. કાંઇ પણ જોવામાં આવ્યું નહીં. જયકુમારે દાસીને પુછ્યું—દાસી ! સાચું કહે, શૈા પ્રસવ થયા ? દાસીએ કહ્યું, રાજકુ માર ! કઈ કહેવાની વાત નહીં. અમારા મનેરથ । મનમાંજ રહ્યા. પ્રસવ નિષ્ફળ થયા છે. આ વચન સાંભળતાંજ દુષ્ટ જયકુમાર ખુશી થયા, પાતાના મસ્તક ઉપર એક ઉપાધિ દૂર થઇ, એમ તે માનવા લાગ્યા. નિમિત્તિની વાણી નિષ્ફળ થઇ, એમ તેણે માની લીધું. તેના લુબ્ધ હદયમાં અનેક સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા. કુશસ્થલીના રાજ્ય સિ ંહાસનના અલંકાર હુંજ થઇશ, એમ તેને નિશ્ચય થયા.
આ ખબર નગરમાં ફેલાતાં લકાએ કલ્પાંત કરવા માંડયું. સૂર્યવતીના સૌભાગ્યને લે નિ ંદવા લાગ્યા. કાઇ દયાળુ લોકેા એમ પણ કહેતા કે, આમાં કાંઇક દગા હશે. પાપી હૃદયના જયકુમારે તેની સપત્ન માતાનુ વિપરીત—અનિષ્ટ કર્યું હશે. એવી એવી અનેક વાા નગરમાં ચાલવા લાગી. રાજમહેલમાં અનેક રાજસેવા આવી મહારાણી આગળ શાક દર્શાવવા લાગ્યા. જયકુમારના મનમાં પુત્ર જન્મથી પણ વધારે આનંદ થયા હતા. તે રાજ્યક્ષુબ્ધ પોતે કુશસ્થલીને મહારાજા થયા, એમ માનતા હતા. આ બનાવથી તેના આપ્ત મિત્રા અને પરિવારના મુખ્ય લાકા જયકુમારને અભિનંદન આપતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org