________________
શ્રીચંદ્રકુમારને જન્મ - ૪૧ ત્યાં સુધી આપણે સર્વ રીતે ચેતવું જોઇએ. ગમે તે યુક્તિ કરી, આ બાળ કુંવરની રક્ષા કરવાની યોજના કરવી જોઈએ. કુંવરના જન્મની વાત જે જયકુમારના જાણવામાં આવશે તે, જરૂર તે મોટું વિઘ ઉત્પન્ન કર્યા વગર રહેશે નહિ. વખતે દુર બુદ્ધિને જયકુમાર આ બાળ કુમારને નાશ કરી નાખે. તેના પાપી હૃદયમાં રાજ્યમાં રમી રહ્યા છે, તેની ધારણ નઠારી છે, તેને હેતુ વિપરીત છે, માટે ગમે તે યુક્તિ કરી, આ બાળ કુંવરની રક્ષા કરવી જોઈએ. સખી ! કહે, આ કુમારને શી રીતે ગુપ્ત રાખવે? પ્રભાત કાળે તે જયકુમાર તપાસ કરાવશે.
ચતુર દાસી વિચાર કરી બેલી–દેવી ! મને એક ઉપાય સુઝી આવ્યા છે. આ પણ મહેલની ગૃહ વાટિકામાંથી પુષ્પને સમૂહ લઈ હમેશાં એક માલણ આવે છે, તે વિશ્વાસ છે. તેના પુષ્પના પુંજની અંદર ગુપ્ત રાખી, આ કુમારને તેની સાથે મક્લી દેવા. માલણ પુષ્પના પુંજમાં તેને ગુપ્ત રીતે રાખશે, તે વાત ચોકીદારના જાણવામાં આવશે નહિ. પ્રાતઃકાળે ગર્ભને પ્રસવ થઈ, તેને નાશ થઈ ગયે, એવી વાત જયસારને જણાવશું. પછી આપણે ગુપ્ત રીતે તે પુષ્પના પુંજમાંથી બાળ કુમારને લઈ આવીશું. દાસીની આ યુક્તિ સૂર્યવતીને સારી લાગી. તેણીએ તેણીનાં બુદ્ધિબળને માટે સાબાશી આપી.
પ્રાતઃકાળને સમય થયો, ગગનમણિ સૂર્ય કુમારનું મુખ જેવા જાણે ઉત્સુક થશે હેય, તેમ પિતાનાં કારણોને પ્રસારવા લાગ્યો. તે સમયે પેલી માલણ નિત્યના નિયમ પ્રમાણે પુષ્પ આપવા આવી. દાસી તેને સૂર્યવતીની પાસે લઈ ગઈ. સૂર્યવતીએ માલણને પાસે બોલાવી કહ્યું, બેન ! તું અમારી વિશ્વાસી અને રાજભક્ત સેવક છું. આજે એક કાર્ય કરવા માટે તેને કહેવાનું છે. મને આશા છે કે, તારા જેવી ઉત્તમ સેવક સ્ત્રી તે કાર્ય કરવા તત્પર થયા વિના રહેશે નહિ. બાઈ ! તે કાર્ય કરવાથી અમે તારો પૂર્ણ આભાર માનીશું, અને તેને બદલે તેને સારી રીતે આપીશું. સૂર્યવતીનાં વચન સાંભળી માલણ બેલી–દેવી ! તમે અમારાં અન્નદાતા છે, પરંપરાથી અમારા કુટુંબનાં પાલક છે, આપ મહારાણું થઈ, મારા જેવી સામાન્ય દાસીને આવાં ગીરવ ભરેલાં વચન કહે છે, તે
ગ્ય નથી, હું આપની ચરણરજ દાસી છું, જે કાર્ય હેય, તે ખુશીથી ફરમાવે. આ હાડ ચામડી આપનીજ છે, આપની સેવા કરવી, એ અમારે ધર્મ છે. આપની ઉપર જયકુમારની સખ્તાઈ છે, એ મારા જાણવામાં છે. સૂર્યવતી બેલી-માલણ! આ ગઈ રાત્રે મારા ઉદરથી એક કુમારને જન્મ થયો છે, તે ખબર જે જયકુમારને પડશે તો, જરૂર તેને નાશ કરી નાખશે. તેની ખબર રાખવાને મહેલના દ્વાર આગળ ચોકીદારે બેઠેલા છે. હવે આ વાત ગુપ્ત રહે, તેથી એ કુમારને પુષ્પના પુંજની અંદર ગુપ્ત રાખી તું લઈ જા. તારી વાટિકામાં તેને યત્નથી રાખજે. અમે જયકુમારની આગળ ગર્ભના પ્રસવનો નાશ થશે, એવી વાર્તા ચલાવીશું, તે પછી તારી પાસેથી એ કુમારને લઈ જઈશું. બેન ! તારા પૂર્ણ વિશ્વાસ ઉપર આ કામ કરવાનું છે. રાણું સૂર્યવતીનાં વચન સાંભળી માલણ બેલી-રાણી સાહેબ ! ખુશીથી આપનું એ કાર્ય કરીશ. મારા પ્રાણની જેમ તમારા કુમારને લઈ જઈશ. જરા પણ ચિંતા રાખશે નહીં. માલણનાં વચન ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org