SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. આનંદ મંદિર. તેનામાં પૂર્વના પુણ્યનું પ્રબળ છે, તેના મનોહર મુખ ઉપર જૈન ધર્મનાં જય ચિન્હો જ1 ણાઈ આવે છે. આહત આગમમાં જે માનવ જીવનની ધાર્મિક ઉન્નતિનાં લક્ષણો કહે. લાં છે, તેવાં લક્ષણે મારા લાડકવાયા કુમારમાં સ્પષ્ટ રીતે જણાય છે. પાપી જયકુમારની નઠારી ધારણું નિષ્ફળ થાઓ. આવું વિચારતાં તેણીનામાં પાછી હિમ્મત આવતી હતી. ક્ષણવારે પાછી અધીરાઈ આવતાં તે શક સહિત વિચારતી કે, અરે દેવ ! આવા સુંદર કુમારનો જન્મ થતાં પણ મારા દરબારમાં કાંઈ પણ ઉત્સવ નથી, એ કેવી વાત ? મારા પ્રતાપી સ્વામી હાજર હેત તે, કે જન્મોત્સવ થાત ? તેજસ્વી કુમારનો જન્મ અંધકારમાં થવાથી મને અપાર શોક થાય છે. આ પ્રતાપી પુત્ર પ્રગટ થતાં મહારાજા પ્રતાપસિંહની રાજધાની ઉત્સવ રહિત અને શૂન્ય રહે, એ કે ગજબ મારાં પૂર્વનાં કર્મ કેવાં હશે ? અરે કર્મ ! તમે મને મહારાણીનું અને તે પછી રાજ્યમાતાનું પદ પ્રાપ્ત કરાવ્યું, પણ તે શા કામનું ? આવા સૂર્યના જેવા કુમારનો જન્મ થતાં પણ સૂર્યવતી શેકમાં રહે, એ કેવી ઘટના? આ પ્રમાણે સૂર્યવતી જ્યારે શોક કરતી, ત્યારે તેની ચતુરા દાસી આ પ્રમાણે દિલાસો આપતી હતી. બા સાહેબ ! શોક કરશે નહિ, તમારા તેજસ્વી કુમાર પૂર્ણ ભાગ્યવાન છે. પિલા નિમિત્તિઓના કહેવા પ્રમાણે તે કુશસ્થલીના રાજસિંહાસનના અધિકારી છે; આગમની વાણી કદિ પણ અન્યથા થતી નથી. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, પુણ્યવંત પ્રાણીનાં લક્ષણ તેના શરીર ઉપરથી જણાય છે. જુઓને, અમારા બાળ રાજ કેવા તેજસ્વી છે ? તેમની કાંતિથી સૂતિકાગ્રહ પ્રકાશમાન થઈ રહ્યું છે, તેમનું આનંદદર્શક મુખચંદ્ર આપણાં નેત્રને સુધાંજન આપે છે, તેમનાં વિશાળ લેચન કમળની લક્ષ્મીને તુચ્છ કરે છે, જુઓને, તેમનું લલાટ દર્પણની જેમ કેવું ચળકે છે ? તેમના હાથ પગનું સંદર્ય કેવું અનુપમ છે ? મહાદેવી ! કુંવરની મનોહર મૂર્તિ જોઈ આનંદ પામો, તમે કુશસ્થલીનાં રાજમાતા થઈ ચુક્યાં છે, શા માટે ચિંતા કરો છો ? વીરમાતા ! હવે આહત ધર્મનું સ્મરણ કરો. ધર્મના અધિષ્ઠાયક દેવતા, આ બાળ કુંવરની રક્ષા કરશે. મહાદેવી ! જુઓને, તમારા કુમાર કેવા પુણ્યવાન છે ? તેમના જન્મ વખતે દિશાઓ પ્રસન્ન થઈ રહી છે, નવ ગ્રહ ઉચ્ચના થઈ તેના ભવિષ્યના જીવનમાં ઉન્નતિ સુચવે છે, ગગન મંડળ ઉપર અભૂત પ્રસન્નતા પ્રસરી રહી છે, અલ્પ પુણ્યવાળા પ્રાણીના જન્મ વખતે આ દેખાવ થાય જ નહીં. મહાપુરૂષના જન્મના જે આ દેખાવ છે. પુણ્યવાનું પ્રાણીનું જીવન સૃષ્ટિના સંદર્યને વધારે છે. આ સમયે નારકીના જીવ પણ શાતા પામ્યા હશે. વીર જનની ! હવે જરા પણ ચિંતા કરવાનું કારણ નથી. તમારા બાળ કુમારને જન્મોત્સવ સૃષ્ટિની કુદરતે કર્યો છે. મનુષ્ય કૃત મ હોત્સવ કરતાં કુદરતી મહોત્સવ મટે છે. મહારાજા પ્રતાપસિંહજી હવે વિજય મેળવી સત્વર પાછા પધારશે. બા સાહેબ ! જરા પણ ગભરાશે નહીં. દાસીનાં આવાં વચન સાંભળી સૂર્યવતીને વિશેષ આનંદ થયે, તેણુએ એક દ્રષ્ટિએ પિતાના બાળ પુત્રને નીરખી ચુંબન કર્યું, હૃદય સાથે ચાંપી સ્તનપાન કરાવ્યું. ક્ષણવાર પછી શક્તિ હૃદયા સૂર્યવતી બેલી–દાસી ! તું કહે છે, તે યથાર્થ છે, પણ જ્યાં સુધી જયકુમાર આપણી ઉપર દેષ રાખી, વિઘ કરવા સજજ થઈ રહ્યો છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy