________________
પ્રકરણ ૧૩ મુ
શ્રીચ દ્રકુમારના જન્મ.
ભ દિવસ, શુભ વેળા, અને શુભ ઘડી પ્રવર્ત્તતાં હતાં, દિશાએ પ્રશ્ન હતી, પવન અનુકુળ રીતે વાતા હતા, ચંદ્રને યોગ ઉત્તમ નક્ષત્રની સાથે થયા હતા, ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા. આ સમયે મધ્ય રાત્રે પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે, તેમ સર્યવતીએ એક તેજસ્વી કુમારને જન્મ આપ્યા. આ કુમારના જન્મ છુપી રીતે રાખવામાં આવ્યે હતા. જયકુમારની ભીતિથી રાણી મેહેલ શાંત હતા, જરા પણ આનંદ કે ઉત્સવ દેખાડવામાં આવ્યા ન હતા, સૂર્યવતીની ચતુર દાસીએ સારી યુક્તિ વાપરી, કુમારનું રૂદન પણું છુપાવી રાખ્યું હતું, રાણીનાં વિશ્વાસુ માણસે જે ઘણાં ઘેાડાંજ હાજર હતાં, તેને તે વિષેની અગાઉથી સુચના આપવામાં આવી હતી.
Hungarw
ર્યવતીને કુમારનું સ્વરૂપ જોઇ હર્ષ થયો, પણ જયકુમારના ભયને લઇને તેણીને વિશેષ ચિંતા થવા લાગી. બાળકુમારને નીરખી તેની માતા અંતરમાં આનંદ પામતી હતી. કુમારના શરીર ઉપર શુભ લક્ષણા ઝળકી રહ્યાં હતાં, તેના તેજની આગળ મધ્ય રાત્રિના દીવા ઝાંખા થઇ ગયા હતા. રાજકુમારનું સુખ પૂર્ણ ચંદ્રના જેવું હતું, નેત્ર શરદઋતુના કમળને અનુસરતાં હતાં, લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું ચળકતું હતું, જાણે સ્વર્ગમાંથી અશ્વિનીકુમાર આવેલ હોય તે તે દેખાતા હતા, તેજથી તેણે ભાનુને જીતી લીધા હતા, સામ્ય ગુણથી તે સામ [ ચદ્ર 3 ની તુલના કરતા હતા, તેના રક્ત અધર મંગળના તારાને અનુસરતા હતા, બુધના જેવા તે ગુણની ખાણુરૂપ હતા, ગુરૂની જેમ તે સર્વ કળાને નિધિ હતા, કવિના [ શુક્રના ] જેવા તે કવિ થવાના હતા, ૠત્રુઓમાં તે રાહુ જેવા, અને પરાભવ કરવામાં કેતુ જેવા થવાના હતેા. આ પ્રમાણે તે પ્રભાવિક કુમારમાં નવ ગ્રહના પ્રભાવ જોવામાં આવતા હતા. શ્રૃંગાર, વીર વિગેરે રસ પણ તેનામાં સ્ફુરણાયમાન થતા હતા.
Jain Education International
આવા અદ્ભૂત અને દિવ્ય કુમારનાં દર્શનથી સૂર્યવતીને ધણેા આનંદ થાય, તેમાં શું આશ્ચર્ય ? જો કે જયકુમારના ભ્રય તેણીના કામળ હૃદયમાં અનેક કુતર્ક કરાવતા હતા, પણ છેવટે એ ચતુર ખાળા એવા નિર્ણયપર આવતી કે, આ મારા કુમાર પ્રભાવિક છે,
For Personal & Private Use Only
www.jainelibrary.org