SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, પિતાની રાણીને નિર્ભય કરવાના ઇરાદાથી ચારે કુમારોને બેલાવી. પુછ્યું હતું કે, તમે મને સહાય કરવાને સાથે આવે. ક્ષત્રિય કુમારોને રણાભ્યાસ કરવો જોઈએ. તમારા જેવા યુવાન પુત્ર રણભૂમિને રંગ જુએ, તે તેમને ક્ષાત્ર ધર્મને પરિપૂર્ણ અનુભવ થાય. ક્ષત્રિય કુમારના શોર્યની પરીક્ષા રણભૂમિ સિવાય નથી. પિતાનાં વચન સાંભળી તેમણે સાથે જવા નિશ્ચય કર્યો, અને તૈયાર થઈ આવવાનું કહી તેઓ ત્યાંથી ઉઠી નીક ળ્યા. પિતાને સ્થાને આવ્યા પછી કપટી જયકુમારે તેના બંધુઓને સુચવ્યું કે, તમે ત્રણ સાથે જાઓ, અને હું જ્વર પીડાનું બહાનું કાઢી ઘેર રહું. તે યોજના પ્રમાણે ત્રણ કુમારે સજજ થઈ પિતાને પ્રણામ કરી, આગળ ઉભા રહ્યા. પ્રતાપસિંહે પુછયું, જયકુમાર ક્યાં છે ? એટલે તેમણે કહ્યું, પિતાજી ! દૈવયોગે જયકુમારને જવર પીડા થઈ આવી છે, તેથી તે આવી શકશે નહીં. અમે આપની સેવામાં હાજર થયા છીએ. મુગ્ધ હદયના પ્રતાપે તે વાત માની, અને તે ત્રણ કુમારોને લઈ તરતજ પ્રયાણ કર્યું હતું. અહીં પછવાડે જયકુમાર એકલે સુર્યવતીના પ્રસવની રાહ જોઈ, રાજ્યમાં રહ્યા હતે. તેના હદયની ઈચ્છા વિપરીત હતી, જે સૂર્યવતીને પુત્ર અવતરે, તે તેને સંહાર કરી, રાજ્યનું આધિપત્ય પિતાને મેળવવું, આવે તેને કુવિચાર હતો. રાજયભ એ મહા પાપનું મૂળ છે, એ લેભને વશ થઈ, ભારતવર્ષમાં અપાર હિંસાઓ થએલી છે, તે લોભરૂ૫ રાક્ષસના પ્રસંગે અનેક દુર કર્મ થયેલાં છે, રૂધિરની સરિતાઓ ચાલી છે, રાજ્યોભરૂ૫ મહાગ્નિમાં અનેક લય પામ્યા છે. જયકુમારે એ લેભને વશ થઈનેજ એવી પાપ ધારણ કરી હતી. પ્રતાપસિંહના પ્રયાણ પછી તરત જ તેણે સુવતીના પ્રસવની. ખબર રાખવાને પિતાના વિશ્વાસુ માણસને તેના મેહેલના દ્વાર આગળ ચકી કરવા મેકલ્યા હતા. તેઓએ આવી, આ વખતે મહેલના દ્વારને ઉઘડાવ્યું હતું, અને જ્યાં સુવતી. અને દાસી રહેતાં હતાં, ત્યાં રાત્રે આવી પ્રવેશ કર્યો હતે. જયકુમારનાં માણસે મેહેલ આગળ આવ્યાં, ત્યારથી સુવતીને વિશેષ શોક થયા કરતો હતો. તેણું ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી રહેતી, પણ ક્ષણ ક્ષણ વારે તેના કોમળ હદયમાં અનેક વિપરીત શંકાઓ ઉદ્દભવતી હતી. ચતુર દાસી તેને ધર્મનું સ્મરણ આપતી હતી. સૂર્યવતી પ્રથમથી જ આહંત ધર્મ ઉપર સંપૂર્ણ આસ્તિક હતી. સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ધર્મ ક્રિયા તે સર્વદા આચરતી. તેના સદાચરણથી તેને પરિવાર પણ ધાર્મિક બનેલું હતું. આવી શ્રદ્ધાળુ શ્રાવિકા આ વખતે પૂર્ણ સંકટમાં આવી હતી. પોતે પ્રતાપસિંહ જેવા એક મહારાજાની મહારાણું છતાં અત્યારે પામર સ્ત્રીની સ્થિતિ ભાગવતી હતી. પાંજરામાં પડેલી પક્ષિણના જેવી તેની દશા હતી. પાપી જયકુમાર ક્ષણે ક્ષણે તેની તપાસ રાખતા હતા. દરેક વસ્તુ જયકુમારની રજા સિવાય સૂર્યવતીને મળતી ન હતી. તેના મહેલમાં જયકુમારની આજ્ઞા સિવાય કોઇનાથી જવાતું નહીં. આથી સર્યવતી ખરેખર કારાગ્રહ વાસ ભેગવતી હતી. તેની પાસે કેટલીએક દાસીઓ સિવાય. વિશેષ પરિવાર હાજર ન હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy