________________
જયકુમારનું કપટ,
૩૭ રાજાએ કહ્યું, દેવી ! તમારા કહેવા ઉપરથી હું તે કુમારોને સાથે લઈ જઈશ, ચિંતા કરશો નહિ. તમારો ગર્ભ પ્રભાવિક છે, તે પિતાનાજ પ્રભાવથી રક્ષિત થશે, તેનું અશુભ કોઈનાથી પણ ચિંતવી શકાશે નહિ. પુણવંત પ્રાણીઓ પિતાના પુણ્યથીજ રક્ષિત થાય છે, તેઓને અન્યની અપેક્ષા રહેતી નથી. તમારી ધર્મ ઉપરની પવિત્ર શ્રદા સર્વદા ગર્ભની રક્ષા કરશે. આટલું કહી તેણે ગર્ભિણી બાળાને ચુંબન સહિત આલિંગન આપ્યું. પ્રિયાએ
વિજય મેળવી પાછા સત્વર પધારો ” એમ ચિંતવી અંતરની મૈન આશિષ આપી. બંને દંપતિ ચિંતામાં ને ચિંતામાંજ જુદાં પડ્યાં.
પ્રકરણ ૧૨ મું.
જયકુમારનું કપટ, - આ રા ત્રીને સમય હતો, પ્રતાપસિંહના અંતઃપુરમાં શાંત ભાવ પ્રસરી રહે tો જ હતો, રાણી સુર્યવતી પિતાની દાસી સાથે અનેક વિચાર કરતી, અને
ભયની શંકા રાખતી, શયા ઉપર મંદ થઈ પડી હતી, ક્ષણે ક્ષણે આ નવકાર મંત્રનું સ્મરણ કરતી હતી, તેણુએ મન, વચન, અને કાયાથી આહત ધર્મનું શરણ લીધું હતું, પવિત્ર ધર્મ ભાવનાના પ્રભાવથી પિતે પિતાને સનાથા માનતી હતી, પ્રતાપસિંહના જવા પછી તેના ચિત્તમાં ચિંતા તે હતી, પણ ધર્મના અવલંબનથી તેને શમાવી દેતી હતી. ચતુર દાસી તેને ધીરજ આપતી હતી.
આ વખતે અંતઃપુરના દ્વારમાંથી અવાજ થયો કે, “ દ્વાર ઉઘાડે ” અવાજ સાંભળતાંજ મહાદેવી ચમકી ગઈ. “આ શું વિન આવ્યું ?” એમ તેના હૃદયમાં થવા લાગ્યું. દાસીએ કહ્યું, બા સાહેબ ! ભય રાખશે નહીં. જેન ધર્મની સહાય છે. નિમિતિઆની વાણી અવશ્ય સફળ થવાની જ. ગમે તેવા અંતરાય ઉત્પન્ન થશે, પણ તમારા પ્રતાપી ગર્ભના તેજથી તે દગ્ધ થઈ જવાના. દાસી પિતાની બાઈને ધીરજ આપી, દ્વાર ઉઘાડવા ગઈ. દ્વાર ઉઘડયું એટલે તેઓ બેલ્યા–અમે જયકુમારના સેવક છીએ. કુમાર સાહેબે અમને ગર્ભના રક્ષણ માટે મોકલ્યા છે. મહારાણીને ખબર આપો કે, જ્યારે બાળકને જન્મ થાય, ત્યારે અમને ખબર આપે. અમે અહીં દ્વારની આગળ રાત્રિ દિવસ સાવધાન થઈ રહીશું. આથી દાસી વિચારમાં પડી, પણ તેમને ત્યાં રાખી, સુવતીની પાસે આવી, અને તેણીએ આ વૃત્તાંત જણાવ્યું, એટલે મહારાણી વિશેષ ચિંતાતુર થઈ ગયાં. દાસીએ ધીરજ આપી, ધમનું શરણ કરવા વિનંતિ કરી.
વાંચનારને આ ઠેકાણે પૂર્વને સંબંધ જાણવાની ઈચ્છા થઈ હશે, જ્યારે મહારાજા પ્રતાપસિંહે મલ અને મહામલો પરાભવ કરવા પ્રયાણ કર્યું, તે વખતે તેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org