SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ જયણાનું મહામ. ૪૧૫ એક દિવસે કોઈ બે મુનીશ્વર વિહાર કરતા ત્યાં આવી ચડયા. સજજશ્રી તેમને વંદના કરવામાં આવી. મુનિઓને વંદના કરતાં તે ઘણું જ રૂદન કરવા લાગી. પિતાની પ્રિયાને રૂદન કરતી જેમાં સુજજશિવે પુછયું, પ્રિયા ! રૂદન કેમ કરે છે ? આ મુનિઓનાં દર્શન થતાં રૂદન કરવાનું શું કારણ છે ? સુજથી બેલી–પ્રાણેશ ! મારી બાલ્ય વયમાં મારા સ્વામિની આવા મુનિઓને પ્રતિલાભતાં, અને પંચાંગે વંદના કરતાં હતાં, આ મુનિઓને જોઈને મને તે માતા સાંભરી આવ્યાં, આથી મને રૂદન આવ્યું. વળી આવા ઉત્તમ અનગારની સેવા ઘણું દુર્લભ છે, એ વાત પણ યાદ આવી. સુજશિવે તેણીને પુછ્યું કે, તારી સ્વામિની કોણ હતી ? અને તે ક્યાં હતી ? સુજજશ્રીએ પછી પિતાને પૂર્વ વૃત્તાંત એકાંતે કહી સંભળાવ્યો. તે વૃત્તાંત જાણતાં જ સુજશિવ પશ્ચાતાપના સાગરમાં મગ્ન થઈ, ચિંતવવા લાગ્યો, અહા ! આ શું કાર્ય બન્યું કે આ મારી પુત્રી થાય, જેની સાથે મેં ઘેર કૃત્ય કર્યું. મારા જીવનને ધિક્કાર છે. આહા ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે ? કયી પુત્રી અને ક્યાં હું દુષ્ટ પિતા ? હવે આ કલંકિત જીવનને ધારણ કરવું, તે અનુચિત છે. અરે કર્મ ! તારી સત્તા પ્રબળ છે; મેં દુષ્કાળમાં આ પુત્રીને વેચી હતી. હું તેને પાળક પિતા થઈ, તેને જ ભક્ષક થઈ, પાછા તેને જ ભોક્તા થયે. અહા ! કેવો અનર્થ ? મેં મારા આત્માને હાથે કરીને નારકી બનાવ્યો. આવી આત્મનિંદા કરી, તે અગ્નિમાં બળી મરવાને તૈયાર થયું. તેણે નગરની બહાર કાષ્ટની ચિતા તૈયાર કરી, તેમાં અગ્નિ પ્રજવલિત કરવા માંડે, પણ અગ્નિ પ્રગટ નહીં; તે જોઈ લકે કહેવા લાગ્યા કે, આ કે પાપી, કે જેના અંગને અગ્નિ પણ બાળ નથી. પછી નગરજનોએ તે બંને દંપતિને નગરની બહાર કાઢી મુક્યાં. આ વખતે ચૈતમે પ્રભુને પુછ્યું, સ્વામી ! તે પાપીને અગ્નિએ કેમ બાળે નહીં ? પ્રભુએ ઉત્તર આયે, મૈતમ ! તેનું બીજું કાંઈ કારણ નથી, તેની ચિંતામાં જે કાષ્ટ હતાં, તેનામાં દહક શક્તિ નહતી. ત્યાંથી બંને દંપતિ વિદેશમાં ચાલ્યાં ગયાં. માર્ગમાં જતાં કોઈ ગામ આવ્યું, તેમાં પિઠા, ત્યાં કઈ મુનિને જોયા. મુનિ ગોચરી લઈને જતા હતા, તેમની પાછળ જતાં વનમાં એક જ્ઞાનવાન સૂરીશ્વરનાં દર્શન થયાં. સુર, નર, અને કિનારાની શ્રેણી તેમની સેવા કરતી હતી. તે પાપી દંપતિએ તેમના ચરણ કમળમાં વંદના કરી. સુજજશિવે મનમાં ચિંતવ્યું કે, આ મહા મુનિની આગળ હું મારાં મહા પાપની આલોયણા લઉં. મુનીશ્વર તેના આશયને જાણીને નીચેની ઉપદેશક કવિતા મધુર ભાષાથી બેલ્યા ધર્મ કરે ભવિ ધર્મ કરો, ત્રિકરણ યોગે ધર્મ કરે, ચરણ ધર્મ પ્રવહણ અવલંબી, આ ભવસાગર તુરત તરે. ધર્મ. ૧ - બધિ તરણિકે કિરણ પ્રચારે, હદય કમળ વિકસીત કરે, રૂં અનાદિ અંતર ઉતા મિથ્યા મત તત શિત ભમરો. ધર્મ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy