________________
૪૧૪
આનંદ મંદિર, તેમણે ચૈત્યવંદન કર્યું. મુનિજનના પરિવારથી વીંટાઇને તેમણે પલ્યકાસન કર્યું. પછી પંચપરમેષ્ટીનું ધ્યાન કરી, ચાર કષાય છોડી, ચાર શરણ લઈ અને ચાર આહારનાં પચ્ચખાણ લઈ, તેમણે પાપગમ અનશન લીધું. શુકલ ધ્યાનમાં આરૂઢ થઈ, એક માસ સુધી ધ્યાન કરી, તે શીલસન્નાહ મુનીશ્વર અનંત સુખના અનુભવી થયા, અને માયા શલ્યને દૂર કરવાનો પ્રભાવ તેમણે બધા જગને દર્શાવી આપો.
ગતમે પ્રભુને પુછયું, સ્વામી ! પેલી સુજશ્રી આહેરણીનું શું થયું ? તે જ કહે. ગતમ! જ્યારે સુજશ્રીએ પેલી ગોવાલણને ખારૂપ મૂલ્ય આપ્યું નહી, એટલે તેણુએ કહ્યું કે, મારા મહીનું મૂલ્ય આપ. મને ઠગીને ક્યાં જઈશ ? નહીં તે મારી સાથે ગોકુળમાં આવ. જે તું વિનયથી રહીશ, તે તને હું પુત્રી તરીકે રાખીશ. પછી સુજજશ્રી તે ગોવાલણની સાથે તેને ઘેર ગઈ, અને ત્યાં સારી રીતે રહેવા લાગી.
| સુજજશ્રીને પિતા પેલે સુજજશિવ બ્રાહ્મણ દેશમાં મનુષ્ય, પશુ, ધાન્ય વિગેરેને વેપાર કરી ઘણું ધન કમાયે. તેણે ધનનું સુવર્ણ, અને સુવર્ણનાં રત્ન કર્યો. તે રત્નના સંચયને ઘણી સંભાળથી રાખતો હતો. ધન એવું દુઃખરૂપ છે કે, તેને માટે સર્વદા દુઃખીજ થવાય છે. તે વિષે સાહિત્યકાર નીચેનું કાવ્ય લખે છે –
धनानामर्जने दुःखं दुःखं तदनु रक्षणे । મા તુવં ચ દુર્વ શિર્ષો સુવમાનનણ ? A
ધન મેળવવામાં દુઃખ, મેળવ્યા પછી તેનું રક્ષણ કરવામાં દુખ, આવકમાં દુઃખ અને ખર્ચમાં દુઃખ, તેથી એ દુઃખપાત્ર ધનને ધિક્કાર છે. ” ૧
આ પ્રમાણે તે બ્રાહ્મણ ધનાઢ્ય થયો. એક વખતે તેણે મનમાં ચિંતવ્યું કે, આટલું ધન કમાયે, પણ સ્વદેશમાં રહી, તેનો ઉપયોગ કર્યા વિના સંતેષ થતો નથી. માટે સ્વદેશમાં જવું યોગ્ય છે. આવું વિચારી તે સ્વદેશ તરફ ચાલે. માર્ગમાં જ્યાં સુજજશ્રી પેલી ગોવાળણને ઘેર રહી છે, તેજ ગામમાં આવ્યો. સુજજશ્રી નવયૌવના થઈ હતી. તેના શરીરમાં તારૂણ્ય ખીલી નીકળ્યું હતું, તે વખતે દેવગે વર્ષાકાળ પ્રાપ્ત થયે, એટલે સુજજશિવ તે ગામમાં વિશ્રાંત થયે. ગામમાં ફરતાં તે નવવના સુજજશ્રી તેના જેવામાં આવી. તેણના સંદર્યથી સુજજશિવ મહિત થઈ ગયું. તેણે રત્ન આપવાની લાલચ બતાવી, તે સુજજશ્રીને વશ કરી. સુજજશ્રીએ તે રત્નની કીમત રાજાની સમીપે કરાવી. રાજાએ દશ કેટી ધન આપી, તે રત્ન ખરીદ કર્યો. સુજજશિવ બ્રાહ્મણે રાજાને તે રત્ન વેચાતાં આપ્યાં, અને ઉપરાંત તેની પાસે ત્યાં રહેલા એક પર્વતની નજીક ગોકુળ વસાવાને પચીશ યોજના જમીન માગી લીધી. બ્રાહ્મણે સ્વસ્તિ કહી, તે ભૂમિ દાનમાં લીધી. સુજજશ્રી તે કામી બ્રાહ્મણની સાથે દ્રવ્યની લાલચથી પરણી. બંને સ્ત્રી પુરૂષ થઈ, તે સ્થળે એક વાસમાં રહ્યાં, અને વિષય સુખ ભોગવવા લાગ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org