________________
આનંદમાં ઉપાધિ. આ સમયે રાજ્ય કાર્યમાંથી નિવૃત્ત થઈ પ્રતાપસિંહ પ્રિયાની પાસે આવ્યા. ચંદ્રની ચંદ્રિકાને આનંદ પ્રિયાની સાથે લેવા તેની ઇચ્છા હતી. ચંદ્રશાળામાં પ્રવેશ કરતાં જ સૂર્યવતીએ મંદતાથી પતિને સત્કાર કર્યો. ઘણે પ્રયત્ન કરી ઉઠવા મન કર્યું, પણ ગર્ભ ગરવને જાણનારા પતિએ તેને તેમ કરવાની મના કરી, અને સત્વર સુંદરીની સમીપ બેસી ગયો. સૂર્યવતીના શરીરની કૃશતા જોઈ કુશસ્થલીપતિ બોલ્ય–આનંદિની ! આમ કેમ થઈ ગયાં છે ? ગર્ભની કૃશતા આટલી બધી હોય નહીં, તમારા અર્ધચંદ્રકાર લલાટ , ઉપર કાંઈ પણ ચિંતાના તરંગ દેખાય છે. ગઈ કાલે જે ઉલ્લાસ જોવામાં આવતો હતો, તે આજે નથી. સત્ય કહે, શી ચિન્તા છે ? આ ચિન્તાને સમય નથી, નિરવધિ આનંદ ભોગવવાનો સમય છે. જે કાંઈ ઇચ્છા થઈ હોય તે કૃપા કરી જશું. ગમે તેવી અસાધ્ય ઈચ્છા હશે, પણ તે પ્રતાપસિંહ બાહુબળથી પૂર્ણ કરવા સમર્થ છે; મનમાં જરા પણ શંકા રાખશો નહીં. ગર્ભિણી રમણીઓના મનોરથ પૂરવા, તે પતિનો ધર્મ છે, તેમાં જ પતિનું પતિત્વ છે. પ્રતાપનાં આવાં પ્રીતિ ભરેલાં વચન સાંભળી સૂર્યવતી બેલી-સ્વામી ! આપે આપેલું આશ્વાસન મને આનંદ આપે છે, પણ મારી ચિન્તા દૂર થાય, તેમ મને લાગતું નથી. આપના બાહુબળથી અસાધ્ય એ મને મનોરથ થયેલ છે, તે મનોરથ પૂરવાને દેવ સિવાય કોઈ સમર્થ નથી. તે વાત માનુષી શક્તિને અસાધ્ય છે; તથાપિ તેમારાં વચન ઉપર વિશ્વાસ આવે છે, તેથી હું જણાવું છું.–પ્રાણેશ! મને આજે આ ચંદ્ર મંડળનું પાન કરવાને દેહદ થયે છે, એ સુધાનિધિના પાનથી હું મારા ગર્ભને સુધામય કરવા ઈચ્છું છું. રાણીનાં આવાં વચન સાંભળતાં જ પ્રતાપસિંહ ચમકી ગયે. પિતાની શક્તિના હદની બાહરની વાત જાણું તે ગંભીર વિચારમાં પડે, પણ તેના હૃદયમાં એટલો તે આનંદ આવ્યો કે, આ દેહદને પ્રભાવ જોતાં ગર્ભમાંથી પ્રભાવિક પુત્ર ઉત્પન્ન થશે. ક્ષણવાર વિચાર કરી તેણે સુવતીને કહ્યું, પ્રિયા ! આ તમારો દેહદ કચ્છસાધ્ય છે, પણ તમે નિરાશ થશે નહીં. જન ધર્મના પ્રભાવથી તે પરિપૂર્ણ કરી શકાશે. તે વિષે વિચાર કરવા હું મારા વિચાર ભુવનમાં જાઉં છું. ક્ષણવાર વિચારી તેને નિશ્ચય કરી; હમણું પાછો આવીશ, નિશ્ચિંત રહેજે આટલું કહી તે તત્કાળ વિચાર ભુવ તરફ વળ્યો.
પ્રતાપસિંહે ત્વરાથી એક દૂત મેલી, પિતાના બુદ્ધિમાન મંત્રીને બોલાવ્યો. વિચક્ષણ મંત્રી આવ્યું, એટલે રાજાએ રાણી સુવતીના અસાધ્ય દેહદની વાત કહી. તે સાંભળી તે ચતુર સચિવ બેલ્યો–મહારાજા! ચિંતા કરશો નહિ. તે દેહદ યુકિતથી પૂરી શકાશે. “એક નવી પ્રસવેલી ગાયનું દૂધ સાકરની સાથે રૂપાના થાળમાં લઈ, તેની અંદર ચંદ્ર મંડળનું પ્રતિબિંબ પાડે, પછી તે રાણીને પાન કરાવે. દેવી તેનું પાન કરી લે, એટલે ઉપર એક પુરૂષને એવી રીતે ગોઠવે કે, જે ચંદ્ર મંડળને છાયા કરી ઢાંકી દે. એટલે મહારાણી ચંદ્ર મંડળનું પાન કરેલું માનશે. તે પછી તેમને મહેલમાં લઈ શયન કરાવી . ” મંત્રીની આ યુક્તિ સાંભળી પ્રતાપસિંહ ખુશી થયો. તત્કાળ તેણે તે પ્રમાણે ગોઠવણ કરી મહાદેવીના દોહદને પૂર્ણ કર્યો. સૂર્યવતી દેહદ પૂર્ણ થવાથી આત્માને કૃતાર્થ માનવા લાગી. બંને દંપતિ આનંદ રસ અનુભવવા લાગ્યાં. પૂર્ણ દેહદા મારીને પ્યારાએ કહ્યું, પ્રાણેશ્વરી ! હવે અલ્પ સમયમાં તમારે ઉત્સગ પુત્રથી અલંકૃત થશે, તમારું વન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org