SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આનંદ મંદિર. થઇ જાઓ, તેમના કુવિચાર સુવિચાર થઇ જાઓ, જૈન શાસન દેવતા રાજગર્ભની રક્ષા કરજો. કુશસ્થલીના રાજ્યની કુળ દેવતા તે બાળ રાજાનુ સર્વદા રક્ષણ કરજો. બા સાહેબ ! આ સમાચારથી તમારે કાંઇ પણ ચિંતા કરવી નહિ. તમારાં પુણ્ય કર્મના ઉદયથી સર્વ જાતના અંતરાય દૂર થઈ જશે. તમારાં સાભાગ્યરૂપ સૂર્યના ઉદયથી દુર્બુદ્ધિ લોકાના હ્રદયના મલિન અંધકાર નાશ થઇ જશે. દાસીનાં આ વચન સાંભળી, ભાનુમતિને વિશેષ શેક થઇ આવ્યા, તેણીનાં નેત્રમાંથી અશ્રુની ધારા ચાલી, શરીર ક ંપવા લાગ્યું, અને કઠે રૂંધાઇ ગયે। ક્ષણવારે સૂર્યષતીએ કહ્યું, દાસી ! હવે શું થશે ? મારા ગર્ભની રક્ષા કાણુ કરશે ? એ ચાર કુમારા બળવાન છે. છેવટે મારા ગર્ભને કે જન્મ પામેલા કુમારને મારી નાંખશે. આ મહા સટ શી રીતે દૂર થશે ? દાસી ખેાલી, બા સાહેબ ! ચિંતા કરે નહિ તમારા પુણ્યના પ્રભાવથી સર્વ વિઘ્ન દૂર થઈ જશે. આ વાત્તા મહારાજાને સત્વર જણાવા. એ íિમત્તિઆની વાણી સળ થશે, અને કુશસ્થલીના રાજ્યાસનને તમારા કુળદીપક કુમાર અલંકૃત કરશેજ. ભવિષ્ય વાણી સળ થયા વિના રહેશે નહિ. તમે જરાપણ ચિંતા રાખશો નહું કલ્પવૃક્ષ જેવા જૈન ધર્મની સહાય લ્યેા. સમકિતનું શરણ લીધાથી તમારી મન:કામના પૂર્ણ થશે, તમારા શુભ સ્વમામાં પ્રભાવ ઉપર વિશ્વાસ રાખો. અદ્વૈત વાણી અન્યથા થતી નથી, દાસીનાં આવાં આશ્વાસન ભરેલાં વચનથી સૂર્યવતીને ધીરજ આવી. તેના હૃદયમાં નિવાસ કરી રહેલી ધર્મ ભાવના ઉપર તેને પૂર્ણ શ્રદ્ધા થઇ. પ્રકરણ ૧૧ મુ. સ્માન દમાં ઉપાધિ. Jain Education International ર્ણિમાની રાત્રિ છે, પૂર્ણ ચંદ્ર ગગનમંડળને દીપાવે છે, ચંદ્રના પ્રતાપની આગળ તારા ઝાંખા થઈ ગયા છે, રૂપગર્વિતા નાયિકાની જેમ નિશા નારી પૂર્ણચંદ્રની સાથે ખાલી છે, શશિ મ`ડળમાંથી સુધારૢાતના પ્રવાહ પ્રસરી રહ્યા છે, ભૂમિની આષધી એ સુધાના સ્વાદ મેળવે છે, ચંદ્ર પોતાની પુણાવસ્થાના પ્રભાવમાં આંદોલન કરે છે; ખરેખર તે રજનીના રાજા થઇ પ્રજાને રજત કરે છે. આ વખતે રાણી સૂર્યવતી ચંદ્રશાળામાં ખેડી ખેડી ચંદ્ર મ`ડળને જુએ છે, ચદ્રના પ્રકાશથી પ્રકાશિત થઇ, પરમ આલ્હાદ મેળવે છે, ચંદ્રની જ્યેાટ્નામાં મય થઇ. મહાલતી એ બાળાને ક્ષણવાર પછી દેહદ ઉત્પન્ન થયા. દાદ પૂર્ણ કરવાને તેની મનેત્તિ ચંચળ બની ગઇ. તેને ઇચ્છા થઈ કે, આ નિર્મળ સુધામય ચંદ્રનું હું પાન કરૂં; તે પાન કરી મારા ગૈારવવાળા ગર્ભને તૃપ્ત કરી દઉં. આ ઇચ્છાથી તેનામાં અભિનવ ચિંતાએ પ્રવેશ કર્યો. ગર્ભથી તેણીનું શરીર કૃશ તે। હતું, તે આ ચિંતાથી વિશેષ કૃશ થઇ ગયું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy