________________
રંગમાં ભંગ.
૩૩
નગરીનું રાજ્ય અમારામાંથી કેને પ્રાપ્ત થશે ? ભવિષ્યમાં કુશસ્થલીને મહારાજા કેરું થશે ? તે પ્રશ્ન સાંભળી તે નિમિત્તિએ શાસ્ત્ર અવલોકી વિચારી પિતાનું મસ્તક ધુણાવ્યું. શરમાઈ ગયો હોય, તેમ તે નીચું મુખ કરી નખવડે ભૂમિને ખોતરવા લાગે. તેની એવી મુદ્રા જોઈ, જયકુમારે કહ્યું, ભદ્ર! જે સત્ય હોય તે કહે. અમારા મનમાં તેને કાંઈ ક્ષોભ થવાને નથી. વળી તમારા કહેવા ઉપરથી અમે તેવા ઉપાય કરી શકીશું. તે સાંભળી નિમિત્તિઓ બેલ્યો–રાજકુમારો ! પ્રશ્ન જોતાં માલુમ પડે છે કે, આ સમૃદ્ધિવાળું રાજ્ય તમારા ચારમાંથી કોઈના ભાગ્યમાં નથી. કુશસ્થલીના સિંહાસન ઉપર કોઈ બીજે પ્રતાપી પુરૂષ બેસશે. રાજકુમારો આશ્ચર્ય પામી બેલ્યા-પંડિતજી ! આ શું કહે છે ? અમે ચાર જીવતા છતાં પિતાના ઋદ્ધિમાન રાજ્ય ઉપર કોણ આવશે ? ધરણ બોલ્ય–રાજપુત્ર ! તમારા પિતા જે દીપશિખા નગરીની રાજકુમારી સુર્યવતીને પરણું લાવ્યા છે, તેને પરાક્રમી કુમાર આ રાજ્ય ઉપર ગાદીનસીન થશે. નિમિત્તિઓનાં આવાં કટુ વચન સાંભળી, ચારે કુમારે ઉશ્કેરાઈ ગયા, અને ઉંચે સ્વરે બેલ્યા–અરે ભિક્ષુક ! તું અન્નનો કીડો શું જાણે ? તારાં વચન ઉપર અમને વિશ્વાસ નથી. અમારા ચારે બંધુઓમાં જ્યેષ્ટ અને પરાક્રમી એ આ જયકુમાર કુશસ્થલીના સિંહાસનને માલેક છે. કુમારની આવી કઠેર વાણી સાંભળી તે ધરણ નિમિત્તિઓ ભય પામી બોલે— રાજપુત્ર ! અત્યારે મારું ચિત્ત દિધા છે, માર્ગની ચિંતાએ મારા ચિત્તને ચંચળ કરી દીધું છે. જ્યારે હું જાત્રા કરી પાછો આવીશ, ત્યારે ચિત્ત સ્થિર કરી, પુનઃ તમારા પ્રશ્નની નિરીક્ષા કરીશ. આટલું કહી તેઓએ આપેલ ફળ તથા દ્રવ્ય લઈ, તે નિમિત્તિઓ જીવ લઈ, ત્યાંથી પલાયન થઈ ગયે. તે અનુક્રમે સારાષ્ટ્ર દેશમાં રહેલા શત્રુંજય ગિરિમાં આવ્યો. ત્યાં મુનિવરના કહેવા પ્રમાણે સમભાવથી તેણે તપસ્યા કરી, અને તપના પ્રભાવથી પિતાને લાગેલા હત્યાના પાપથી તે મુક્ત થઈ ગયો.
બાઈ સાહેબ ! એ નિમિત્તિઓના જવા પછી તે ચારે કુમારોના ચિત્તમાં ચિંતાએ પ્રવેશ કર્યો. તત્કાળ તેમણે પરસ્પર કહેવા માંડયું–બંધુઓ ! વખતે એ નિમિત્તિઓની વાણી સત્ય થાય, તે પછી આપણે શું કરવું? તેઓમાંથી એક કુમારે કહ્યું, અરે ! શી ચિંતા કરો છો ? શું તે જેશી દેવ થઈ ગયો છે, કે જેની વાણી સત્ય થાય ? બીજાએ કહ્યું, આપણે એવા ઉપાય કરીએ કે, તે જોશીની વાણું અસત્ય થાય. જુઓને, પૂર્વે પણ એવી વાત થઈ હતી. કોઈ જોશીએ રાજાને વિજળીથી ઘાત થવાને કહ્યું હતું. તે વખતે રાજાને ભૂમિગૃહમાં રાખી, જેશીની વાણુને જુઠી કરેલી હતી. ઉદ્યમ અને બુદ્ધિથી શું કાર્ય નથી થતું ? ત્રીજાએ કહ્યું, જે કદી સૂર્યવતીને પુત્ર થશે તે, આપણે તેને મારી નાંખીશું. ચેથાએ કહ્યું, અરે ભાઈઓ ! શા માટે ચિંતા કરે છે ? એ જોશી કાંઈ સર્વજ્ઞ નથી. આ પ્રમાણે વિચાર કરતાં તેઓ ત્યાંથી ઉઠી ચાલવા તૈયાર થયા, એટલે હું તત્કાળ નીસરણીએથી ગુપ્ત રીતે નીકળી ચાલી આવી. સૂર્યવતીબા ! તે કુમારના કુવિચાર સાંભળી, મારા મનને અપાર ખેદ ઉત્પન્ન થયેલ છે. આપની સંપત્નીઓના કુમારની મનોવૃત્તિમાં પાપને પ્રવેશ થયો છે, તે જાણું મને અપાર ચિંતા થયા કરે છે. હું અંતઃકરણથી પ્રભુની પ્રાર્થના કરું છું કે, આહંત ધર્મના પ્રભાવથી તેઓની મલીન બુદ્ધિ શુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org