________________
૩૨
આનંદ મંદિર, આ સમયે કુશસ્થલીની મહારાણી પિતાના મહેલમાં એક સર્વેદીક ગોખમાં બેશી નવનવા મનોરથ કરતી હતી, તેના રમણીય અંગ ઉપર ગર્ભનાં ચિન્હ દેખાતાં હતાં; મુખની છાંયામાં પાંદુતા, અને સ્તનમંડળના અગ્ર ભાગે કૃષ્ણતા થઈ ગઈ હતી, તેના નિતંબની શોભામાં વિશેષ ગૌરવ પ્રગટ થયું હતું, તેના નયન કમળ ઉપર વિશેષ વિકાશ દેખાતો હતો, તેવામાં એક સુંદર વેશ ધરનારી તેની વિશ્વાસુ દાસી ત્યાં આવી. તેણીએ મહારાણીને નમન કરી દુઃખડાં લીધાં, તેના મુખ ઉપર ગ્લાનિ ભાવ દેખાતો હતે, લલાટ ઉપર પડેલાં વળિ તેની ગંભીર ચિંતાને સુચવતાં હતાં, મુખનું સૌદર્ય ખંડિત લાગતું હતું, નેત્ર ઉપર શેકની છાયા પડી હતી. દાસીની તરફ જોઈ સુવતીને શંકા આવી. તત્કાળ તેણીએ અધીરાઈથી પુછયું, દાસી ! તું કયાંથી આવે છે ? હમેશાં હાસ્ય કરનારું તારું મુખ ગ્લાન કેમ થયું છે ? તું મારા હૃદયની પ્રીતિ જાણનારી છું, આજે સ્વમાના આનંદમાં હું મગ્ન છું, ત્યારે તું કેમ શાક મુદ્રા ધરે છે ? કેઈએ તારું અપમાન તો નથી કર્યું ? તું મારું પ્રસાદ પાત્ર છું, તેથી મારી પત્નીઓએ તને કાંઈ કષ્ટ તો નથી આપ્યું ? જયશ્રીના કોપનું ફળ તને તે નથી મળ્યું ? મારી પત્નીના પુત્ર તારી લજજા ઉપર તે નથી આવ્યા ? શું છે ? તે તું સત્ય કહે.
સચવતીનાં આવાં વચન સાંભળી તે દાસી બોલી–બાઈ સાહેબ! તમોએ જે શંકાઓ કરી પુછયું, તે માંહેલું એક પણ મારા શોકનું કારણ નથી. મહારાણીની મહેરબાનીથી આ દાસી અદ્યાપિ તેવા દુઃખનું પાત્ર થઈ નથી. મારા દુઃખનું કારણું નીચે પ્રમાણે બન્યું છે, તે આપ ધ્યાન દઈ સાંભળશે--
મહાદેવી ! હું પ્રભાત કાળે આપના મેહેલ તરફ આવતી હતી, ત્યાં જયશ્રીના ચાર કુમાર તેમના મહેલ ઉપર સંગીતની ગમ્મત કરતા હતા, તેવામાં કોઈ વિદેશી નૈમિત્તિક ચાટામાં ફરતો હતો, તેને તેઓએ સેવક મકલી બોલાવ્યો. નિમિત્તિયાના આવવા પછી કુમારએ તે ગમ્મતની મંડળીને વિસર્જન કરી દીધી. પોતે ચાર ભાઈઓએ મને શલત કરી, તે નિમિત્તિઓને પિતાની પાસે બેસાર્યો, તે વખતે મને કેતુક થયું કે, તેઓ નિમિત્તિઓને શું પુછે છે ? આવું ધારી તેમની બેઠક નીચે આવેલી નીસરણની થે હું ગુપ્ત રીતે સંતાઈ ગઈ, અને તેમની બધી વાર્તા સાંભળી લીધી. મહારાણ! જ્યારથી તે વાર્તા સાંભળી છે, ત્યારથી મને અપાર ચિંતા અને શોક થયા કરે છે, તેને લીધે જ મારા મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ છે. આપની આગળ તે વૃત્તાંત કહેવાને મારી જીભ ઉપડતી નથી, તથાપિ મહારાણીના શ્રેયને ખાતર મારે તે આપને નિવેદન કરવું જોઈએ.
- તે આવેલા નિમિત્તયાનું નામ ધરણ હતું. પ્રથમ તેણે પિતાના ઘરને બધે. વૃત્તાંત કુમારોને આગળ જણાવ્યો, જે સાંભળવામાં મને પણ રસ આવ્યો હતો. નિમિત્તિઓને વૃતાંત, સાંભળ્યા પછી ચારે કુમારોએ મસલત કરી, પ્રશ્ન પુછવાનો નિર્ણય કથી. તેઓમાંથી પ્રથમ જયકુમાર તેની આગળ ફળ ધરીને બે –પંડિતજી ! અમો ત્યારે સદર બંધુ છીએ. આ નગરના મહારાજા પ્રતાપસિંહની રાણી જયશ્રીના ઉદરથી ઉત્પન્ન થયા છીએ. તમે ભવિષ્યવેત્તા છે, તેથી અમારે એટલુંજ પુછવાનું છે કે, આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org