________________
રંગમાં ભંગ
૩૧ , ઉત્પાત, અંગ રપુરણ ચેષ્ટા તે અંગ, પક્ષીઓના નાદ જાણવા તે સ્વર, હાથ પગની આકૃતિને લગતાં તે લક્ષણ અને મેષ, તિલ એ વ્યંજન, અને સ્વમ એમ આઠ પ્રકાર નાં નિમિત્ત છે. સત્રાર્થ તાત્તિક ભેદથી તેઓ સારી રીતે તેમનું વિવેચન કરી શકતા હતા. તે ચતુર વિદ્વાનોને સત્કાર કરી, પ્રતાપસિંહે ચારે સ્વમાના વૃત્તાંત નિવેદન કર્યા, રવાના હેતુપૂર્વક અર્થ વિચારી, તે વિચક્ષણ જોષીઓએ નીચે પ્રમાણે વિવેચન કર્યું.
મહારાજા ! મહારાણી સર્વવતીએ જોયેલાં આ ચાર સ્વમ ઘણજ ઉત્તમ છે. પ્રથમના સ્વમામાં “ચંદ્ર મંડળ ચલિત થઈ ફરી સ્થાને આવ્યું. ” તે એમ સૂચવે છે કે, સૂર્યવતીને એવો પુત્ર થશે કે, જે સ્થાનાંતરે ચંદ્રની જેમ કળાવાન થઈ, ભારત વર્ષમાં પ્રકાશિત થશે. બીજા સ્વમમાં જે કમળ સંકેચ પામી, સુર્યવતીના હાથમાં પાછું વિકાશ પામ્યું, તે એમ સૂચવે છે કે, તે રાજકુમાર પ્રથમ વિયોગી થઈ પછી સંગી થશે. ત્રીજ સ્વમામાં છત્ર દર્શન થયું, તેથી તમારો રાજકુમાર વિશ્વમાં એક છત્રધારી થશે. ચોથા સ્વમામાં ચય - મણિમય થયું, તેથી તે પ્રભાવિક કુમાર ધર્મ કૃત્યથી ભવિત થશે.
નરેંદ્ર! આ સ્વમાનું સાધારણ ફળ અમે કહીએ છીએ. તેઓને ગંભીર ભાવ તે અમે કહી શકતા નથી. તે ભાવાર્થ તો કેવળી ગમ્ય છે. નિમિત્તિઆએ કહેલાં સ્વમનાં ફળ, સાંભળી, પ્રતાપસિંહ ઘણેજ ખુશી થશે. તે ખુશાલીના ઉત્સાહમાં, આવી તેણે તે નિમિત્તિઓને પુષ્કળ દ્રવ્ય આપ્યું. જેથી તેઓને પરમ સંતોષ પ્રાપ્ત થયે. મહારાજાએ તે સર્વ હકીકત રાણું સૂર્યવતીને જણાવી, જે સાંભળી મહારાણું મહાનંદમાં મગ્ન થઈ ગયાં.
પ્રકરણ ૧૦ મું.
રંગમાં ભંગ યંકાળને સમય હતો, ગગનમણિ પિતાની મુસાફરી પૂર્ણ કરી અસ્તા- . ચળના શિખર ઉપર ચડતે હતો, કમલિની પોતાના કાંતના વિયોગથી ભયભીત થઈ ભ્રમરના નાદથી પિકાર કરતી હતી, જોકે પ્રવૃતિના
માર્ગમાંથી નિવૃત થઈ વિશ્રાંતીની રાહ જોતા હતા, જિનાલયમાં દીપપૂજા અને આરાત્રિકાના આરંભ થતા હતા, ભાવિક શ્રાવકો ' પ્રતિક્રમણની ક્રિયામાં પ્રવર્તવા તત્પર થતા હતા, રાત્રિ ભોજનના નિયમવાળા આસ્તિક આહતિ એ નિયમ જાળવવાને એક નિષ્ઠાથી રહ્યા હતા, રાજદ્વારમાંથી નિગી અધિકારીઓ નિવૃત થઈ સ્વસ્થાન પ્રત્યે જવા તૈયાર થતા હતાં, શેખી ગૃહસ્થો શીતળ પવનની ઉપાસના કરવાને નગરની બહેર ઉઘાન તરફ વળતા હતા, પ્રત્યેક ચત્વર, શેરીઓ અને જન સ્થાનોમાં લેકાના સમૂહ જોવામાં આવતા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org