SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આનંદ મંદિર. આનંદને તે અનુભવતી હતી, તેના શયનગૃહમાં સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી, સર્વ સ્થળે શાંતિનું સામ્રાજ્ય ચાલતું હતું. આ સમયે એ સુવતીનાં નિદ્રિત નેત્રની આગળ અદભુત સ્વમાં દશ્યમાન થયાં. તેણના જોવામાં આવ્યું કે, પૂર્ણિમાની અર્ધ રાત્રે ચંદ્ર મંડળ ચલિત થઈ, જાણે તેનામાં પેશી ગયું, જાણે કેઇએ પ્રફુલ્લિત પદ્ય સુર્યવતીના હાથમાં આપ્યું, તે તત્કાળ સંકોચ પામેલ, પણ તેણીના હાથમાં પાછું વિકાશ પામી ગયું, કઈ જિન ચય સુધા (ચુના) થી ધવલિત કરેલ પણ વૃષ્ટિથી તે મેલું જઈ જતું, તેથી જાણે સુવતીએ તેને મણિમય કરી દીધું, કોઈએ સંકોચ પામેલ છત્ર સર્વવતીના શિર ઉપર ધર્યું, તે તત્કાળ વિકાસ પામી ગયું, આ ચાર સ્પમાં સૂર્યવતીના જોવામાં આવ્યાં. તે અવલોકતાંજ સુર્યવતી જાગી ગઈ, તેના હૃદયમાં અનેક સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા, સ્વમની અદૂભુતતાથી કાંઈ પણ શુભના લાભ માટે તેણના નિર્મળ મનમાં નવનવા મરથ ઉત્પન્ન થવા લાગ્યા. રાણી સુવતીને આ સ્વમ વાર્તા પિતાના પતિને કહેવાની ઉત્કંઠા થઈ. પ્રાતઃકાળ છે, એટલે રાણી સુવતીએ પોતાના પતિ પ્રતાપસિંહને સ્વમાની વાર્તા કહી સંભળાવી. સ્વમ ઉપરથી રાજાના મનમાં અતિશય ' હર્ષ ઉત્પન્ન થયો. પ્રતાપસિંહ મ ફળના ગ્રંથો જાણતો હતો. આ સ્વમાનું ફળ તેના જણવામાં આવ્યું. તે વિચારીને બે –પ્રિયા ! હવે તમે સૌભાગ્યનાં શિખર ઉપર ચડશે. આ સ્વમાનું શુભ ફળ તમારા ગર્ભાશયમાંથી રત્ન ઉત્પત્તિ સુચવે છે. દેવી ! અ૫ સમયમાં એક દેવકુમારને છતે, તે પરાક્રમી પુત્ર તમારામાં ઉત્પન્ન થશે. એ ધાર્મિક પુત્ર તમારી કુક્ષને દીપાવશે, ધર્મરૂપ કલ્પવૃક્ષ તેનાથી સફળ થશે. એ સૌભાંગી પુત્ર સર્વને સુખદાયક થશે. પ્રત્યેક સ્વમના ગૂઢાર્થ જાણવા માટે સ્વમ શાસ્ત્રના વેત્તાઓને બોલાવી, હું વિશેષ અર્થ જાણી લઈશ, તે પછી તેનાં શુભ ફળને સવિસ્તર જણાવીશ. પ્રિયા ! આ રખાંઓ તમારા સૌભાગ્યરૂપ સૂર્યના ઉદયગિરિરૂપ છે, તમારાં પુણ્ય કર્મને પ્રગટ કરનારાં છે, અને તમારી ધર્મભાવનાને પુષ્ટ કરનારાં છે. મહારાણુ ! હવે અલ્પ સમયમાં તમારા ઉત્કંગમાં ક્રીડા કરતા એક તેજસ્વી કુમારનું અમે અવલોકન કરીશું. તમારા અંત:પુરના આંગણામાં વિવિધ ક્રીડા કરનાર એક રાજકુમારને જોવા અમે સંપૂર્ણ ભાગ્યશાળી થઇશું. : * પ્રતાપસિંહના મુખથી આવાં અમૃત સમાન વચન સાંભળી, રાણું સર્યવતી અપાર આનંદમાં ઉભરાઈ ગઈ, તેને મુખચંદ્ર પૂર્ણ કળાથી પ્રકાશમાન થયો, “પતિનાં વચન સત્ય હો ” એમ હદયને કહેવા લાગી, તેને વિશાળ લેચનમાં આનંદનું તેજ ચળકવા લાગ્યું, પ્રત્યેક અંગમાં રમાવળી થવા લાગી, પિતાને જેવું પટરાણી પદ મળ્યું છે, તેવું માતા પદ પ્રાપ્ત થશે, એમ હદયમાં મરથ કરવા લાગી. પોતાની મહારાણને થયેલ સ્વરનાં દર્શનથી આનંદ પામતે રાજા પ્રતાપસિંહ સભા સ્થાનમાં આવ્યો. તત્કાળ મંત્રીઓને આજ્ઞા કરી, સ્વમ પાઠકોને બોલાવ્યા. તે સ્વપ્ન પાઠકે અષ્ટાંગ નિમિત્તા જાણનારા હતા, દિવ્ય, આંતરિક્ષ, ભામ, ઉત્પાત, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન અને સ્વમ ઉપરથી તેઓ શુભાશુભ કહી શકતા હતા, ગંધર્વ, નગર, ઉલ્કાપાત, કેતુ વિગેરે દિવ્ય ઉત્પાત, વાદળ, વૃષ્ટિ વિગેરે આંતરીક્ષ ઉત્પાત, ભૂમિકંપ નિર્ધત પ્રમુખ તે ભામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy