________________
સૂચવતીને સ્વમ દર્શન.. २८ પામી જશે. રાજકુમાર ! મુનિનાં તે અમૃત સમાન વચન સાંભળી મને અપાર આનંદ થયો. “ હું પાપ રહિત થઈશ ” એવું જાણી મારી મનોવૃત્તિમાં ચડતાં પરિણામ થવા લાગ્યાં. તત્કાળ આનંદના આવેશમાં ઉભે થયો, અને ભાવપૂર્વક તે મુનિને વંદના કરી, આ પ્રમાણે બે મહાનુભાવ ! તમે પરોપકારી છે, જગતના જીવને ઉદ્ધાર કરવા સર્વદા તત્પર છો, મારા જેવા અપરાધીને તમે તાર્યો છે, દેશના આપીને મારો જન્મ સુધાર્યા છે. આટલું કહી એ મહોપકારી મુનિરાજને વંદના કરી, સિદ્ધાચળના તીર્થની માત્રા કરવાની ઇચ્છાએ હું ત્યાંથી ચાલી નીકળ્યો. માર્ગમાં નવનવાં શહેર, ગામ તથા રમણીય સ્થળ ઉલ્લંઘન કરતે, હું આ કુશસ્થલી નગરીમાં આવી ચડે છું આ નગરીને જોઈ મારા મનને આનંદ ઉપજ્યો. નગરમાં પેશી જિનચૈત્ય તથા ગુરૂને વંદના કરી, અને સાધમ જનને દેખી હું આનંદ પામ્યો. રાજપુત્ર આ પ્રમાણે મારો દતિહાસ મેં તમને જણાવ્યો. માર્ગમાં આજીવિકા માટે હું નૈમિત્તિઓનું કામ કરું છું. પેલા સિદ્ધ પુરૂષના પ્રસાદથી હું નિમિત અને ત્રિકાળની વાત કહી શકું છું. સર્વ લેક મને નિમત્તિક કહી બોલાવે છે. .
તે ધરણને વૃત્તાંત જાણી પ્રતાપસિંહના ચારે કુમારે ખુશી થયા, અને તેમની મનોવૃત્તિમાં એક જ પ્રશ્ન પુછવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થઈ.
પ્રકરણ ૯ મું. સૂર્યવતીને સ્વપ્ન દર્શન
{
"N
દો મ હારાજા પ્રતાપસિંહ સૂર્યવતીને સાથે લઈ કુશસ્થલીમાં આવ્યા પછી
સૂર્યવતીને પટરાણ પદ આપ્યું હતું. સર્વ અંતઃપુરમાં એ સૌભાગ્ય
શભિત વતી પ્રધાન પદથી પ્રકાશતી હતી. તેના ઉત્કર્ષથી બીજી છે . સપત્નીઓને ઇર્ષા આવતી હતી. વિશેષ કરીને રાણી જયશ્ન વધારે ઈષ્યભાવ રાખતી હતી. કારણ તેણીએ ચાર કુમારને જન્મ આપ રથમ પટરાણી પદ મેળવ્યું હતું. તેની પદવી ઉપર સૂર્યવતીના સૌભાગ્યરૂપે સર્વને પ્રકાશ થવાથી એના મનમાં એ શલ્ય વધારે સાલતું હતું. તેના ચાર કુમાર પણ પિતાની માતાને લઈ સુવતી તરફ દેષ ભાવથી જોતા હતા.
અંધકારરૂપ કૃષ્ણ વસ્ત્રને ઓઢી નિશારૂપ નિશાચરી જગતને નિદ્રામાં રમાડતી હતી, જાગૃતીના પ્રભાવિક ધર્મને તે લેપ કરતી હતી. વિશ્વને ચેતન ધર્મ શાંત થઈ, તામિસ ભાવમાં લીન થયો હતો, ગગનમાં તારાગણ ચંદ્રને અભાવે પિતાની સત્તા ચલાવતો હતો. સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી, આ સમયે કુશસ્થલીના અંતઃપુરમાં મહારાણી સર્યવતી ભરનિદ્રામાં સુતી હતી. સર્વ જાતની ચિંતામાંથી મુક્ત થઈ નિદ્રાના નિશ્ચિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org