SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, • સર્વ પાપ નષ્ટ થાય. મુનિવરે પ્રસન્ન થઈ નીચે પ્રમાણે અમૃત સમાન વાણીથી ઉપદેશ આપે. ભકઆ જગતમાં જૈન ધર્મ જયવંતે છે, એ અખિલ વિશ્વને આધાર છે, દુર્ગતિમાં પડતાં જતુઓને ધારણ કરે, તેથી તે ધર્મ કહેવાય છે. તેમાં સદભાવનાથી ભાવેલો ભાવ ધર્મ શિવ સુખને આપનાર છે, સંયમ વિગેરે દશ પ્રકારથી તેના દશ ભેદ પડે છે, સર્વજ્ઞ પ્રભુએ એ ધર્મ પ્રરૂપી, જગતનાં ભવિ જંતુઓનો મહાન ઉપકાર કર્યા છે. જેને બધું ન હોય, તેનો તે બધુ છે, અસહાયને તે સહાય કરનારો છે, અસખાને તે સખા છે, અને અનાથને તે નાથ છે. રાત્રુજય સમાન બીજું તીર્થ નથી, નવકાર સમાન બીજ મંત્ર નથી, અને દયા સમાન બીજે ધર્મ નથી–એ વિવિધ પાપને હરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપ, એ ચાર મહાન ગુણ છે. અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને મુનિ એ ગુણના ભાજન છે. નવકારે ગત પંચ પરમેષ્ટીને મહામંત્ર શિવપદ આકર્ષક છે, એને આશ્રયીને સિદ્ધચક્ર કહેવાય છે. સિદ્ધનું પ્રભાવિક ક્ષેત્ર સિદ્ધિગિરિ છે. જ્યાં દાન, દયા, અને દમ રહેલાં છે, તે ધર્મ જગતમાં સારરૂપ છે, એના પ્રભાવથી જગતમાં અત્યંત યશ, અને શોભા વધે છે. છકાય જીવને પિતાની સમાન ગણવા, ઈદ નું દમન કરવું, અને વૈરાગ્ય ધર–એ ધર્મને સાર છે. પંચ પરમેષ્ટીના સ્મરણથી ભવભવની આપત્તિઓ જાય છે, સંપત્તિઓ મળે છે, અને ઉભય લેકનાં સુખ પ્રાપ્ત થાય છે. સર્વ તીર્થશિરોમણિ સિહગિરિના સ્પર્શથી અનંત મુનિગણ શિવપદને પામ્યા છે. એક ચિત્તે મન, વચન, કાયાવડે તેને સેવ્યાથી ઘણું ભવિજન ભવપારને પામ્યાં છે, સહસ્ત્ર ગમે કરેલા પાપ એ ગિરિના પ્રભાવથી નાશ પામી જાય છે. જે પ્રાણી સમકિત મેળવી, એ તીર્થરાવે ભજે છે, તે તે બો મોક્ષ સુખના અધિકારી અવશ્ય થાય છે. દાન વિગેરે ધર્મ માપનું જળ છે, સમકિતરૂપ કલ્પવૃક્ષ જે ફળિત થાય, તે સંસારને નાશ . થઈ જાય છે. સમા, સંવેગ, ભવને ત્યાગ ( નિર્વેદ ) અનુકંપા, અને આસ્તા–એ પાંચ લક્ષણોથી કમતિ મળી જાય છે. અપરાધ કરે તે પણ તેની ઉપર કપ ન કરે, એ સમતા કહેવાય છે; મોક્ષને અભિલાષા તે સંવેગ કહેવાય છે; આવના ત્યાગની ઈચ્છા રે, તે નિર્વા કહેવાય છે; સુખી જનને ઉદ્ધાર કરવાની ઇચ્છા તે અનુકંપા કહે. વાય છે, અને નિર્દોષ પરષનાં વચન ઉપર પ્રતીતિ (વિશ્વાસ) તે પાસ્તા (આસ્તિક) કહેવાય છે; એ પાંચ લક્ષણ કયકિતને ઓળખાવે છે. તીર્થસેવા, પ્રભાવના, ભક્તિરાગ, ગુણ ઉપર પ્રીતિ, અને જિન શાસનમાં કુશળતા–એ પાંચ સમકતનાં આ ભૂષણ છે.” * આ પ્રમાણે છે પુનિની દેશના સાંભળી હું ઘણોજ ખુશી થયે, મારા હૃદયમાં ધર્મભાવના પ્રગટ થઈ. પછી મેં એ મહા મુનિને પૂછ્યું કે, મહારાજ ! મને હત્યાનું પાપ લાગેલું છે, તે પાપમાંથી હું શી રીતે મુક્ત થાઉં ? તે કૃપા કરી કહે. મુનિરાજ બેભા–ભદ્ર! તે પાપની શંકા રાખે છે, તેથી પુણ્યાત્મા અને લઘુકમ છું, એ નિશ્વય માનજે. તેથી જો તું સિદ્ધાચળ જઈ તપ ક્રિયા કરે છે, તારાં સઘળાં પાપ નાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy