________________
શ્રી ધર્મષ મુનિ.
૩૮૫ ચંદનને પતિ ક્યાંઇ પણ લાગે નહીં. સાત વર્ષ સુધી રાહ જોઈ, પછી ચંદનના મૃત્યુ વિષે બધાને નિશ્ચય થયો. લોકાપવાદને લઈને શીળવતી અશકશ્રીએ વિધવાને વેષ ધારણ કર્યો, પતિના શેકથી અશોકથી શરીરે કૃષ થઈ ગઈ, અને તે જ ચિંતામાં તે રાત દિવસ દહન થવા લાગી; વળી અશકશ્રી પ્રતિદિન એકનિષ્ઠાથી આહંત ધર્મની ઉપાસના પણ કરતી હતી.
બાર વર્ષે કોણુપપુર આવેલે ચંદન પિતાના નગરમાં આવ્યું, તેને જોઈ માતાપિતા ઘણજ ખુશી થયાં. વિધવા બનેલી અશોશ્રી સધવા થઈ. આ ઉત્સવ નિમિત્તે વન મંત્રીએ મોટા ઉત્સાહથી ધાર્મિક ઉત્સવ કર્યો, અને અનેક પ્રકારનાં પ્રાત્રદાન તથા અનુકંપાદાન આપ્યાં. લેકો ચંદનને જીવતો આવેલે જોઈ, અશકશ્રીનું ધર્મરૂપ કલ્પવૃક્ષ સફળ થયું, એમ કહેવા લાગ્યા.
વળી કેટલોક કાળ થયા પછી નરદેવકુમાર રાજા થયો, ચંદન મંત્રી થયો, તેમજ તે નગરશેઠ પણ થશે. આ અરસામાં જ્ઞાનસૂરિ નામે એક મુનિરાજ તે નગરમાં આવી ચડ્યા. મુનિરાજનાં દર્શન કરવાને રાજા નરદેવ, મંત્રી ચંદન તથા રાજ કુટુંબ અને મંત્રીકુટુંબ તેને વંદના કરવાને આવ્યું, તેમની સાથે નગરના ભાવિક અને આસ્તિક લે કેમાં પણ ટોળેટોળાં આવવા લાગ્યાં. રાણી શ્રીકાંતા અને ચંદનની સ્ત્રી અશોકથી પણ ત્યાં આવ્યાં હતાં. સર્વ પર્ષદા ભરાયા પછી મુનિવરે નીચે પ્રમાણે ધર્મદેશના આપી.
तक्रादिव नवनीतम् पंकादिव पद्मममृतं जलधेः । मुक्ताफलमिववंशात् धर्मः सारं मनुष्यभवात् ॥ १ ॥ संसारे मानुष्यं सारं मानुष्यके च कोलीन्यम् । कौलीन्ये धर्मित्वं धर्मित्वे चापि सदयत्वम् ॥ २ ॥
છાશમાંથી જેમ માખણ સાર છે, કાદવમાંથી જેમ કમળ સાર છે સમુદ્રમાંથી જેમ અમૃત સાર છે, અને વાંસમાંથી જેમ મુક્તાફળ સાર છે, તેમ મનુષ્ય ભવમાંથી ધર્મ સાર છે. સંસારમાં સાર મનુષ્યપણું છે, મનુષ્યપણામાં કુળવાપણું સાર છે, કુળ વાનપણામાં ધર્મી પણ સાર છે, અને ધમપણામાં દયાળુપણું સાર છે.
આ પ્રમાણે દેશના આપી; પછી રાજા નરદેવે વિનયથી પુછયું, સ્વામી ! આ મંત્રી ચંદનને કયાં કર્મથી અશોકથી વિયોગ થશે, અને પાછો કયા ધર્મથી યોગ થયો ? તે કૃપા કરી જણાવે. પછી કૃપાળુ મુનિવર નીચે પ્રમાણે છેલ્લા –
કદિ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, મેપર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ થઈ ૪૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org