________________
૩૮૬
આનંદ મંદિર,
જાય, અને કમળ પર્વતની શિલા ઉપર ઉગે, તે પણ ભાવી કર્મની રેખા ફરતી નથી. પર્વે તના શિખર ઉપર જાઓ, સમુદ્રનું ઉલ્લંઘન કરીને પાતાળમાં જાઓ, તોપણ વિધિએ લલાટમાં જે લખ્યું હોય, તે થાય છે; રાજાથી કાંઈ થતું નથી. સુખ દુઃખ કરવામાં પિતા શિવાય બીજું કોઈ કારણ નથી. જે સુકૃત તથા દુષ્કતને કરનાર આત્મા છે, તેજ તેમાં કારણ છે. કોટી કલ્પ પણ કરેલાં શુભાશુભ કર્મને ભોગવ્યા વિના છુટકે નથી, માટે કરેલાં શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવા પડે છે. કર્મને માટે લૈકિક શાસ્ત્રમાં એક નીચેનો લોક લખે છે –
ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्मांडभांडोदरेविष्णुर्येन दशावतारगहने क्षिप्तः पुनः संकटे । रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितःसूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥१॥
જે કમેં આ બ્રહ્માંડરૂપ પાત્રને બનાવવામાં બ્રહ્માને કુંભારની જેમ કબજે કર્યો છે, જે કમેં વિષ્ણુને દશ અવતાર લેવાના સંકટમાં નાખે, જે કર્મ શંકરને હાથમાં ખોપરી લઈ ભિક્ષા માગવાને ફેરવ્યો, અને જે કર્મથી સૂર્ય ગગનમાં ભમ્યા કરે છે, તેવાં કર્મને નમસ્કાર છે.”
આ પ્રમાણે દેશના આપી જ્ઞાનસૂરિએ મંત્રી ચંદન શેઠના પૂર્વ ભવની વાત જ. ણાવી. મંત્રીશ્વર ! આથી ત્રીજે ભવે તું સુલસ નામે શેઠ હતો, અને આ અશકા કઈ કુળપુત્રની ભદ્રા નામે કન્યા હતી. સુલસ અને ભદ્રા બન્ને પરણ્યાં, તે અવસ્થામાં તેને મણે વિયોગ નિમિત્તનું કર્મ બાંધ્યું હતું, તેથી સુલસને ભદ્રાની સાથે ચોવીશ વર્ષને વિયોગ થયો હતો.
એક વખતે કોઈ પુરૂષ કુવામાં પડી ડુબતો હતો, તે વખતે સુસ ફરતો ફરતે ત્યાં આવી ચડ્યો. તે પુરૂષને ડુબતે જોઈ સુલસના હૃદયમાં દયા ઉપજી; તરતજ તેણે દેરી નાંખી તે માણસને કુવામાંથી બહાર કાઢયે. આ પ્રયોગથી તેણે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. પછી સુલસે પિતાની સ્ત્રી ભદ્રાની સાથે રહી, પાંચસે અબેલ કર્યા હતાં. અબેલ તપના મહાન પ્રભાવથી તેઓએ પ્રભાવિક પુણ્ય ઉપાર્જન કર્યું. દૈવયોગે તે બન્ને કાળધર્મને પ્રાપ્ત થયાં. પુણ્યના સર્વોત્તમ પ્રભાવથી તેઓ બન્ને દેવકમાં ગયાં, દેવલોકનું સુખ સંપાદન કરી ત્યાંથી આવીને સુલસને જીવ આ ચંદન થયું છે, અને ભદ્રાને જીવ આ અશોકથી થયો છે. પૂર્વ ભવના સંબંધથી અશકશ્રી રાજપુત્રી છતાં, આ ચંદન શેઠને વરી છે. પૂર્વનાં અવશેષ રહેલાં બીજાં કર્મને લઈને આ ચંદન અને અશોકગ્રીને વિગ રહ્યા હતા. જે પુરૂષને તેણે કુવામાંથી બાહર કાઢયો હતો, તેણે ઘણી તપસ્યા કરી હતી, તેથી તે મૃત્યુ પામીને આ નરદેવ રાજા થયો છે. પૂર્વના ઉપકારને લઈને તેની ચંદનની સાથે મૈત્રી થઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org