SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ આનંદ મંદિર વિજયને સૂચવનારાં વાજિના ધ્વનિઓથી વનભૂમિને ગાવતાં તેઓ આમ ણિભૂષણ વનમાં આવ્યાં હતાં, ત્યાં તેમણે વનચરના મુખથી સાભળ્યું કે, અહીં ધર્મ છે આચાર્ય આવેલા છે. આ ખબર જાણી શ્રીચંદ્ર અને વિદ્યાધરોને સાથે લઈ બીજા સર્વ પરિવારથી વીંટાઇને અહીં આચાર્ય વંદના કરવા આવે છે. આટલું જાણી હવે વાંચનારના હદય ઉપર સારું અજવાળું પડયું હશે. આ સમયે પૃથ્વી ઉપર ધર્મઘોષ મુનિ ઘણુ પ્રખ્યાત આચાર્ય હતા. તેમણે પોતાના ઉત્કૃષ્ટ કૃતજ્ઞાનથી છતર મતના વાદીઓને પરાભૂત કર્યા હતા. તેમને ઘણા રાજાઓ મોટા આડંબરથી વાંદવાને આવતા હતા. શ્રીચંદ્ર, મણિ ચૂડ, અને રત્નચૂડ વિગેરે બધો પરિવાર આચાર્યની સન્મુખ વિનયથી બેઠે, તે વખતે સુગ્રીવ વિગેરે વિદ્યાધરો પણ તેમને વંદના કરવાને આવ્યા હતા. સર્વ સમાજમાં પ્રતાપી શ્રીચંદ્ર નાયકરૂપે દેખાતો હતો. ગુરૂના મુખની ઉપદેશ વાણી સાંભળવાને તે ઇતે જારી રાખી રહ્યા હતા. ઉપકારી આચાર્ય મહારાજ સકળ સમાજને શ્રવણમાં ઉત્સુક જોઈ, અતિ, પ્રસન્ન થયા. તેમની દ્રષ્ટિ શ્રીચંદ્રની ઉપર પડતાં તેમણે જાણ્યું કે, આ પુરૂષ પુણ્યનો રાશિ છે. દેશના સાંભળવામાં જે બુદ્ધિના આઠ ગુણ કહેલા છે, તે બધા આ ધર્મવીર પુરૂષમાં દેખાઈ આવે છે. શુશ્રુષા શ્રવણ, પ્રહણ, ધારણા, ઉહ, અપહ, વિચાર અને અર્થશાન, એ બુદ્ધિના આઠ ગુણ કહેવાય છે. ગુરૂની સેવા અથવા સાંભળવાની ઇચ્છા તે શુશ્રુષા કહેવાય છે. સાંભળવું અને સાંભળેલું ગ્રહણ કરવું તે ગ્રહણ, જે ગ્રહણ કરેલું હોય તેને ધારવું, તે ધારણું. તેને તર્ક કરી નિશ્ચય કરવો તે ઉહા. સાંભળતાં નેત્રની કઈ ચેષ્ટા કરવી તે અપહ, સાંભળેલાને વિચાર કરવો તે વિચાર, અને કહેલા અર્થનું જાણવું તે અર્થ. જ્ઞાન, આ બુદ્ધિના આઠ ગુણ ગુરૂએ શ્રીચંદ્રમાં જોયા હતા. આચાર્યે પ્રસન્ન હદયથી દેશના આરંભ કર્યો. પ્રથમ તેઓ તપસ્યાના પ્રભાવનું વર્ણન કરવાને નીચેને બ્લેક બોલ્યા न नीचैर्जन्मस्यात्प्रभवति न रोग व्यतिकरोनचाप्यज्ञानत्वं विलसति न दारिद्यलसितम् । पराभूतिर्नस्यात् किमपि न दुरापंकिलयतस्तदेवेष्टमाप्तौ कुरुत निजशक्त्यापि सुतपः ॥१॥ હે ભવિ પ્રાણીઓ ! તમે તમારી શક્તિ પ્રમાણે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિને માટે તપ કરો. જે તપના પ્રભાવથી નીચ કુળમાં જન્મ થતું નથી, રેણ ઉત્પન્ન થતો નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy