________________
શ્રી ધર્મધાષ મુનિ.
૩૮૧
ધર્મધ્યેાષ નામે એક જ્ઞાની મુનિ આવી ચડ્યા છે, તેમને વાંદાને મણિચૂડ અને રત્નચૂ વિદ્યાધર તથા શ્રીચદ્રકુમાર આવી ચડેલા છે; એ ત્રણ પુરૂષની સાથે બીજો ધણા રિવાર છે. શ્રીચંદ્ર પોતાના સઘળાં રાજકુટુંબની સાથે છે. ગયા પ્રકરણમાં આપણે શ્રીચંદ્રને દીપશિખા નગરીમાં મુક્યા હતા, ત્યાંથી અહીં શી રીતે આવ્યા ? તે જાણવાની વાંચનારને ઉત્કંઠા થાય. એ સ્વાભાવિક છે.
શ્રીચદ્રકુમાર પોતાના મેથળની રાજધાનીમાં ઘણા દિવસ રહ્યા હતા. ચંદ્રકળાના વિવાહ નિમિત્તે સંકલ્પ કરેલી કેટલીએક લગ્નની ભેટ દીપચંદ્ર રાજાએ પેાતાના ભાણેજને અર્પણ કરી હતી, તે પછી તેજ સ્થળે શ્રીદ્રે કનકદત્તની પુત્રી રૂપવતીનું પાણિગ્રહણ કર્યું હતું. આ સદ્ગુણી સુંદરીએ પેાતાના પવિત્ર પ્રેમ નામ ઠામ સહિત ગેાખમાંથી પત્રિકા નાખીને જણાવ્યા હતા. મેાશાની રાજધાનીમાં ધણા દિવસ રહીને શ્રીચંદ્ર પા પાતાની રાજધાની કુશસ્થળામાં આવ્યા હતા. કુરાસ્થળીની પ્રજાએ પોતાના યુવરાજનાં દર્શન કરવાને માટે ઘણા ઉત્સાહ દર્શાવ્યા હતા. કુશસ્થળી નગરી યુવરાજના જયધ્વનિથી ગાજી ઉઠી હતી, નવરગિત ધ્વજાઓથી, રત્ન તથા કનકના કળશેાથી અને તેારણની શ્રેણીઓથી નગરીને ઘણી રાગારવામાં આવી હતી, શેરીએ શેરીએ અટારી ઉપર ચડેલી શ્રૃંગાર ધારી સુંદરીઓ પોતાના યુવાન રાજાને વધાવા ઉભી હતી, વાજિંત્રાના નાદના પ્રતિનીએથી નભોમંડળ ગાજી રહ્યું હતું, મહારાજા પ્રતાપસિદ્ધ અને યુવરાજ શ્રીચક્રના મેળાપ ોઇ, પ્રજાના નયનમાંથી હર્ષાશ્રુની ધારાઓ ચાલતી હતી. આ સમયની પ્રજાની રાજભક્તિ, પ્રજાના હૃદયને પ્રેમ અને પ્રજાની ઉત્તમ વાદારી અલૈાકિક હતી. બાળકથી તે વૃદ્ધ સુધીના તમામ પ્રજાવર્ગ અને સેવકવર્ગ આનદસાગરની તરગમાળામાં ઉછળતા હતા.
આવી રીતે પોતાની રાજધાની કુશસ્થળામાં શ્રીચંદ્રકુમાર આવ્યા હતા, ત્યાં પ્રથમજ કારાગૃહમાં બધીવાત્ થઇ પડેલા પોતાના અજય, વિજય વિગેરેને તેણે છે।ડાવ્યા હતા. જય, વિજય પોતાના બંને ઉપકાર માની પિતને ચરણે લાગ્યા હતા. આ કાર્ય કરવાથી શ્રીચંદ્રની સત્કર્ત્તમાં મોટા વધારા થયા હતા, અને તેના દયાળુતાના ખુલ્લા દિલથી વખાણ કરવામાં આવ્યાં હતાં.
આ અરસામાં વિદ્યાધર મણિચૂડ અને રત્નચૂડ, કે જેઓ મેરૂ પર્વત ઉપર વિદ્યા સાધવાને ગયા હતા, તે પેાતાના પાતાળ નગરમાં આવ્યા, ત્યાં તેમણે ખબર સાંભળ્યા કે, કુશસ્થળીના યુવરાજ શ્રીચંદ્રકુમાર પોતાની રાજકન્યાને પરણી ગયા. આવા ખબર સાંભળી તે ધણા હર્ષે પામ્યા, અને તરતજ શ્રીચંદ્રને મળવાને વિમાનમાં બેસી કુશસ્થળપુરીમાં આવ્યા. ત્યાં આવી તેમણે પોતાની ઓળખ આપી, અને શત્રુને જીતવામાં સહાય કરવાને શ્રીચંદ્રની પ્રાર્થના કરી. જેણે તે કાર્ય કરવાનું વચન આપ્યું હતુ, એવે શ્રી પાતાનું વચન સત્ય કરવાને પોતાનાં અને માતાપિતા અને બધી પત્નીઓના પરીવાર લઇ વિમાનમાં બેસી પાતાળ નગરમાં ગયા હતા. ત્યાં આવી યુદ્ધની સામગ્રી લઇ, બધાં વૈતાઢય પર્વત ઉપર ગયાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org