SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ આનંદ મંદિર, પ્રકરણ ૬૭ મું. શ્રી ધર્મષ યુનિ. પિ , Sી ગર ક સુંદર વન હતું, વિવિધ જાતનાં વૃક્ષોની શ્રેણીથી ઘણું રમણીય લા ગતું હતું, કોકિલ, મયૂર, શુક, સારિકા અને બીજાં મધુરભાષી પક્ષીઓના છા શબ્દોથી શ્રવણેદ્રિયને તે આનંદ આપતું હતું, સ્થળે સ્થળે તાપસીનાં LASછે આથમે જોવામાં આવતાં હતાં, મુનિઓના સંચારથી ત્યાં રહેલાં વિરોધી પ્રાણીઓ પિતાપિતાનાં વરને છોડી દેતાં હતાં, સિંહણ મૃગનાં બચ્ચાંને ધવરાવતી હતી, મારી મૂષકના શરીરને પ્રેમથી ચાટતી હતી, મયૂર અને સર્પ પરસ્પર આનંદથી ક્રીડા કરતાં હતાં, પેન પક્ષીની સાથે ચકલાં રમતાં હતાં, અને શીકારી શ્વાન સસલાંને પંપાળતા હતા. આવા મનહર ઉદ્યાનમાં એક મહા મુનિ આવી, પ્રાસક સ્થળે ઉતર્યા હતા. તે દયાળુ અનગાર શાંત થઈ, મુનિ ધર્મની ક્રિયા આચરતા હતા, પ્રતિલેખના અને કાર્યોત્સર્ગ કરી, તેઓ પરમાત્માને ચિંતવતા હતા. તેમણે મુનિવેષ ધારણ કર્યો હતો, તથાપિ તેમના શરીરની શોભા અનુપમ હતી, વિશાળ લલાટ ઉપર ધર્મતેજ ચળકતું હતું, પ્રત્યેક અંગ તથા ઉપાંગનું સૌંદર્ય ઉત્તમ પ્રકારનું હતું, મુખ ઉપર કરૂણાનાં કિરણો પ્રકાશી રહ્યાં હતાં, મૃદુ હાસ્યની સાથે શાંતિનું સ્વરૂપ જણાતું હતું, તેમનું શાંતિમય સ્વરૂપ જોઈ, પ્રેક્ષકોના હૃદયમાં શાંતિની સુધા પ્રસરતી હતી. આ વખતે ત્રણ પુરૂષો મોટા પરિવાર સાથે ત્યાં આવતા હતા, તેમનાં હૃદય મુનિનાં દર્શન કરવાને ઉત્કંઠિત હતાં, મેટા આડંબરથી તેઓ મુનિના વાસસ્થળ પાસે આવ્યા. તે ત્રણ પુરૂષ સર્વના નાયક થઈ આગળ આવ્યા. તેઓએ પગ અભિગમ સાચવી, સચિત્ત દ્રવ્યનો ત્યાગ કર્યો. અચત્તને સ્વીકાર કર્યો, અને મનની એકાગ્રતા કરી, ગુરૂનું દર્શન થતાં જ તેમણે ઉત્તરાસંગ કરી, અ જલિ જેડી, છત્ર, ખ, મુગટ, ઉપાહ અને ચામર, એ રાજચિહને ત્યાગ કર્યો. પછી ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી, બે ખમાસણાં આપ્યાં, અને મુખથી ઈચ્છાકાર એ મંત્રનો ઉચ્ચાર કર્યો. તેમની પછી પરિવારના બીજા લેકેએ પણ ગુરૂને વંદના કરી. સર્વ સમાજ ગુરૂની સન્મુખ ધર્મવાણી સાંભળવાની ઈચ્છા રાખી તત્પર થઈ રહ્યા, સર્વે યોગ્ય સ્થાને બેઠા. | વાંચનારને હૃદયમાં શંકા થઈ હશે કે, એ ઉઘાન કર્યું હશે ? તે મુનિ કેણિ હશે ? અને તેમને વાંદવાને મોટા પરિવાર સાથે આવેલા ત્રણ પુરૂષે પણ કેણ હશે ? આ ઉદ્યાન તે વૈતાઢય ગિરિ પર આવેલું મણિભૂષણ નામે વન છે, તેની અંદર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy