________________
ગુણચ’દને જાતિસ્મરણ.
૩૯૭
છે. અગાઉ તેના સાંભળવામાં આવેલ કે, પેાતાનેા જામાતા શ્રીયદ્ર, રાજપુત્રી ચંદ્રકળાને સાથે લઇ વિદેશ ગયેલ છે, તે હજી સુધી આવેલ નથી. ત્યારથી કાઇ કાઈ વાર તેના મનમાં તે વિષેની ચિંતા થતી હતી, પણ આજે શુભ શુકન થવાથી તેને ક્ષણમાં હર્ષે, અને ક્ષણમાં ચિંતા થાય છે. આજ વખતે એક દૂતે આવી ખબર આપ્યા કે, “ સિંહુપુરના સીમ ડામાં શ્રીચંદ્રકુમાર પોતાના રાજકુટુંબની સાથે આવેલ છે, '' અમૃતના સિચન જેવા આ શબ્દો સાંભળી શુભમાંગ રાજાને ઘણાજ આન ંદ થઈ ગયેા. મનવાંછિત સફળ થવાથી તેની મનોવૃત્તિમાં શુભ નિમિત્તને માટે મોટા વિશ્વાસ ઉત્પન્ન થયા, તે સાથે આર્હુત ધર્મ ઉપર વિશેષ શ્રદ્ધા ઉત્પન્ન થઇ. તરતજ પોતે સિંહાસન ઉપરથી ખેડા થયા, અને મંત્રીઓને તેના પુરપ્રવેશને ઉત્સવ કરવાની આજ્ઞા આપી.
રાજાની આજ્ઞાથી તત્કાળ સિંહપુરને શણુગારવામાં આવ્યું. ધ્વજા, પતાકા, અને તોરણની શોભાથી સર્વ નગરને અલંકૃત કરવામાં આવ્યું. વિવિધ જાતનાં વાજિંત્રાના નાદથી શુભગાંગ રાજાના દરબારમાં ભારે ગર્જના થઇ રહી. ઘેાડા, હાથી, રથ, અને પેદલ સાથે મેટી સ્વારી તૈયાર થઇ. રાજ્યની રીયાસતથી સામૈયાની શાલા દિવ્ય બની રહી.
રાજા શુભગાંગ મોટા ઠાઠમાઢથી સિંહપુરના સીમાડામાં સામે આવ્યે. પ્રેમથી ભરપૂર હૃદયે પોતાના જામાતા શ્રીયદ્રને મળ્યા, રાજકુમારી ચંદ્રકળાને જોઇ નેત્રમાંથી હર્ષમાં અશ્રુની ધારા ચાલી. જો કે ચદ્રકળા બાળવયથી પોતાના મેાશાળમાં ઉછરી હતી, તથાપિ તેના પિતા શુભગાંગ રાજાની તેણીની ઉપર ઘણી પ્રીતિ હતી. ચંદ્રકળા પિતાને મળવાથી ઘણીજ ખુશી થઈ, તેણીએ પેાતાનાં પૂજ્ય સાસુ સૂયૅવતીનેા હૃદયથી ઉપકાર માન્યા. કારણ કે સૂર્યવતીની પ્રેરણાથીજ શ્રીચંદ્ર સિ ંહપુરમાં આબ્યા હતા. રાજા શુભગોંગ પુત્રીને મળ્યા પછી તરતજ સૂયૅવતીને મળ્યા, અને કુશળ સમાચાર પુછ્યા. અંતઃપુરના સર્વ પરિવાર આવી ચંદ્રકળાને પ્રેમપૂર્વક મળ્યા. રાજકુમારીને પૂર્ણ સૈાભાગ્યવાળી જોઇ, સર્વેએ મળીને અભિનંદન આપ્યું. સર્વને પરસ્પર મેળાપ થયા પછી તે સ્વારી મેટી ધામધુમ સાથે નગરમાં આવી. શ્રીચદ્રકુમાર અને રાજકુમારી ચંદ્રકળાને સિ'હપુરની પ્રજાએ વધાવી લીધાં. પ્રજાજનનાં નેત્રને ઉત્સવ આપતી, તે સ્વારી રાજદ્વારમાં આવી પહોંચી.
આ પ્રસગે એક ચમત્કારી બનાવ અન્યા. જેવામાં સ્વારી રાજદ્વાર આગળ આવી, ત્યાં ગુણચંદ્રને મૂા થઇ આવી. તત્કાળ તેનુ શરીર રથમાંજ ઢળી પડયું. શ્રીચંદ્ર તે જોઇ ચમકી ગયા, તેને સાવધાન કરવાનાં સાધના લેવાને સેવકૈાની દોડાદોડ થઇ પડી. રાજા શુભગોંગ પણ ત્યાં દોડી આવ્યા; તેજ ક્ષણે સૂર્યવતી અને ચંદ્રકળાની સાથે ખેડેલી કમળશ્રીને પણ ત્યાંજ મૂર્છા આવી. એ ખબર પણ શ્રીચંદ્રના જાણવામાં આવ્યા. તત્કાળ તે બંને સ્ત્રી પુરૂષને રાજમદિરમાં લઇ જવામાં આવ્યાં. મૂર્છાના ઉપચાર કર્યા પછી ક્ષણવારે બંને સાવધાન થયાં. કૃપાળુ રાજકુમાર શ્રીચ ંદ્રે ગુણુદ્રને પુછ્યુ, મિત્ર ! આ
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org