________________
૩૭૬
* આનંદ મંદિર, સેનાનાણું, રૂપાનાણું, અને તાંબાનાણું પણ શ્રીચંદ્ર એ નગરમાં ચલાવ્યું હતું. પ્રતાપની દ્રવ્ય મૂર્તિને ચિરકાળ રાખવા એ મુદ્રાની અંદર તેની પ્રતિમા સાથે રાજચિહને સ્થાપિત કરવામાં આવ્યું હતું.
આ અરસામાં કટક દ્વીપમાંથી સૂર્યપ્રભ રાજાની સાથે નવ રાજકન્યાઓ પાંચસો વાહાણ સહિત ત્યાં આવી હતી, જે રાજકન્યાઓમાં કનકસેના મુખ્ય હતી. સુર્યપ્રત્યે ઘણી સમૃદ્ધિ સાથે તે રાજકન્યાઓ શ્રીચંદ્રને અર્પણ કરી અને તેમને પૂર્વ સંબંધ સર્વની સમક્ષ જાહેર કર્યો; આથી પિતાના પુત્રના પુણ્યની મહાન સમૃદ્ધિ જોઈ, પ્રતાપસિંહના આનંદમાં મોટે વધારો થયો, અને તેણે સાનંદાશ્ચર્ય થઈ, પોતાના નિર્મળ હૃદયથી પ્રિય કુમારને અભિનંદન આપ્યું, તેવુંજ અભિનંદન પાળક પિતા લક્ષ્મીદત્ત શેઠે પણ હદયથી અને વચનથી પ્રકાશિત કર્યું.
પ્રકરણ ૬૬ મું..
ગુણચંદ્રને જાતિસ્મરણ
ક સુશોભિત મહેલમાં તેજસ્વી સિંહાસન ઉપર તેજસ્વી પુરૂષ બેઠે છે, તેની પાસે મંત્રી સમાજ રાજકાર્યની વ્યવસ્થા કરે છે, મંત્રીઓ એક પછી એક
રાજકીય કાર્ય વિષે તે પુરૂષને પુછે છે, પણ તેની તરફથી કોઈ પણ સંતોષ' કારક જવાબ મળતો નથી. ક્ષણવાર તે હર્ષના આવેશમાં આવી જાય છે,
વળી ક્ષણમાં ચિંતાતુર રહે છે, આ દેખાવ જોઈ એક શાણા મંત્રીએ પુછ્યું, રાજેદ્ર ! આજે શા વિચારમાં છે ? તમારા મુખકમળ ઉપર ક્ષણે હર્ષનાં અને ક્ષણે શેકનાં ચિન્હ જોવામાં આવે છે, તેનું શું કારણ છે ? સિંહાસન પર બેઠેલા પુરૂષ વિચાર કરી જણાવ્યું, મંત્રીઓ ! બીજું કાંઈ નથી. માત્ર રાજપુત્રીનું સ્મરણ થાય છે, ચિરકાળથી વિમુક્ત થયેલી રાજપુત્રીને મળવાની ઉત્કંઠા થઈ છે. જ્યારથી મને તેનું સ્મરણ થવા માંડયું છે, ત્યારથી મારાં દક્ષિણ અંગ ફરકે છે. તેવા શુભ ચિહ જોઈ મને હવે થાય છે, અને જ્યારે તે વાત દુર્લભ માનું છું, ત્યારે પાછી ચિંતા થાય છે, આથી ક્ષણમાં હર્ષ અને ક્ષણમાં ચિંતા થયા કરે છે.
વાંચનારને ભ્રમ પડયો હશે કે, આ સિંહાસન પર બેઠેલે પુરૂષ કોણ હશે ? અને તેની રાજપુત્રી પણ કોણ હશે ? આ સિંહાસન પર બેઠેલે સિંહપુરનો રાજા શુભગાંગ છે, તે ચંદ્રકળાને પિતા થાય છે. પિતાની પુત્રી ચંદ્રકળાનું તેને સ્મરણ થઈ આવ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org