________________
સુહતુ સમાગમ આપ શો વિચાર કરે છે ? એ નિમિત્તિઓ બીજે જ નહીં, પણ આ તમારે પ્રતાપી પુત્ર શ્રીચંદ્રજ હતા. તે સાંભળતાંજ પ્રતાપસિંહ સાનંદાશ્ચર્ય થઈ ગયું. તરતજ તે પ્રમાણુ સહિત બે –વત્સ ! તને જેટલો ધન્યવાદ આપું, તેટલે શેડો છે. આ સંસારમાં માતાપિતા મહાન ઉપકારી ગણાય છે, પણ તેને બદલે આપનારા તારા જેવા થોડા પુત્ર હશે. તેં ખરેખર મહાન ઉપકાર કર્યો છે. તારી માતા અને તારા વિયોગરૂપ અગ્નિથી દગ્ધ થયેલું આ શરીર પુનઃ પ્રત્યક્ષ અગ્નિથી દગ્ધ થવા તૈયાર થયું હતું, તે વખતે તારું આગમન મારા જીવીતનું આગમન થઈ પડ્યું હતું. પણ વત્સ ! મને અતિ આશ્ચર્ય થાય છે કે, તે વખતે તું ક્યાંથી આવે ? પિતાનાં વચન સાંભળી શ્રીચ કે આત્મપ્રશંસા દોષ ન લાગે, તેવી રીતે પિતાને સર્વ વૃત્તાંત જણવ્યો, જે સાંભળી સર્વ સમાજ ચકિત થઇ ગયે.
આ વૃતાંત સાંભળી સૂર્યવતીને વધારે આશ્ચર્ય થયું. પિતાના પુત્રે એ વાર્તા તેણીને સ્પષ્ટ રીતે જણાવી નહતી, તેથી તેના હૃદયમાં અનેક પ્રકારની વિચારમાળા પ્રગટ થવા લાગી, અને તેણીને નિશ્ચય થયું કે, આ જગતમાં આત્મપ્રશંસાના મહાન દોષથી અદૂષિત એ રાજકુમાર શ્રીચંદ્ર એકજ છે. વળી પોતાની તરફ પ્રતાપસિંહને ઉત્તમ પ્રેમ જાણી, તેણીની મનોવૃત્તિમાં વધારે ખુશી ઉત્પન્ન થઈ. દાંપરા પ્રેમને નમુને પિતાના કુટુંબમાં જ રહે છે, એમ તેનું હૃદય સાભિમાન થયું. આ જગતમાં પતિભા સ્ત્રીઓ કદાચ વિશેષ જોવામાં આવે છે, પણ પત્નીભા પુરૂષો કોઈ જવામાં આવતા નથી. એ કહેવત પોતાના પતિ પ્રતાપસિંહે ખોટી પાડી છે. પિતાની પ્રિય પત્નીના વિ
ગથી પ્રાણ ત્યાગ કરવાને તૈયાર થએલા પ્રતાપસિંહ મહારાજા પત્નીભાને એક દ્રષ્ટાંત લેવા લાયક નમુન બન્યા હતા. વૈધવ્યના દુઃખને નહીં સહન કરનારી પતિવ્રતા પ્રેમને વશ થઈ, કાષ્ટ ભક્ષણ કરવાને જેમ તૈયાર થાય છે, તેમ વિધુર અવસ્થાના મેટા દુઃખને નહીં સહન કરનારા પત્નીવ્રતધારી મહારાજા પ્રતાપસિંહ પત્નીના પ્રેમને આધીન થઈ, કાષ્ટ ભક્ષણ કરવાને તૈયાર થયા હતા.
આ પ્રમાણે સર્વને મેળાપ થયા પછી હર્ષિત થએલા શ્રીચંદ્ર તેજ સ્થળે એ પ્રેમ સ્વરૂપ મેળાપનું સ્મરણ રહેવા માટે મેળકપુર નામે એક નગર વસાવ્યું હતું. વિવિધ વર્ણની પ્રજાઓ મોટી સમૃદ્ધિ સહિત ત્યાં આવીને વસી હતી, તે સિવાય તેનાથી થોડે દૂર સમુદ્રને કાંઠે એક બીજું નગર પણ વસાવ્યું હતું. પિતાના પિતાના નામથી તે નગરનું નામ પ્રતાપપુર રાખ્યું હતું. મોટી મોટી નવરંગિત હવેલીઓથી, અટારીએથી, અને વિમાનના જેવા જિનપ્રાસાદોથી તેને ઘણું સુશોભિત બનાવ્યું હતું. પ્રતાપપુરની રમણીયતા એવી સરસ બનાવી હતી કે, જેને જેવાને વિદેશી પ્રજા ઉ. મંગથી આવતી હતી. પ્રતાપપુરમાં મોટે ભાગે શ્રાવક પ્રજા વસાવેલી હતી. પ્રત્યેક શેરીએ શેરીએ જિન ચૈત્ય આવેલાં હતાં, તે સિવાય બીજા ગ્રહો પણ સ્થાપિત કરવામાં આવ્યાં હતાં, એથી કરીને પ્રતા૫પુર એક જૈન ધર્મની રાજધાની થઈ પડયું હતું. પિતાના નામને ચિરકાળ રાખવાને માટે પ્રતાપપુર વસાવીને તેમની નામ મુદ્રાથી અંકિત કરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org