________________
આનંદ મંદિર.
ચતુર બુદ્ધિના ગુણચન્દ્રે પ્રસ ંગને લઇ રાજા પ્રતાપસિંહુની આગળ શ્રીચ નું મુસારીમાં થયેલું ચમત્કારી ચરિત્ર વિસ્તારથી કહી બતાવ્યું. વિદેશ યાત્રામાં તેણે જે અદ્ભૂત પરાક્રમ, અને પુણ્યનેા પ્રભાવ દર્શાવેલ, તે બધા મિત્ર ગુણક્ય પ્રતાપસિંહની આગળ વર્ણન કરી બતાવ્યા, તે સાંભળી કુશસ્થળાંત ઘણા ખુશી થઇ ગયા. પરાશ્ચમી, અને વિદ્વાન પુત્રની પ્રશંસા સાંભળી કયા પિતા ખુશી ન થાય? સત્પુત્રનાં સુચ્ચરિત્રા જાણી, વિદ્વાન પિતા પેાતાના જન્મની કૃતાર્થતાજ માને છે, જેના પુત્રનું નિષ્કલ’ક, પરાક્રમ ભરેલું અને નીતિથી નિર્મળ ચરિત્ર હાય, તો તેવા પિતાનું જીવિત સાર્થક છે, તેવા પુત્રથીજ પિતા ખરેખર પુત્રવાન છે.
૩૭૪
પ્રભાવિક પ્રતાપસિંહ, પુત્રની પ્રશંસા ભરેલી ચરિત્ર કથાએ! સાંભળી વાજ ખુશી થયા; તે સાંભળતાં પેાતાને, કુશસ્થળીના રાજકુટુંબને અને કુશસ્થળીની પ્રજાને તે પુણ્યવાન તથા ભાગ્યશાળી માનવા લાગ્યા. પુત્રના ઉત્કર્ષ સાંભળી તેની મનેવૃત્તિમાં શ્રેણીજ ઉત્તમ પ્રકારની અસર થઇ આવી; તે પ્રસગે તેને નીચેનું મહાવાક્ય યાદ આવ્યું:—
" सर्वत्र जयमन्विच्छेत्पुत्राच्छिष्यात्पराजयम् ।
??
“ સર્વ સ્થળે જય પ્રુષ્ઠવા, પણ પુત્રથી અને શિષ્યથી પરાજય ઈચ્છવે.
પ્રતાપસિંહે પ્રેમ પૂર્વક પુછ્યું, વત્સ ! તારા સમાગમને માટે એક અવધૂત નિમિત્તિયાના હું ઘણાજ આભારી છું. એ મહાત્માએ મને ખરેખરૂં જીવિતદાન આપેલું છે; તે સાથે યોગવિદ્યાને ઉપદેશ આપી, મારા જીવનને સુધાર્યું છે. તેનું સ્મરણ કરતાં મને ઘણેાજ સેાસ થાય છે, તે મહાશયના ઉપકારના બદલા હું જરા પણ વાળી શક્યા નથી. મેં તેમને ધણી વિનતિ કરી, ઘણી પ્રાર્થના કરી, અને ઘણી આજીજી કરી, પણ તે નિઃસ્પૃહ મહાત્માએ મારા તરફની કાંઇ પણ ઇચ્છા રાખી નહીં. તેના જેવા નિઃસ્પૃહ અને પરોપકારી મહાત્મા ભાગ્યેજ જોવામાં આવે છે. તેવા ઉપકારશીળ મહાત્માથીજ આ પૃથ્વી રત્નગભા છે. ચિતાગ્નિમાં ભસ્મ થવાને તૈયાર થયેલા મારા આત્માને તેણે અચાનક આવી બચાવ્યા હતા.
Jain Education International
,
પિતાનાં આ વચન સાંભળી, શ્રીચદ્ર હૃદયમાં તે વાત જાણી ગયા હતા, તથાપિ એ વાતને પ્રકાશિત કરવાને તેણે પિતાને પુનઃ પ્રશ્ન કર્યા. પવિત્ર પિતાજી ! એ મહાત્મા કયાં ગયા, અને તેણે કેવી રીતે તમારા ઉપકાર કર્યા ? એ બધા વૃત્તાંત કૃપા કરી કહે.. પુત્રના વચન ઉપરથી પ્રતાપસિ ંહે તે બધી વાત વિસ્તારથી કહી સંભળાવી. સમગ્ર વૃત્તાંત સાંભળ્યા પછી શ્રીચંદ્ર વિનયથી ખેલ્યા—પિતાજી ! એ ચમત્કારી નિમિત્તિએ તમારા ધરનેાજ માણસ હતા. તેણે કરેલા ઉપકાર તમારા ઉપકારની આગળ કાંઇપણ ખીસાતમાં નથી. તે વિષે હવે વધારે કહેવાની ઈચ્છા થતી નથી, એટલુંજ બસ છે. શ્રીચંદ્રનાં વચન સાંભળી પ્રતાપસિ ંહ વિચારમાં પડયા. ત્યાં ચતુર ગુણચંદ્રે વિનયથી જણાવ્યું, સ્વામી !
For Personal & Private Use Only
www.jainelibrary.org