________________
મુત્ સમાગમ,
૩૭૩
આ પ્રમાણે મેળાપને મહેસવ થઇ રહ્યા હતા, તેવામાં એક તેજસ્વી બાળક શ્રીચદ્રની પાસે આવી ઉભેા રહ્યા. સિ ંહના શિશુ જેવા એ ખાળકે વિનયથી પ્રતાપસિંહને પ્રણામ કર્યા. તેની તેજસ્વી, અને વિક્રાંત મૂર્તિ જોઇ, પ્રતાપસિદ્ધ વિચારમાં પડયા, આવું તેજસ્વી બાળક કેાનું હશે ? તેની આકૃતિ ઉપર ક્ષાત્ર ધર્મનાં સર્વે ચિન્હો પ્રકાશી રહ્યાં છે, બાળ આકૃતિ છતાં તેમાં પ્રચંડતા દેખાય છે, કમળના જેવાં વિશાળ નેત્રામાં કરૂણા, અને વીર, બન્ને રસ વાસ કરીને રહ્યા હોય, તેમ જણાય છે. પ્રતાપસિંહુની આા શ ંકા તેના નેત્ર વિકારથી ચતુર શ્રીચકે જાણી લીધી. તત્કાળ તે વિનયથી અજલિ બેડી ખેલ્યા, પિતાજી ! આપના હૃદય પ્રેમનું સ્થાન જેવી રીતે હું છું, તેવીજ રીતે આ બાળક પણ તેના અધિકારી છે. જેવી રીતે તમારૂં પુત્રવાત્સલ્ય મારી તરફ વિકાશિત છે, તેવી રીતે આ બાળક તર પશુ વિકાશિત થવાને યેાગ્ય છે. શ્રીચંદ્રનાં આવાં હેતુગાર્ભત વચન સાંસળી પ્રતાપસિંહું જાણી ગયા. પેાતાની રાણી સૂર્યવતી સગભાવસ્થાએ બાહેર ગયેલ, એ વાત તેને યાદ આવી, તરતજ તેને નિશ્ચય થયા કે, આ કુમાર તે પેાતાનેાજ કુમાર છે, તે શ્રીચદ્રના સહાદર બધુ છે. તરતજ તેના હૃદયમાં વાત્સલ્ય રસ ઉત્પન્ન થઇ આવ્યે. પુત્ર વરવીરને પોતાના હૃદયની સાથે દાખ્યા, તેના ક્રમળ મસ્તકપર હર્ષાશ્રુની ધારાથી સિ ંચન કર્યું.
આજ પ્રસગે એક માટા હર્ષનું બીજું કારણ ઉત્પન્ન થયું. શ્રીચંદ્રનાં પાળક, અને પોષક માતા પિતા શેઠ લક્ષ્મીદત્ત, અને લક્ષ્મીવતી રત્નપુરથી ત્યાં આવ્યાં હતાં. રાજા પ્રતાપસિંહે શ્રીચંદ્રના આવવાના ખબર તેમને આપ્યા હતા. તેમને ઉમંગથી આવતા જોઇ શ્રીચક્રને ધણેાજ આન ંદ ઉત્પન્ન થયા. પેાતાનાં ઉપકારી માતાપિતાનાં દર્શન થતાંજ શ્રી તેમની સન્મુખ દેડી આવ્યો, અને તે માતાપિતાના ચરણમાં દંડવત્ નમી પડયા. શેઠે લક્ષ્મીચકે અંતરંગ પ્રેમથી તેને આલિંગન કર્યું. ચિરકાળના વિયાગરૂપ અમિથી દગ્ધ થયેલા હૃદયને પુત્ર અંગના સ્પર્શ સુખથી શાંત કર્યું. માતા લક્ષ્મીવતીએ પુત્રનાં ઓવારણાં લઇ નેત્રમાંથી આન ́દાશ્રુ પાડ્યાં. પરસ્પર કુશળવાત્તા પુછી હૃદયકમળને પૂર્ણ આશ્વાસન આપ્યું.
તે પછી શ્રીચંદ્રકુમારની વિવાહીત પત્નીએ આવી પૂજ્ય વડીલ શ્રી પ્રતાપસિંહને, લક્ષ્મીદત્ત શેઠને તથા લક્ષ્મીવતીને નમન કર્યું. ડિલ વર્ષે પુત્રવધૂને ઉમ’ગથી આશિષ આપી. શ્રીચંદ્રના પુનઃ સમાગમથી રાજી થયેલા મંત્રીઓ, અધિકારી તથા કુરશસ્થળીપુરીના આગેવાનો રાજકુમારને પ્રેમથી મળ્યા. વિનય અને વિવેકથી તેમણે પરસ્પર કુશળ સમાચાર પુછ્યા. આ સ્થળે કનકકુંડળ રાજ્યના મંત્રી લક્ષ્મણુ, વામાંગ, વરચંદ્ર, ધન ંજય સેનાપતિ અને મદનપાળ વગેરે આવી શ્રીચંદ્રને પ્રેમથી મળ્યા, તેમની તરફ શ્રીદ્રે પણ પેાતાના અપૂર્વ પ્રેમ દર્શાવ્યો. તેમની અપૂર્વ રાજ્યભક્તિ જોઇ, રાજ કુમારે ઘણી પ્રશ ંસા સાથે તેમને અભિનંદન આપ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org