SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. કૈટલે!ક માર્ગે ઉલ્લંધન કરતાં પ્રતાપસિહની સ્વારી સામી આવતી જોવામાં આવી કુશસ્થળી રાજધાનીની કેટલીએક મહાન સમૃદ્ધિને જોતાંજ શ્રીચંદ્રના નેત્રમાંથી હર્ષાશ્રુની ધારા ચાલી. પોતાના સૈનિકાની પતાકાઓમાં કુશસ્થળીના રાજ્યનાં ચિન્હો જોઈ તેના હુદયમાં ઘણી અસર થઇ ગઇ. જન્મભૂમિના પ્રભાવ અલૈાકિક છે. માણસ ગમે ત્યાં જાય, ગમે ત્યાં જઈ અસંખ્ય ધન મેળવે, મહાન સમૃદ્ધિ સ ંપાદન કરે, કર્ત્તના કેટ ઉભા કરે, પૂર્વ સન્માન સોંપાદન કરે, અદ્ભુત પરાક્રમ દર્શાવે, લેાકાને ચકિત કરી દે, અને જયધ્વ નિયા ગગનને ગજાવી મુકે, તથાપિ તેને પોતાની જન્મભૂમિ કદિપણ વિસ્તૃત થતી નથી. જ્યારે જન્મભૂમિ કે, તેના દેખાવાનાં દર્શન થાય, ત્યારે તેના હ્રદયમાં અલાકિક આનંદ પ્રગટ થઇ આવે છે. જન્મભૂમિનું વાત્સલ્ય દિવ્યતાને ધારણ કરે છે. જ્યાં તાનું ભાલવય નિર્ગમન થયું હોય, જ્યાં શિશુવયને નિર્દોષ આનંદ અનુ‚બ્જેા હાય, જ્યાં માતા પિતાના સહવાસનું સુખ સ ંપાદિત કર્યું હોય, જ્યાં ત્રિવિધ જાતની બાળક્રીડાએ આચરી હાય, જ્યાં મિત્રમંડળમાં રહીને અદ્ભૂત વિનાદ કરેલા હાય, જ્યાં સમાન વયના મિત્રાની સાથે પાઠશાળા કે જ્ઞાનશાળામાં રહી, ઉત્તમ અભ્યાસ આચર્યું હોય, અને વિદ્યાર્થી અવસ્થાના સ્વતંત્ર મુખ સાથે વિદ્યા વિલાસ અનુભવ્યો હાય, તે જન્મભૂમિનું—બાલ્યવયની ક્રીડાભૂમિનું વિસ્મરણ કાને થાય ! કાને પણ થાયજ નહીં. જન્મભૂમિનું વાત્સલ્ય કેવું પ્રભાવિક છે ? તેને માટે લાકિક શાસ્ત્રમાં વારવાર લખવામાં આવ્યું છે. એક વિદ્વાન્ કવિ નીચેનું પધ લખે છે:-~~ ૩૭૨ '' જનની, જન્મભૂમિ, પાછલી રાત્રિની નિદ્રા, ઇષ્ટ જનને યાગ, અને સારી ગમ્મત-એ પાંચ પ્રાણી માત્રને દુાચ છે, એટલે દુ:ખે મુકી શકાય તેવાં છે. ૧ जननी जन्मभूमिव निद्रा पश्चिमरात्रिजा । इष्टयोगः सुगोष्टी च दुर्मोचा: पंच देहिनाम् ॥ १ ॥ પ્રતાપી પ્રતાપસિંહની સ્વારી નજીક આવી, એટલે રાજકુમાર શ્રીચદ્ર ગજેંદ્ર ઉપરથી નીચે ઉતરી પડયા. પિતાના ચરણમાં ખાવી દંડવત્ પ્રણામ કર્યા. પુત્રનાં દર્શન કરતાંજ પ્રતાપસિંહના હૃદયમાં એટલા બધા આનંદ આવ્યા કે, તેનું વર્ણન સસ્ર જિવ્હાથી પણ થઇ શકે તેમ નથી. તેના નેત્રમાંથી આનંદના અશ્રુને પ્રવાહુ છુટવા લાગ્યો, શરીર રોમાંચિત થઇ ગયું. તરતજ પ્રેમના ઉભરાથી પ્રતાપે પુત્રની ભેટ લીધી. એ ઘડીવાર સુધી પ્રતાપસિંહ પ્રેમ મૂર્છામાં મૂઢ બની ગયા. પુત્રના અંગસ્પર્શથી તેને ક્રિમ આનંદ ઉત્પન્ન થયા, આવી રીતે પિતા, અને પુત્રનું પરસ્પર વાત્સલ્ય જોઇ, બીજા પ્રેક્ષકા પણ ચકિત થઇ ગયા. ક્ષણવાર પછી સૂર્યવતી પણ પોતાના પતિની પાસે આવી સર્વેની સમક્ષ અર્પુટ જણાતા, તેમનેા દાંપત્ય પ્રેમ નહીં ગુપ્ત, અને નહીં પ્રકાશ એમ દેખાયા. સૂયૅવતીએ વિનયથી પેાતાના પતિને પ્રણામ કરી કુશળતા પુછી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy