SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સુત સમાગમ, ૩૭૧ આવ્યાં, પીધશાળાના તપથીઓને ભોજન વસ્ત્રનાં દાન આપવામાં આવ્યાં, અને દિવસના ચારે હિર સુધી દાનશાળાનાં દ્વાર ઉઘાડાં રાખવામાં આવ્યાં. આ પ્રમાણે કુશસ્થળીમાં ધામધૂમ પ્રવર્તી રહી હતી. અહિં પ્રતાપી વીર શ્રીચંદ્ર પિતાના પિતાની રાજધાનીમાં આવતા પહેલાં જે જે રાજાઓના સંબંધમાં પતે જોડાએલ, અને જે જે રાજકન્યાને પોતાના પ્રેમથી અંકિત કરેલ, તે બધાંને તે ઉત્સાહથી મળ્યો હતો. પિતે કહેલાં વચનને સાર્થક કરવા તે ખંતીલે હતો. જે જે પુરૂષ કે સ્ત્રી તેના વચન ઉપર રહેલ, તેને ગમે તે પ્રકારે વચન પૂર્ણ કરવાનો તેને દઢ નિશ્ચય હતો. પિતાના પ્રિય મિત્ર ગુણચંદ્રની પ્રેરણાથી તે પૂર્વે વશ કરેલા ગંધહસ્તીને વશ કરવાને પાછો સુવેગરથમાં બેસી કુંડલપુરમાં ગયો હતો. ઇદ્ર જેમ એરાવત ઉપર બેસે, તેમ તે ગજેંદ્રને બોલાવી તેની પર આરૂઢ થઈ, મહેંદ્રપુરમાં આવ્યો હતો. ત્યાંથી તિલકપુરમાં આવતાં ત્રિલોચન રાજાને મળી તેને સાથે લીધો હતો. તે પછી વસંતપુરમાં જઈ વીરવમને તેણે રાજ્ય આપ્યું, અને તે પછી નરવને અતિથિ સત્કાર ગ્રહણ કર્યા હતા. એવી રીતે માર્ગે ઘણું રાજાઓને તેણે એકઠા કર્યા હતા. જે નૃપતિઓએ તેની આજ્ઞા માન્ય કરી, તેવાઓના મનોરથ તેણે પૂરા કર્યા હતા. કેટલાએકને ઇનામ આપ, અને જે ઉન્મત થતા તેમને શિક્ષા આપતા હતા. ગજેકપર સ્વારી કરી તેણે અનેક કાર્યો સિદ્ધ કરી પિતાની ઉલ કીર્તિને ભારતના ક્ષેત્ર ઉપર પ્રસરાવી હતી. પિતાના ગમનથી પવિત્ર થયેલા પ્રદેશમાં તેણે જેવી પિતાની વીરતા દર્શાવી આપી હતી, તેવી જ તેણે ધાર્મિકતા પણ દર્શાવી આપી હતી. આ પ્રમાણે ગજેંદ્રપર સ્વારી કરી તે પાછો તિલપુરમાં આવ્યું. ત્યાં વિશ્રાંત થયેલા શ્રી ચંદ્રને એક દૂતે આવી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામી ! આપના પિતા પ્રતાપસિંહજી આપને મળવાને રત્નપુર આવેલા છે. પુત્રનાં દર્શન કરવાની આતુરતાથી તેઓ પૂર્ણ રીતે ઘેરાએલા છે, તેમની દૃષ્ટિ પુત્રનાં દર્શનારૂપ અમૃતમાં મગ્ન થવાને આતુર બની રહી છે, તેમની ભુજાઓ આપને દઢાલિગન કરી મળવાની ઉત્કંઠા ધારણ કરે છે, તેમની ઘાણ ઈદ્રિય આપના મસ્તકનું આદ્માણ કરવા તત્પર થઈ રહી છે, ચિરકાળના આપના વિરહથી તે અતિ પીડિત છે. દૂતના મુખથી આ ખબર સાંભળતાં જ શ્રીચંદ્ર પિતાના દર્શનમાં ઉત્સુક થઈ ગયો, પિતૃભક્તિના પ્રભાવથી તેના શરીર પર રોમાવળી પ્રગટ થઈ ગઈ, તેના હૃદયમાં આવ્યું કે, આજે મારું અહોભાગ્ય, કે જેથી હું પવિત્ર પિતાનાં દર્શન કરીશ. એ જંગમ તીર્થના ચરણમાં નમન કરી હું મારી પુત્રતાને સર્વ રીતે કૃતાર્થ કરીશ. આજે ચિરકાળ સેવેલે આહત ધર્મ મને સફળ થયે, ચતુર્વિધ પુરૂષાર્થને પૂર્ણ કરનાર મારે. ચતુર્વિધ ધર્મ આજે કલ્પવૃક્ષની જેમ ફળનુખ થશે. આ પ્રમાણે વિચારી શ્રીચંદ્ર તિલ કપુરથી આગળ ચાલ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy