SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ આનંદ મદિર. ઉત્સવ થઇ રહ્યા, અને સર્વ પ્રજા શ્રીદ્રકુમારરૂપ ચંદ્રની શીતળ અને સુધામય છાયાને આશ્રય લેવાના અભિલાષ ધરી આનંદમાં મગ્ન થવા લાગી. પ્રકરણ ૬૫ મું. સુહૃત સમાગમ શસ્થળીમાં આનંદમંગળ વર્ત્તાઇ રહેલ છે, પોતાના રાજકુમારનાં દર્શન કુરવાને પ્રજા, ચંદ્ર ઉપર ચકારની જેમ ચતુર ચેષ્ટા કરે છે, શેરીએ શેરીએ મહામંગળ વત્તાઇ રહ્યા છે, પૂર્ણ કુંભ, વેદિકા, અને તેારણની શોભાથી ગૃહંગણુ દીપી રહ્યાં છે. વિચિત્ર રંગની પતાકાઓની શ્રેણીથી રાજમાર્ગ શેલે છે, નવરંગિત પોશાક ધારણ કરી, નગરજના પ્રત્યેક સ્થાને ક્રૂરે છે, વિવિધ રંગથી સુશેભિત કરેલી અટારીઓમાં તથા અગાશીએ માં પુરરમણીઓ સજ્જ થઇ ઉભી રહેવાની તૈયારી કરે છે, અને પોતાના યુવરાજને પુષ્પાપહાર, સુવર્ણ તથા મેતીએથી વધાવવાને ઉમંગ ધરે છે. વિવિધ જાતનાં વાજિંત્રાના નાદથી ગગનમ`ડળ ગાજી રહ્યું છે, રાજમહેલમાં જાતજાતની રચના કરવામાં આવી છે, નવરંગિત પતાકાઓની શ્રેણીઓથી રાજગૃહને સુોભિત કરવામાં આવ્યું છે, તેાખત, સરણાઇ, ભેરી, અને મૃદંગના શબ્દોના પ્રતિધ્વનિથી રાજમ હેલ ગાજી રહ્યા છે, પવનના પ્રસારથી ચલાયમાન થયેલી ખ્વાએ જાણે પેાતાના યુવરાજને ખેલાવતી હાય, તેમ દેખાય છે, રાજપુરૂષા નવીન પે.ષાક ધારણુ કરી નવીન રાજાને નમન કરવાનેા ઉમંગ ધરી કરે છે, વસ્ત્રાલ કારથી દેદીપ્યમાન દેખાતી દાસીઓ સુંદર શૃંગાર ધારણ કરી, યુવરાજને વધાવવા તૈયાર થાય છે; મહારાજા પ્રતાપસિંહૈં પુત્રનાં દર્શન કરવા ઉત્કંઠિત થઈ ઈટાપાસના કરે છે. આ વખતે નગરચય અને ગૃહુચૈત્યમાં મહાત્સવ પૂર્વક જિનપૂજા ભણાવા લાગી, ઉત્તમ પ્રકારની આંગીએ રચી અને દીપમાળ પૂરી જિનપૂજાની ભક્તિ કરવા માંડી, અટ્ઠાન્ન ઉત્સવ અને જળયાત્રા વિગેરે આર્હત ઉત્સવાના સમારંભ કરવામાં આવ્યા, પેાતાના મનેરથ સિદ્ધ થવાથી પવિત્ર હૃદયના પ્રતાપસિંહૈ દેવભક્તિ, ગુરૂક્તિ, અને ધર્મભક્તિની વૃદ્ધિ કરવા માંડી, એક તરફ લૈાકિક ઉત્સવ અને એક તરફ્ ધાર્મિક ઉત્સવ આરભી, મહારાજાએ આ પ્રસ ંગે દાનધર્મને પ્રભાવ પણ પ્રવત્તાવવા માંડયા. પાત્રદાન, દયાદાન અને કાર્રદાન, એ વિવિધ દાનના પ્રવાહ પ્રવર્ત્તવા લાગ્યા; કવિઓ, વિદ્યાનો, અને ગુણિજનાને મેટાં મેટાં નામ આપવામાં આવ્યાં, દીન, દુઃખી અને નિરાશ્રિત લેાકાના સારા ઉદ્ધાર કરવા માંડયેા, કારાગૃહમાંથી અપરાધીઓને પણ મુક્ત કરવામાં આવ્યા, આ સર્વેથી સાધામૈવાસણ્ય કરવામાં મહારાજાએ માટી ઉદારતા દર્શાવી હતી. જૈન પાઠેશાળાઓમાં ભણતાં શ્રાવક શિશુ અને બાળશ્રાવિકાને સારાં સારાં ઇનામે વહેંચવામાં 2 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy