SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ વધામણી. ૩૬૯ તમે કહે છે તે સત્ય છે. તમે પરોપકારી છે, તમારે આધારે પ્રાણ અર્પણ કરી હું સત્ય કહું છું. લેહબંધના અમે ત્રણ પુત્રો છીએ, વજીપુર, લોહખુર, અને ખુર એવાં અમારાં નામ છે, કુંડળટોળક પર્વતની પાસે આવેલા મહેંદ્રપુરના સીમાડામાં અમે રહીએ છીએ; ચાકળામાં અને પ્રવિણ છીએ, અદશ્ય ગુટિકાથી અમે ચમત્કારી ચોરી કરીએ છીએ, આજે આપના તાબામાં આવી ગયા છીએ, હવેથી આપ અમારા સ્વામી છે, જે યોગ્ય લાગે તે કરો. તે ચોરોની વિનંતીથી શ્રીચંદ્રકુમારને દયા આવી, તત્કાળ તેમને દેહાંત શિક્ષામાંથી મુક્ત કર્યા, અને ધર્મ સંભળાવી પ્રતિબંધિત કર્યા. જે ધર્મના પસાયથી તેઓ દુષ્કર્મથી મુક્ત થયા; તેવા દુરાચારી પણ સદાચારી થઈ ગયા. રાજકુમારની આજ્ઞા લઈને તેઓ હ સાથે મહેંદ્રપુર ગયા. બેસતાં, ઉઠતાં, અને બીજી યોગ્ય ક્રિયાઓ કરતાં તેઓ નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. તેઓ ચારે પર્વણીમાં પિષહ વ્રત કરતા, પાંચ પર્વ જ્ઞાન ભણતા, છ પર્વ તપસ્યા કરતા, અને સાત ક્ષેત્રે ધન વાવતા, અને હમેશાં ત્રિકાળ જિનપૂજા કરતા હતા. શ્રી ચંદ્રકુમારના સંગથી તેઓ સર્વરીતે શુદ્ધ શ્રાવક થઈ ગયા, તેમજ મહેંદ્રપુરનો રાજા પણ ઘણોજ આસ્તિક થઈ ગયો, હે મહારાજા પ્રતાપસિંહજી ! તમારા પુત્રના પ્રભાવથી મહેંદ્રરાજાના હૃદય ઉપર ઘણી અસર થઈ ગઈ. પછી રાજકુમારે સુચના રાજપુત્રીનું વિધિથી પાણીગ્રહણ કર્યું. આ મહોત્સવમાં રાજકુમાર શ્રીચંદ્રની સકીર્તિ ચારે દિશામાં પ્રસરી ગઈ છે. રાજેંદ્ર ! ત્યારપછી મહારાજા શ્રી ચંદ્રકુમારે આપને ખબર આપવા અમોને અહીં મોકલ્યા છે; રાજકુમાર આપનાં પવિત્ર દર્શન કરવાની ઇચછાથી ચાદ રાજાઓની સાથે કુશસ્થળી રાજધાનીમાં હવે આવે છે. તમારા રાજપુત્રે આહત ધર્મના વિજયધ્વનિથી ભારતને ગજાવી મૂકયું છે, પુણ્યના પ્રભાવિક પ્રકાશથી ભારત પ્રજાને અંજાવી નાખી છે. મંત્રીઓના મુખથી આ વૃત્તાંત સાંભળી કુશસ્થળી પતિ ઘણી જ ખુશી થઈ ગયે, તકાળ તેણે મોટા માનની સાથે તે ચારે મંત્રીઓને પિશાક આપે, અને કુશસ્થળીમાં મહોત્સવ કરવાની આજ્ઞા કરી, પોતાના રાજકુમારનાં દર્શનની ઇચ્છાથી પ્રજા અત્યંત આ નંદ પામી ગઈ. બાળકથી તે વૃદ્ધ સુધીને તમામ પ્રજાવર્ગ કુશસ્થળના પાટવી કુમારના આગમનને વધાવવાને તૈયાર થઈ ગયે, કુશસ્થળીપુરી ધ્વજાઓ અને તેરણાથી અલંકૃત થઈ ગઈ, પ્રત્યેક ચત્વરે અને શેરીએ અષ્ટમંગળનાં ચિત્રમય ચિન્હ સ્થાપિત કરવામાં આવ્યાં, અને નવરંગિત આરકાઓ કરી, તેમાં “ શ્રીચંદ્રકુમારને જય” ઈત્યાદિ આશિર્વાદસૂચક મહાવાક્યો લખવામાં આવ્યાં, સૌભાગ્યવતી સુંદરીઓ નવરંગે અલંકૃત થઈ, રાજપુત્રને સુવર્ણ તથા મેતીએ વધાવવાને તૈયારી કરવા લાગી, જૈન પાઠશાળામાં ભણતા વિવા ઓ જિન સ્તુતિ ગાર્ભિત આશિર્વાદનાં વચનના શુદ્ધ ઉચ્ચાર શીખી તૈયાર થવા લાગ્યા, જૈન બાલિકાઓ પિતાના યુવરાજનાં ઓવારણાં લેવા તૈયાર થવા લાગી, ઘેર ઘેર આનંદ ૪૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy