SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ આનંદ મંદિર. શું થયું ? તને અકસ્માત મૂછ કેમ આવી ? આવા મહોત્સવમાં હર્ષ થવાને બદલે મછો થવાનું શું કારણ ? ગુણચંદ્ર સાવધાન થઈ બે –મિત્રવર્ય ! આ નગરની ભૂમિ જોતાં જ મારા હૃદયમાં જુદી જ અસર થઈ ગઈ છે. આ પ્રદેશમાં પૂર્વે હું આવ્યો છું, એવું મને ભાન થઈ આવ્યું, અને તરત જ મારા પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું. પ્રિય મિત્ર ! ખરેખર મને મારા પૂર્વ જન્મનું અહીં સ્મરણ થઈ આવ્યું છે. મારા પૂર્વ જન્મની સ્થિતિ મારી દ્રષ્ટિ આગળ ખડી થઈ ગઈ છે, હું પૂર્વ ધરણું નામ જોષીને પુત્ર હતું. મારા પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ નાગિલા હતું, મારી સ્ત્રીનું નામ શ્રીદેવી હતું, એ પવિત્ર શ્રીદેવી મારી માતા નાગિલાને અપ્રિય થઈ હતી. દેવયોગે મારેજ હાથે એ સતીને સંહાર થઈ ગયો હતો. એ પાપનું પ્રાયશ્ચિત કરી હું શુદ્ધ થવાને અધિકારી થશે, પણ મને આ વખતે તે બધે વૃત્તાંત દ્રષ્ટિગોચર થયો છે. મિત્ર ! કમળકીને પણ પિતાના શ્રીદેવીના જન્મનું સ્મરણ થઈ આવ્યું છે, આથી તે પણ મૂછ પામી છે. તીર્થરાધનના પ્રભાવથી હું આ ગતિને પામ્યો છું, તેમ શ્રીદેવી બીજે ભવે જિનદત્તા શ્રાવિકા થઈ. જન્મથી તે બ્રહ્મચારિણી રહી, નમસ્કાર મંત્રના પ્રભાવથી હાલ કમળથી થઈ છે. તે વખતે સોમદેવ વિગેરે જે હતા, તે બધા પ્રતિબોધ પામ્યા હતા, હું એક ઉમા નામે બીજી સ્ત્રી પર હતા, તેમજ એક ખર્પરા નામે ગિણી તે પ્રસંગે વિદ્યમાન હતી. પ્રિય મિત્ર ! મારી દ્રષ્ટિ આગળ પૂર્વનો સર્વ સંસાર પ્રત્યક્ષ થઈ આવ્યો છે. આ બધા તીર્થને, અને નવકાર મંત્રને મહિમા છે. ગુણચંદ્રની આ વાર્તા સાંભળી શ્રીચંદ્ર વિગેરે સર્વ સમાજ સાનંદાશ્ચર્ય થઈ ગયે. સર્વના હૃદયમાં આહત ધર્મની ભક્તિ જાગ્રત થઈ, જૈન તીર્થની અને પંચપરમેષ્ઠીરૂપ નવકાર મંત્રની પ્રશ સાના ઉદ્દગાર સર્વના મુખમાંથી નીકળવા લાગ્યા. મહારાજા શુભગાંગે શ્રીચંદ્રકુમારનું સહકુટુંબ આતિથ્ય કર્યું. પ્રતિદિન નવનવાં ખાનપાનથી, વિવિધ જાતના સત્કારોથી, રાજકીય કીડાઓથી, રસ ભરેલી વાર્તાઓની ગેષ્ટિઓથી, અશ્વવિદ્યા, ગજેંદ્ર શિક્ષા, અને મલ્લયુદ્ધના અખેડાઓથી રાજા ભગાંગે શ્રીચંદ્રકુમારને ઘણો વિનોદ પમાડે. તે સાથે આહત ધર્મના ઉત્સવો, ધર્મની પ્રભાવનાઓ, ચિત્યપૂજાના મહેન્સ, અને જ્ઞાનગોષ્ટિના વિનોદથી કુશસ્થળીના યુવરાજને ઘણાજ પ્રસન્ન કરવામાં આવ્યું. કેટલાક દિવસ સુધી આગ્રહ કરી, રાજા શુભાંગે શ્રીચંદ્રને પિતાની રાજધાનીમાં રાખે. એક દિવસે સૂર્યવતીએ રાજકુમારને જણાવ્યું, વત્સ ! જે તમારી ઈચ્છા હોય, તે અહીંથી તમારા મોસાળમાં જઈએ. ઘણાં વર્ષ થયાં મેં જન્મભૂમિનાં દર્શન કર્યો નથી. તમારાં દર્શન કરવાને તમારા માતામહ દીપચંદ્ર રાજા ઘણા આતુર હશે. પુત્ર ! જે મેશાળની રાજધાનીમાં જશે, તો તમારે મશાળ પક્ષ ખુશી ગશે. પિતાશ્રી દીપચંદ્ર રાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy