________________
૩૬૪
આનંદ મંદિર, આગળ ધરી હતી તેમજ ગુના બંધુ, સગાં અને બીજાં સંબંધીઓને પણ સારો સત્કાર કે હતે. પછી નૃસિંહરજાન પ્રિયંજરી રણ સહિત સાથે લઈ, ત્યાંથી આગળ ચાલીને હેમપર નગરમાં આવ્યા, ત્યાં મકર રાજા, કે જે મદનપાળને પિતા થાય, તેણે રાજકુ ને કનને માટે મોટો ઉત્સવ કર્યો, ત્યાં સદનસુંદરીના ખબરથી તેમને ઘણો હર્ષ થયો હતા. તે રાજા મોટા પરિવાર સાથે શ્રીચંદ્રકુમારની સાથે ચાલ્યો. ત્યાં કેટલાક દિવસ રહી, પછી જુઓ કપિલપુરમાં આવ્યા. ત્યાં રહેલા જિતશત્રુ રાજાએ તેમને મોટા આડંબરથી નગર પ્રવેશ કર્યો. તે રાજાને કનકાવતી વિગેરે ચાર કન્યાઓ હતી, તેમને શ્રીચંદ્ર, માતાના આગ્રહથી પરણ્યા. આ વખતે વણારવ ગાયકે આવી, નીચેની ચમત્કારી અને અલંકારિક કવિતા કહી સંભળાવી હતી.
[ પાર્ટૂરાવરિત ]. बल्गत्तुंगतुरंगनिष्ठुरखुरक्षुण्णे रणक्ष्मातले निर्भिन्नाद्विपकुंभमौक्तिककणव्याजेन बीजावलीं। खड्गस्ते वपति स्म कुंडलपते लोकत्रये मंडपान् प्राप्तां प्रीढिमसत्यकीर्तिलतिका गुल्मस्य निष्पत्तये ॥ १॥ .
“ હે રાજા કુંડલપતિ ! તમારું ખડ દેડતા અને ઉંચા એવા ઘોડાઓની તીક્ષ્ણ ખરીઓથી ખેડાએલી રણભૂમિની અંદર કપાએલા હાથીઓના કુંભસ્થળનાં મેતીરૂપ બીજની પંક્તિને વાવે છે. જે બીજ પંક્તિ ત્રણ લોકરૂપ મંડપમાં પથરાઇને તમારી પ્રેઢ એવી સત્કીર્તિરૂપ લતાના ગુચ્છને ઉત્પન્ન કરે છે.”
(અનુષ્ટ) त्वत्कृपाणविनिर्माणशेषद्रव्येण वेधसा ।
તાઃ કૃતાંત પરંતુ તાનમઃ || 8 ||
હે રાજા ! વિધાતાએ તમારા ખકનું નિર્માણ કરતાં જે બાકીને ભુકે વધ્યો હતો, તેનાથી યમરાજ બનાવ્યો, અને જે તેનો મેલ છે, તેનાથી સપિ બનાવ્યા.
આ ચમત્કારી કાવ્ય સાંભળી શ્રીચંદ્ર ઘણુ ખુશી થઈ ગયા, અને તેને સારું ઇનામ આપવામાં આવ્યું; પાંચ લાખ સોનૈયા સાથે ઉત્તમ પોષાક તે કવિને અર્પણ કરવામાં આવ્યો. તે વિદ્વાન ગાયકે વેગ રથને ઓળખી લીધે, કે જે રથમાં તેણે અગાઉ વિહાર કર્યો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org