SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ વધામણી. ૩૬૩ પ્રતાપી શ્રીચદ્ર પેાતાની માતા અને લઘુ અને શ્રીગિરની રાજધાનીમાં મળી પછી મોટા મોટા રાજાએ અને મેટા સૈન્યની સાથે શ્રી જિન ચૈત્યમાં પ્રભુનાં દર્શન કરી, મોટા ઠાઠમાઠથી નીકળ્યા હતા. પાણુિગ્રહણ કરેલ એ સુંદરીએથી તે વિરાજિત હતા. તેમની સમાં દેખાવ અદ્ભૂત હતા. તે ચક્રવર્તીની મહાન્ સમૃદ્ધિનું સ્મરણ કરાવતા હતા. જ્યારે મહાવીર શ્રીચંદ્રનું સૈન્ય પૃથ્વીપર ચાલતુ, તે વખતે ચતુર કવિએ નીચેના પદ્મથી તેનું વર્ણન કરતા હતાઃ— ( શારૢવિિિરતમ્ ). शेषः सीदति कुर्मराट् विलिखति सोलीतलं मज्जति क्षुभ्यंत्यंबुधयः पतंति गिरियः कदंति दिग्दंविनः । लुप्तं व्योमतलं दिशः कवलिता रुद्धो रविः पांशुना चक्रे तस्य चमूः स्थले जलमहो त्रैलोक्यमप्याकुलम् ॥ १ ॥ “ તેના સૈન્યના બળથી શેષનાગ સીદાય છે, પૃથ્વી નીચે રહેલ કૂર્મ [ કાચા ] દુ:ખી થાય છે, પૃથ્વી જળમાં ડુબી જાય છે, સમુદ્રે ક્ષેાલ પામે છે, પર્વતા પડી જાય છે, દિગ્ગજો આક્રંદ કરે છે, આકાશ બધું લેાપાય છે, દિશા ઢંકાઈ જાય છે, રજવડે સૂર્ય રૂંધાય છે, સ્થળમાં જળ થઇ જાય છે, અને ત્રણ લાક આકુળવ્યાકુળ થઇ જાય છે. '' આ પ્રમાણે કવિએ જેના સૈન્યનું વર્ણન કરે છે, એવા મહા પરાક્રમી શ્રીયદ્રકુમાર માર્ગે પ્રયાણુ કરતા કરતા અનેક લોકેાપકાર આચરતા હતા. કાઇ ઠેકાણે શાળા, કાઇ ઠેકાણે પાણીની પરબ, કાઇ ઠેકાણે મઠ, કાઇ ઠેકાણે પાષધશાળા, કાઇ ઠેકાણે જિનાલય, અને કાઇ ઠેકાણે પાશાળા સ્થાપતા હતા. સ્થાને સ્થાને તીર્થની સ્થાપના કરતા શ્રીચંદ્ર કનકપુરમાં આવ્યા હતા. ત્યાં કેટલાક દિવસ રહી કલ્યાણપુરમાં આવ્યા, કલ્યાણપુરના રાજા ગુણવિભ્રમે તે પ્રસગે મોટા ઉત્સવ કર્યો, અને પેાતાની ગુણવતી નામની પુત્રીને શ્રીચદ્રકુમા રની સાથે પરણાવી હતી, તે સ્થળે મદનાએ સુવર્ણ પુરૂષના બધા વૃત્તાંત જણાવ્યેા, તે સાંભળી બધાને આશ્ચર્યું થયું હતું. તે રાજા, તે કન્યા, અને તે સુવર્ણ પુરૂષને સાથે લઇ શ્રીચંદ્ર અટવીમાં આવ્યા હતા. ત્યાં રહેલા અંદરના મણિગ્રહમાંથી રત્નાદિ સાર વ સ્તુ લઇ તે આગળ ચાલ્યા, પછી જ્યાં રત્નચૂડને માના હતા ત્યાં આવ્યા, અને તે સ્થળે એક સુંદર જિન ચૈત્ય કરાવ્યું. ત્યાંથી પ્રતાપી શ્રીદ્રકુમાર કાંતિપુરમાં આવ્યા. ત્યાં તે નગરના રાજા સિંહૈ મોટા ઉત્સવથી રાજકુમારના પ્રવેશત્સવ કર્યા હતા. તે સ્થળેથી આગળ જતાં વડગામ આવ્યું, જેમાં રાજકુમારના વિદ્યાગુરૂ ગુણધર પંડિત રહેતા હતા. પેાતાના પાઠક અને પરમ ઉપકારી એ ગુરૂનાં દર્શન કરવા શ્રીદ્રકુમાર પરિવાર સાથે ત્યાં ગયા, ઉદાર રાજપુત્રે ગુરૂ, અને ગુરૂનાં પત્નીના ચરણુકમળમાં પ્રણામ કરી, સારી ભેટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy