SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, અંતઃપુરની ઈચ્છા રાખી નથી, ઉત્તમ પ્રકારનાં ખાનપાન ઉપર આસકિત કરી નથી, રાજયમદ, લક્ષ્મીમદ, અને પ્રભુતાનો મદ ધારણ કર્યો નથી, અને સર્વ જાતના રાજકિય વિલાસથી તું આકર્ષાયું નથી, તે સાથે વિરહની તીવ્ર વેદનાને તે અનુભવી છે. શોક, અશુપાત અને રૂદનના ગુપ્ત ધ્વનિ કરી, તે તારા સ્વરૂપને વિકલ કર્યું છે, એ તારું તીવ્ર તપ જોઈ, તારાં શુભ કર્મ તને સારું ફળ આપશે. કરેલું કામ કદિ પણ નિષ્ફળ જતું નથી. આ પ્રમાણે પ્રતાપી પ્રતાપ રાજા હૃદયમાં ચિંતવતો હતો, ત્યાં દ્વારપાળે આવી ખબર આપ્યા કે, કોઈ ચાર અધિકારી પુરૂષો આપને મળવા ઈચ્છે છે, આપની શી આજ્ઞા છે ? પ્રતાપે પ્રવેશ કરવાની આજ્ઞા આપી, એટલે દ્વારપાળ તે પુરૂષને લઈ મહારાજાની સન્મુખ આવ્યો. તેઓ મહારાજાને વિનયથી નમન કરી સન્મુખ ઉભા રહ્યા. મહારાજાએ તેમને યોગ્ય આસને બેસાર્યા, અને પુછ્યું કે, તમે કોણ છે ? અને કયાંથી આવો છો? તેઓ બોલ્યામહારાજ ! અમે ચાર મંત્રીઓ છીએ, લક્ષ્મણ, સુધીર, રાજ સુંદર અને બુદ્ધિસાગર, એવાં અમારાં નામ છે. અમે કુંડળપુરથી પરભા આવીએ છીએ. આપના પ્રતાપી પુત્ર શ્રીચંદ્રકુમારે આપને ખબર આપવાને મેકલ્યા છે. મહારાજા ! આ હર્ષદાયક વધામણું આ પવાને અમે ભાગ્યશાળી થયા છીએ. થોડાજ વખતમાં શ્રી ચંદ્રકુમાર અહિં પધારશે, અને આપના મુખરૂપ કમળમાં સૂર્ય સમાન થશે. આ વચન સાંભળતાં જ પ્રતાપસિંહના હૃદયમાં આનંદસાગર ઉછળી રહ્યા, અને તેના મુખકમળ ઉપર કોઈ વિલક્ષણ વિકાશ થઈ ગયો. આનંદના ઉભરામાં આવેલા પ્રતાપે પ્રેમપૂર્વક પુછયું, ભદ્ર ! તમે આપેલી વધામણી મારા મનરૂપ કુમુદને ચંદ્રિકારૂપ થઈ પડી છે. આજે મારાં દક્ષિણ અગોએ ખુરી પુરીને પિતાને પ્રભાવ સાર્થક કર્યો છે. કહે, મારે વીરપુત્ર કયાં છે ? અને ક્યારે આવશે ? મંત્રીઓએ કહ્યું, મહારાજ ! તેઓ મહેંદ્રનગર આવી પહોંચ્યા છે. અમોને તમને ખબર આપવાને માટેજ અગાઉથી જ મોકલ્યા છે. અમારા રાજમાતા સૂર્યવતી પણ તેમની સાથે છે. માર્ગમાં તેમણે જે જે ચરિત્ર કર્યો, તે બધાં સાનંદપણે સાંભળવા ગ્ય છે. તેવા ધાર્મિક, વીર અને પ્રભાવિક પુત્રના પિતાની પદવી સંપાદન કરનાર એવા તમને અમે ઘણજ ધન્યવાદ આપીએ છીએ. રાજેદ્ર ! વળી આપને કહેવાને આનંદ થાય છે કે, પ્રતાપી શ્રીચંદ્રકુમારની સાથે તેમના એક નાના ભાઈ છે, જે બાળકુમાર રાજમાતા સૂર્યવતીના ઉસંગને અલંકાર છે. હવે એ પ્રતાપી કુમાર અ૯પ સમયમાં આવી પહોંચશે. મહેંદ્રપુરથી તિલપુરમાં આ વશે, ત્યાંથી રત્નપુર અને સિંહપુર થઇને તેઓ અહીં આવશે. અતિ ઉત્સાહથી આવીને તમારા ચરણ કમળમાં તેઓ હમણાંજ વંદના કરશે. પ્રતાપસિંહે હર્ષના આવેશમાં પુછયું, મંત્રીશ્વર ! કુમાર શ્રીચંદ્ર કયાંથી આવે છે ? અને તેણે શું શું કામ કર્યું ? તે કાંઈ જાણતા હે, તો તેનું ચમત્કારી ચરિત્ર મને સંભળાવે. મંત્રીઓ વિનયથી બોલ્યા, મહારાજ ! તમારા વીર પુત્રનાં ચરિત્ર ઘણાં અદ્દભૂત છે. તેનું સવિસ્તર વર્ણન કરવાને અમે સમર્થ નથી. તેમજ પ્રથમનાં તેનાં ચરિત્ર અને યથાર્થ રીતે જાણતા નથી. શ્રીગિરિથી નીકળ્યા પછીનું તેમનું ચરિત્ર અમે બરાબર જાણીએ છીએ; તે આપ એક ધ્યાને શ્રવણ કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy