________________
૩૬૧
વધામણું, પ્રભુ તુમ પદ કેજરને તિલકે, શોભિત ભાલ સુહાલે; જ્ઞાનવિમલ ગુણ ઉદય અધિક હોય, સમકિત સૂથ સુગાલોરે, વૃદ્ધિ તો વરસાલેરે. આજ.
૬
પ્રકરણ ૬૪ મું.
વધામણું
ક
શસ્થળમાં મહારાજા પ્રતાપસિંહ નીતિથી રાજ્ય ચલાવે છે, નિમિનિયાનાં
વચન ઉપર વિશ્વાસ રાખી, પિતાની રાણી સૂર્યવતી અને શ્રીચંદ્રના સમા ઈ છે ગમની રાહ જુવે છે, પત્ની અને પુત્રનાં પ્રિય દર્શન કરવાને તે અતિ દીકરી આતુર થઈ રહેલ છે, રાજ્ય વૈભવની ઉપેક્ષા રાખી, રાજે છતાં યેગદ્રના જેવી સ્થિતિ ભગવે છે, ત્રિકાળ જિન પૂજા કરી, અને ઉત્તમ ભાવના ભાવી દિવસ નિર્ગમન કરે છે, સતી ધર્મ પરાયણ અને શ્રાવિકા એવી સૂર્યવતી રાણી અને શ્રાવક ધર્મ પરાયણ એવા પુણ્યવાન પુત્ર શ્રીચંદ્ર વિના તે પિતાના રાજ્ય સંસારને અપૂર્ણ માને છે, એટલું જ નહીં, પણ પ્રતાપથી પરિપૂર્ણ અને પ્રકાશમાન એવા પિતાના રાજતેજને તે સર્વ રોતે ઝાંખુ ગણે છે. દિવસે, રાત્રે, ખાતાં, પીતાં, સુતાં અને બેસતાંતે જિનભગવંતના
સ્મરણની સાથે પિતાનાં પત્ની અને પુત્રીનું સ્મરણ પણ કરે છે. રાજ્યનાં દરેક કાર્યો નિયમ પૂર્વક કરે છે, પણ તે બધાં કાર્યોમાં પોતાનાં બે રત્નોનું મનન થયા કરે છે. જ્યારે જ્યારે સુને અને ચંદ્રને જુવે છે, ત્યારે ત્યારે તેના હૃદયમંદિરમાં સુવતી અને શ્રીચંદ્રની મૂર્તિઓ દશ્યમાન થાય છે.
એક વખતે પ્રાતઃકાળે પ્રતાપસિંહ નિત્ય નિયમમાંથી પરવારી સભા મંડપમાં બેઠો હતું, ત્યાં તેનાં દક્ષિણ અંગ ફરકવા લાગ્યાં. આ શુભ સુચનથી તેના હૃદયમાં વધારે ઉત્સાહ આવ્યા. આથી તે પિતાના મનમાં ચિંતવવા લાગે, અને હૃદયને સંબોધીને કહેવા લાગ–પ્રિય હદય ! અધીરૂ થઈશ નહીં, તારી આશાલતા નવપલ્લવિત થાય, તેવાં શુભ ચિન્હો થાય છે. હવે અલ્પ સમયમાં જ તારા મનોરથ સિદ્ધ થઈ જશે, અને વિદ્વાન નિમિત્તિયાની વાણી સફળ થશે. આજ દિન સુધી જે તે અપ્રતિમ વૈર્ય રાખ્યું છે, તે ફળ તને મળ્યા વિના રહેશે નહીં. તે આજ દિન સુધી રાજ્યવૈભવને ગણ્યા નથી, At
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org