________________
માતા અને પુત્ર.
૩૫૯ વાળવાને કોઈ પણ પુત્ર સમર્થ થયો નથી, થતો નથી, અને થશે પણ નહીં. એ મહેપકારી પૂજ્ય તાતની પવિત્ર મૂર્તિ અવલોકી મારા જીવિત્તને ચરિતાર્થ કરવાની મારી સંપૂર્ણ ઇચ્છા થઇ છે. માતુશ્રી ! હવે આજ્ઞા આપો તે, આપણે કુશસ્થળીમાં જઈએ. ઘણો કાબ થયાં એ નગરીને અને તેની પ્રજાને વિયોગ છે.
પુત્રનાં આવાં વચન સાંભળી સૂર્યવતી સાનંદા થઈ બેત્યાં–વત્સ ! જે અભિભાષાએ તારા હદયમાં સ્થાન કર્યું છે, તેજ અભિલાષાએ મારા હૃદયમાં પણ સ્થાન કર્યું છે. પુત્ર ! તારા વિચારને હું સર્વ રીતે મળતી છું. તારી પિતૃભકિત જોઈ, મને અતિ આનંદ થાય છે. પિતૃભક્તિથી ભાવિત હદયવાળા પુત્રને જ ધન્યવાદ ઘટે છે. જે પુત્ર માતાપિતારૂપ જંગમ તીર્થના ઉપાસક છે, તેવા પુત્રથી જ આ ભૂમિ રત્નગર્ભ છે. વત્સ ! હવે સત્વર તૈયારી કરે. તારી જેમ મારા હદયમાં પણ કુશસ્થળી નગરીમાં જવાની શિકઠા વિશેષ થઈ છે.
સુવતીનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર પિતાના મિત્ર ગુણચંદ્રને અને બીજા સહાયકોને જણાવ્યું કે, કુશસ્થળી તરફ કુચ કરવા તૈયારી કરાવે. શ્રીચંદ્રની ઇચછા થતાં જ તત્કાળ ચારે તરફ તૈયારીઓ થઈ રહી, બધી સેના ખળભળી ચાલી, આકાશમાં જેમ મેઘ ચડી આવે, તેમ તેની મોટી સેના પ્રયાણ કરવા ચડી આવી. હાથી, ઘોડા, રથ, અને દિલ ઉપર રહેલા સૈનિકે જયધ્વનિ કરવા લાગ્યા. આસપાસના સ્નેહી રાજાઓ મોટી મેરી ભેટે લઈ, શ્રી ચંદ્રને મળવા આવ્યા. પ્રત્યેક નરના મુખમાં “ શ્રી ચંદ્રને જય ચાઓ ” એવા ઉચ્ચાર નીકળવા લાગ્યા. છત્ર, ચામર, અને છડી વિગેરે રાજ્ય લક્ષ્મીની શોભાથી શ્રીચંદ્ર પ્રકાશવા લાગ્યો. પિતાના પુત્રની આવી સમૃદ્ધિ અને પુણ્યથી ચડીયાતું સૌભાગ્ય જોઇ, માતા સૂર્યવતી હદયમાં વધારે આનંદ પામતી હતી.
આ પ્રમાણે તૈયારી થઈ, એટલે શ્રી પિતાના સ્થાપેલા શ્રીગિરિ પર્વતના રાજ્યની સારી વ્યવસ્થા કરી, પિતાના પૂર્વોપકારી અને સહાયક નેહીઓને જુદા જુદા રાજ્યના ભાગ વહેંચી આપા, વામાંગ માતુલને બધા ખાતાને અધિકાર આપે. ધનંજયને સેનાપતિ કર્યો, બીજા પરિવારને ખાસ પિતાના અંગરક્ષક બનાવ્યા, ચંદ્રકળાને પટરાણી કરી, અને મલ્લ નામે જે ભીલ હતો, તેને ગજેને અધિપતિ કર્યો. આ પ્રમાણે શ્રીગિરિ પર્વતના રાજ્યની વ્યવસ્થા કરી, શ્રીચંદ્ર પોતાની જન્મભૂમિ તરફ જવા તૈયાર થયે. જયારે તેની આગળ પ્રયાણને રથ આવી હાજર થયા, તે વખતે તેને સ્મરણ થયું કે, આ અવસરે મારે ઈષ્ટ દેવનાં દર્શન કરવાં જોઈએ. જેમના અનુગ્રહથી હું આવી પુણ્ય સ્થિતિ ભોગવું છું, સ્વદેશ તરફ પ્રયાણ કરવાનું પ્રથમ માંગલ્ય શ્રી અહંત દેવનાં દર્શન છે. પવિત્ર જિન પ્રતિમાના પ્રભાવથી મારું, મારા કુટુંબનું, મારા રાજ્યનું, મારા દેશનું અને મારી પ્રજાનું કહ્યાણ થાય, અને સર્વદા મારામાં ધર્મની જાગૃતિ રહ્યા કરે, આવું વિચારી સગુણ શ્રીચંદ્ર પિતાના ખાસ પરિવારને લઇ, જિન ચૈત્યમાં દર્શન કરવાને ગ. ત્રિકરણ શુદ્ધિથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org