________________
૩૫૮
આનંદ મદિર.
આવી પહોંચ્યા. સ્વામી ! હવે એ દુઃસાધ્યને સાધ્ય કરી, અને આ ચંદ્રહાસ ખને પૂછું રીતે કૃતાર્થ કરી. માતા ! તે પછી આપના પ્રતાપી પુત્રે જે પરાક્રમ દર્શાવ્યું હતું, તે અલૈકિક હતું, તેનું વર્ણન મારાથી થઇ શકે તેમ નથી. ગાંöષ્ટ થઇ સામા આવેલા ગુણવિભ્રમે પ્રથમ તે મેટા છાપા માર્યા હતા, પણ પાછળથી તમારા વીરપુત્રે તે ગર્વાંટ શત્રુને હરાવી દીધા, તેના મોટા સૈન્યને છિન્નભિન્ન કરી નાખ્યું. છેવટે પ્રચંડ કાપ કરી મહાવીર શ્રીચંદ્ર ચંદ્રહાસ ખડ઼ે લઈ ગુણુવિભ્રમ ઉપર ધસી આાવ્યા, પણ તે દયાળુ મહાશયના હૃદયમાં તત્કાળ દયા ઉત્પન્ન થઇ આવી. તેણે શત્રુના મસ્તકને છેલ્લું નહીં, પણ્ યાથી તેને જીવતો બાંધી લીધા, અને સર્વના જોતાં એક કાષ્ટના પાંજરામાં પૂરી દીધા. આ બનાવથી અમારી સેનામાં જય જય ધ્વનિ થઈ રથા. રાજા વગરના અનાથ સૈન્યને પછી અમે તામે કરી લીધું. કેટલાએક તેના પક્ષના રાજાએ ખુટીને અમારા પક્ષમાં આવ્યા. પછી તમારા વીરપુત્ર કલ્યાણપુરમાં પોતાની આજ્ઞા પ્રવત્તાવી, પાતાના મત્રીએને રાજ્ય ઉપર નીમી દીધા.
માતા ! એ કાર્ય સિદ્ધ કર્યł પછી તમારા પુત્રના હૃદયમાં તમારું સ્મરણ થઈ આવ્યું, અને મહેપકારી માતુશ્રીનાં દર્શન કરવાને તેમનું હૃદય ઉત્કંઠિત થયું. ત્યાંથી ચંદ્રપુરને માર્ગે પ્રયાણુ કરતાં તેમના સાંભળવામાં આવ્યું કે, તેમને એક લઘુ બંને લાભ થયા છે; આ ખબર સાંભળી તેમના મનમાં અત્યંત હર્ષ થયા, અને માર્ગમાં તેને જન્માત્સવ કરાવ્યેા. હું માતા ! ત્યાર પછીજ અમે અહીં આવ્યા, અને અમને આપનાં પવિત્ર દર્શનને મહાન લાભ થયા.
ગુણચંદ્રના મુખથી આ પ્રમાણે પેાતાના પુત્રને ધૃત્તાંત સાંભળી, માતા સૂયૅવતીને અત્યંત આન ંદ ઉત્પન્ન થયા. પુત્રની પુણ્યલક્ષ્મી આવી અલાર્કિક જોઇ, તે પેાતાને કૃતાથ માનવા લાગ્યાં. આવા મહાન પુણ્યવાળા પુત્રની પે!તે એક માતા છે. એવું જાણી પેતાના આત્માને ધન્યવાદ આપવા લાગ્યાં, અને પોતે આચરેલા સુકૃતનું અને શ્રાવિકા ધર્મનું પૂર્ણ રીતે સાસ્થ્ય માનવા લાગ્યાં.
શ્રીચંદ્ર માતાને પ્રણામ કરી મેટ્યા—પૂજ્ય માતુશ્રી ! આપના પ્રસાથી મારાં સર્વ કાર્યો સિદ્ધ થયાં છે, હવે પિતાશ્રીનાં દર્શન કરવાની ઇચ્છા થઇ છે. આપ પવિત્ર જનનીનાં દર્શન થયાં, હવે જન્મભૂમિનાં દર્શન કરવાની પૃચ્છા થાય છે, તે સાથે મારા પરમ પવિત્ર પિતાશ્રીનાં દર્શન કરવાની અભિલાષા પણુ ઉત્પન્ન થાય છે. પ્રેમી પિતા ઘણા દિવસ થયા વિરહ પીડિત છે.
તમારા અને મારા વિયેાગથી પ્રેરાએલા પિતાશ્રી ચિતાગ્નિમાં પડવાને તૈયાર થયા હતા, તેમની અનુપમ પ્રીતિને બદલે કોઇ રીતે વળી શકે તેમ નથી, એ પિતાની સેવા કરી, પુત્રપણાને કૃતાર્થ કરવાની મારી અભિલાષા છે. ઉપકારી પિતાના ઉપકારને બદલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org