________________
૩૫૭
માતા અને પુત્ર. રાજકુમારે પવરાજાને, અને મને કનકપુરની સહાય કરવાને મોકલ્યા હતા, અને તેમાં સહાય કરવા તે પરોપકારી વીરે મને ચંદ્રહાસ નામનું એક ખ આપ્યું હતું. અમને ત્યાં મોકલ્યા પછી પોતે પથિક શાળામાંથી એક સુધન શેઠની ચાર પુત્રવધની વાર્તા સાંભળી તેની શોધમાં ચાલ્યા ગયા. તે પ્રસંગે કેકટક દ્વીપમાં આવી, તે દીપના રાજાની નવ કન્યાઓ પરણ્યા. તે કન્યાઓને ત્યાં રાખી પછી પોતાના પિતા પ્રતાપસિંહને તમારા, અને પુત્રના વિયેગથી કાષ્ટ ભક્ષણ કરી આત્મઘાત કરવા તૈયાર થયેલા સાંભળી નિમિત્તિયાને વિષે કુશસ્થળી માં ગયા, ત્યાં જઈને પિતાને બચાવ્યા, અને જયાદિક કુમાર, કે જેઓ પિતાને લાક્ષાગૃહમાં બાળવાના અપરાધી થયા હતા, તેમને કાષ્ટ પંજરમાં નખાવી પિતાના આવવાના ખબર પિતા પ્રતાપસિંહને વીણાપુરના મંત્રી બુદ્ધિસાગરની દ્વારા જણાવી દીધા. તે પછી ગુણચંદ્ર સૂવતીને જયકળશ હસ્તીની વાર્તા કહી સંભળાવી; પછી કુંડલપુરના ભિલ લોકોની સાથે થયેલું યુદ્ધ, અને માહિનીના મોહને બધે વૃત્તાંત જણાવ્યું. પછી વાયુવેગ તથા મહાગ અશ્વ, અને કુજર સારથિ સહિત રથને મેળાપની વાર્તા પણ કહી. તે પછી મદનાને મેળાપ સરસ્વતીને સમાગમ, અને મણિભૂષણ નગરના રચૂડ વિદ્યાધર વિગેરેની કથાઓ સંક્ષેપમાં કહી સંભળાવી, અને ત્યાર પછી ત્યાં આવેલી ચંદ્રાવળાની વાર્તા જણાવી. આ બધી વાત્તાઓ સાંભળી સૂર્યવતી સાન દાશ્ચર્ય થઈ ગઈ, તેણીની પ્રવૃત્તિમાં પિતાના પુત્રના મહિમાને માટે ઘણું માન ઉત્પન્ન થયું. રાજમાતા આનંદ પૂર્વક બેલ્યાં–વત્સ ગુણચંદ્ર ! તમે રાજકુમારને ક્યારે મળ્યા ? એ વાત કહે. તમને જે કનકપુરની સહાય કરવાને મોકલ્યા હતા, ત્યાં શું બન્યું ? અને રાજા ગુણવિભ્રમનો પરાભવ થયો કે નહિ ?
ગુણચંદ્ર બોલ્યો-માજી ! એ વાત સાંભળવા જેવી છે. મહાવીર શ્રીચંદ્ર રૂદ્રપલ્લી નગરીથી રાજા વજસિંહની સાથે મોટા સૈન્ય સહિત નીકળી આગળ ચાલ્યા. નવલાખ દેશની સીમા ઉપર આવી, તેઓ છાવણી નાખી પડયા હતા. આ ખબર સાંભળી પદ્મરાજા, લક્ષ્મણ મંત્રી, અને હું તેમની સામે આવ્યા. પ્રતાપી, અને તે પ્રાણપ્રિય સ્વામીને અમે પ્રેમથી મળવા આવ્યા. પરસ્પર પ્રેમના ઉછળતા સાગરમાં અમોએ સ્નાન કર્યું, એક બીજાના કુશળ વૃત્તાંત પુછી કેટલીએક વાર્તા કરી, મહાવીર શ્રીચ કે મને પ્રેમ દર્શાવી પુછયું કે, મિત્ર ! કનકપુરના શા ખબર છે ? દુષ્ટ બુદ્ધિના ગુણવિભ્રમને શી શિક્ષા કરી ? એ દુરાચારીને કાઢી મુક્યો કે નહિ ? શ્રી ચંદ્ર કુમારના આવા પ્રશ્નથી મને લજજા તો બાવી, પણ જે ખરેખરી હકીકત હોય, તે યથાર્થ કહેવી જોઈએ એવું ધારી મેં તેમને વિનંતિ પૂર્વક કહ્યું, સ્વમી ! દુરાચારી ગુણવિભ્રમ મારાથી જીતી શકાયો નથી. એ દુરાશય સર્વ રીતે અજેય છે, તેના જેવો કોઈ કપટી શત્રુ મારા જોવામાં આવ્યું નથી. સામ, દામ, ભેદ અને દંડ-એ ચારે ઉપાયની જના કરવામાં આવી, તથાપિ તે જરા પણ ડગ્યો નહીં. સ્થળમાં ચાલતી જળની રેલની જેમ, તે મારાથી કઈ રીતે વશ થઈ શકો નહીં. તે હમેશાં નવી નવી જાતના સંદેશા લઈ દૂતોને મોકલતા, અને અમને ઘણી ભિતિ દર્શાવતો હતો, તેની કપટ કળામાં અમો બધા મુંઝાઈ ગયા હતા, ત્યાંજ તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org