SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ આનંદ મંદિર, પરિવારમાં મોટી સેના સાથે વસિંહ રાજા આવ્યો હતો, તેમજ તેની સાથે માર્ગમાં અ - ૧ ગુણચંદ્ર પણ મન હતો, સાથે મદના અને ચંદ્રાવળી પણ હતાં. આ બધે પરિવાર લઈ શ્રીચંદ્ર ચંદ્રપુર આવે અને જયાં પિતાની વહાલી માતા સૂર્યવતી, પુત્રને મળવાની ઈચ્છા રાખી સન્મુખ અ.તૈયાર થતી હતી, ત્યાં શ્રીયંદ્ર આવીને માતાના ચરણકમળમાં નમી પડો. હર્ષની અશ્રુધારાથી માતાના ચરણમાં તેણે સિંચન કર્યું. માતાએ હર્ષના અશ્રુથી પુત્રના મસ્તકનું સિંચન કર્યું. માતા, અને પુત્ર બંનેની વચ્ચે અદૂભૂત પ્રેમરસ પ્રગટ થઈ આવે. વાસવ્ય રસ, અને ભક્તિ રસ બને ત્યાં ભેટો થયો. પુત્રવત્સલા માતાએ પુત્રનાં દુખડાં લઈ હદયમાં દાખ્યો, અને આજ સુધીના વિરહ તાપને શમાવી દીધું. પછી ગુણશે કે માતા સૂર્યવતીના ચરણમાં પ્રણામ કર્યો, માતાએ તેને પણ પ્રેમ દષ્ટ - કી, અને અતિ આદરથી સંતુષ્ટ કર્યો. મદના, અને ચંદ્રાવળી પણ પિતાની જ ક સૂર પગે પડી. સાસૂએ આદર સહિત જોઈ, તેમને હૃદયની આશીષ આપી અનુક્રમે પાથે આવેલા રાજાઓએ અને વફાદાર મંત્રીઓએ રાજમાતાને પ્રણામ કર્યા. શ્રીચંદ્ર ચંદ્રપુર આવતાં માર્ગમાં જ સાંભળ્યું હતું કે, પોતાને એક લઘુ બંધુ પ્રગટ થયો છે. આ ખબર થતાં જ તેના હૃદયમાં અતિ હર્ષ થયો હતો, તેથી આ વખતે તેણે પ્રેમથી માતાને પુછયું કેમાતા ! નાનાભાઈ ક્યાં છે ? મને બતાવે. સૂવતીએ પારણ તરફ હાથની ચેષ્ટા કરી, એટલે શ્રીચંદ્ર પોતાની જાતે પારણા પાસે આવ્યો, ત્યાં બાળ પુત્ર પારણામાં ધુત્કાર શબ્દ કરતો રમતે હ. પિતાના સહોદર બંધુને જોઈ, જાણે વિશેષ ખુશી થયું હોય, તેમ તે પારણામાં હસતો હસતો ઉછળવા લાગે. શ્રીચકે પ્રેમ ધરી તેને પારણામાંથી લીધે, અને હૃદયની સાથે ચાંપી ભ્રાતૃ પ્રેમ દર્શાવે છે. આ મંગલિક પ્રસંગને ઉજવવાને ત્યાંજ યાચકને તેણે ઘણાં દાન આપવા આજ્ઞા કરી. પરસ્પર બંધુઓની ભેટ, અને તેમનું સાભ્રાતૃ જોઈ સૂવતીને વિશેષ આનંદ પ્રાપ્ત થયો. કેટલીએક પરસ્પર વાત કરી, માતા અને પુત્ર પિતતાનાં હદય ઠાલવ્યાં. અને પુણ્યના અદભૂત પ્રભાવને માટે તેમના હૃદયમાં આહત ધર્મની ઉપર વધારે દ્રઢતા થઈ. પછી માતા સૂવતીએ શ્રીચકને કહ્યું, પુત્ર ! માત્ર બાહેર જવાની આજ્ઞા લઈ. આટલે વખત ક્યાં રહ્યા ? અને આ રાજકન્યાઓ કયાંથી સંપાદન થઈ ? અને તારો આ મિત્ર ગુણચંદ્ર ક્યાંથી મળ્યો ? શ્રીચંદ્ર આત્મપ્રશંસાના ભયથી કાંઈ બોલ્યા નહીં તેણે પોતાના પ્રિય મિત્ર ગુણચકની સામું જોયું, એટલે ગુણચંદ્ર વિનયથી બે. –માતા ! એ વાત મને જ પુછો. રાજકુમાર પિતાના પુણ્યને પ્રભાવ પાતાને મુખે નહીં કહે. માજી ! તમારા પુત્રના પુણ્યને પ્રભાવ અભૂત છે, તમારાથી જુદા પડી એ મહાવીરે અનેક પરા ક્રમ કર્યા છે. રાત્રે દાનશાળામાં છુપી રીતે ફરતાં તેમણે એવા ખબર સાંભળ્યા છે કે, કનકપુરને રાજા પિતાના લક્ષ્મણ મંત્રીને રાજ્ય ભાર સોંપી બાહેર ગણે છે. આ લાગી જોઈ કલ્યાણપુરનો રાજા ગુણવિશ્વમ કનપુર ચડી આવે છે. આ ખબર સાંભળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy