SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ માતા અને પુત્ર ૩૫૫ ') માત્ર તેના મુખકમળ ઉપર ચંદ્રપુર નગરના એક ભવ્ય સ્થાનમાં એક પૈાઢા સ્ત્રી બેઠી છે, તેના ઉત્સંગમાં એક લઘુવયના બાળક પડયા પડયા રમે છે, એ બાળક તદ્દન નાના છે, તેના મુખમાંથી હજુ વૈખ રીવાણી સ્ફુરી નથી, હજી તે તદ્દન નિર્દોષ અવસ્થામાં રમે છે, તેની સર્વ જાતની ઇચ્છાએ રૂદન કરવાથીજ સિદ્ધ થાય છે. बालानां रोदनं बलं એ કહેવત પ્રમાણેજ તેની પ્રકૃતિ છે. બાળકને હજી બીજી સત્તા આવીજ નથી, મૃદુ હાસ્યના અંકુરો સ્ફુર્યા કરે છે. પુત્રને હુલાવતી માતા પુત્ર ! તારા જ્યેષ્ટ ખ ંધુ હજી આવ્યા નહીં. એ પુણ્યવાન પુત્ર કાષ્ઠ સ્થળે પુણ્યના સુખમાં મગ્ન થઇ માતાને ભુલી ગયા. હું બાપ ! તું શું જોઇ હસે છે ? અત્યારે તારા આધાર હું એકજ છું. તારા પિતા, અને તારા બંધુ વિદેશમાં છે, તું એક મહેાટા મહારાજાને પુત્ર છું, તારી સેવામાં અનેક સેવકા હાજર રહે તેવી તારી સ્થિતિ છે, તે છતાં કર્મ યાગે તારે વિદેશમાં એકલાં રહેવું પડે છે. આ પ્રમાણે મેલી–વ્હાલા આ પ્રમાણે માતા પુત્રની સાથે વાત્તાલાપ કરતી હતી, ત્યાં તેણીનું વામનેત્ર પ્રકર્યું. તરતજ હૃદયમાં છુપી રીતે રહેલી આશાલતા પલ્લવિત થઇ ગઇ. આશાના ઉમંગમાં આવેલી માતાએ પુત્રને ઉંચે લઇ કેટલાંએક પ્રેમનાં ચુંબન લીધાં. આ વખતે એક અનુચર દોડતા આવ્યા, તેણે આવી તે પ્રાઢાને પ્રણામ કર્યાં. જેના મુખ ઉપર હર્ષના અંકુર સ્ફુરી રહ્યા છે, એવા પુરૂષે આવી જણાવ્યું કે, માતા ! વધામણી છે. આપના પ્રતાપી પુત્ર મેટા પરીવાર સાથે નગરની બાહેર આવ્યા છે. આ વધામણી સાંભળી એ પ્રાઢા શ્રાવિકા અત્યંત આનંદ પામી ગઇ, તરતજ પેાતાના બાળ પુત્રને પ્રેમ ચુંબન આપી, અને પારણામાં સુવારી તે આનંદના વેગથી પ્રેરીત થઇ પુત્રદર્શન કરવાને અતિ આતુર બની ગઇ. પ્રિય વાચકવૃંદ ! આ ગૈાઢા સ્ત્રી કાણુ, એ આપે અનુમાનથી જાણ્યું હશે, શ્રીગિરિ તથા ચંદ્રપુર નગરનું સ્થળ તેને સારી રીતે જાણવામાં વધારે અજવાળું પાડે છે. તમે કદિ આ પૈદા આને ઓળખશેા, પણ તેના ઉત્સ ંગમાં જે બાળ પુત્ર રમતા હતા, તેને તમે ઓળખી શકશો નહીં. તે ચિરત્ર નન અભિનવ છે. તેનું સ્પષ્ટીકરણ કરવાની હવે જરૂર છે. તે શા ી તે શ્રીચદ્રકુમારની મત્તા સૂર્યવતી છે, તેના ઉત્સંગમાં જે નિર્દેષ બાળક રમ હતા, તે તેને નાનેા પુત્ર છે. શ્રીદ્રે પેાતાની માતાને શ્રીગિરિના ચંદ્રપુરમાં રાખી હતી. પૂર્વે જ્યારે સૂર્યવતીનું કુશસ્થળીમાંથી હરણુ થયું, ત્યારે તે સગર્ભા હતી. શ્રીઅે પેાતાની માતાની સગભા સ્થિતિ જોઇનેજ આ સ્થળે રાખી હતી. માતા સૂર્યવતીએ થોડા સમય થયાં એક બાળકને જન્મ આપ્યા છે. તેજ બાળપુત્ર માતાના ઉત્સંગમાં રમતા હતા, તેવામાંજ તેણે જે વધામણી સાંભળી, તે શ્રીય અતે તેના બીજા પિરવારના આવવાની વધામણી હતી. શ્રીચંદ્ર રૂદ્રપલ્લી નગરીથી નીકળીને ક્રૂરતા ક્રતુ ચંદ્રપુર આવ્યા હતા, તેના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy