SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ આનંદ મંદિર, રાજા વસિંહ, મદના અને હંસાવાળાની ઇચ્છાઓ પૂર્ણ કરવા, તેમજ પિતાના પૂર્વ કર્મની જનતાને સાર્થક કરવા શ્રીચંદ્ર તે વાત માન્ય કરી. તત્કાળ રાજા - સિંહે મેટા આડંબરથી વિવાહત્સવને સમારંભ કર્યો, જેથી વજસિંહની રાજધાની માંગત્ય ધ્વનીઓથી ગાજી રહી. આ પ્રમાણે શ્રી ચંદ્રકુમાર હંસાવળીને કાષ્ટ ભક્ષણમાંથી બચાવી મદન અને ચંદ્રાવળીની સાથે ઘણું સંપત્તિ લઈ, ત્યાંથી આગળ ચાલ્યા. રતિ અને પ્રીતિથી જેમ કામદેવ શોભે, તેમ શ્રીચંદ્ર તે બન્ને યુવતિઓથી શોભતો હતો. રૂદ્રપલ્લી નગરીમાં આગળ ચાલી, તે મહાવીરે નવલાખ દેશની સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. પુણ્યને પ્રભાવ કે છે ? તેનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત શ્રી ચંદ્ર જગતને જણાવી આપ્યું હતું. પુણ્યથી કેવાં કેવાં અસાધ્ય કાર્યો સધાય છે ? પુણ્યનું બળ કેવું અનિવાર્ય છે? પુષ્ય પ્રકૃતિની આગળ કોની સત્તા છે ? અને પુણ્યનાં વાવેલાં બીજ કેવાં સુસ્વાદુ તથા અલોકિક ફળ આપે છે ? એ બધું શ્રી ચંદ્રકુમારના પ્રભાવિક ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. પ્રકરણ ૬૩ મું - માતા અને પુત્ર. થઇ છે શ્રી ગિરિ પર્વત ઘણો મનોહર પર્વત હતા, એ સુંદર ગિરિને દેખાવ ભવ્ય હવે, તેની અંદર વિવિધ જાતની વનસ્પતિઓ ખીલી હતી, સિંહ, વ્યાધ્ર, વરૂ, અષ્ટાપદ, અને બીજા વિવિધ જાતનાં મૃગલાંઓ એ ગિરિની તળેટીમાં ETA વિચરતાં હતાં, ચમરી મૃગ પિતાનાં પુંછડાંથી ત્યાંની વનલક્ષ્મીને રાજ્યલક્ષ્મીની શોભા આપતાં હતાં, કોકિલાઓ મધુર સ્વરથી વનનું સૈાદર્ય બતાવવાને પથિકને આમંત્રણ કરતી હતી, વિવિધ જાતનાં વૃક્ષોની શ્રેણીઓ એ ગિરિરાજની સમૃદ્ધિને દર્શાવી કૃતાર્થ થતી હતી; ઠામ ઠામ આવેલાં જળાશય, અને ઝરણુઓથી તે સ્થળની સંપૂર્ણ ઉપયોગિતા દેખાતી હતી. આ પર્વતની પાસે ચંદ્રપુર નગર આવેલું છે, એ નગરની પ્રજાનું સર્વ જાતનું વૈભવસુખ શ્રીગિરિ પર્વતથી સંપાદન થતું હતું. શ્રીગિરિ પર્વતની શોભા જોઈ, અને ત્યાં વસનારી પ્રજાને સર્વ જાતનાં સુખની પ્રાપ્તિ જોઈને પુણ્યાત્મા શ્રીચંદ્ર તે વસાવ્યું હતું. એ નગરમાં ધર્મશાળા, દાનશાળા, અને બીજાં ઉપયોગી સ્થળાનું સ્થાપન કરી શ્રીચંદ્ર ત્યાંની પ્રજાને સર્વ જાતનું સુખ કરી આપ્યું હતું. શ્રીચંદ્ર પ્રાપ્ત કરેલા સ્પર્શમણિનું સર્વ મહા તે સ્થળેજ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy