________________
કાષ્ટ ભક્ષણ. ।,
૩૫૩
હું સાવળીએ પણ શ્રીયદ્રને જણાવ્યું, મહાશય ! આપે પ્રથમથી મારૂં મન હરી લીધુંજ હતું, પણ આ વખતે ધર્મદેશના આપી વધારે હરી લીધું છે, એટલુંજ નહીં, પણ આપનાં મેધવચન સાંભળી મારા હૃદયમાં વિશેષ ઉલ્લાસ પ્રાપ્ત થયા છે. કાષ્ટ ભક્ષના વિપરીત કામથી હું હવે વિરામ પામું છું. આ સાહસથી હું આ સંસારમાં દુર્ગતિનું પાત્ર થઇ પડત, તેમજ આ માનવ જીવન કે જે ચિ ંતામણી સમાન ગણાય છે, તેને હું ક્ષણમાં ગુમાવી દેત. તમે મારા વિતદાયક અને ધર્મદાયક થયા છે, તમારી વા ણીએ અરિહંત શુદ્ધ દેવ, દયામૂળ ધર્મ, અને તમારા જેવા ગુરૂ, એ ત્રિપુટીના મને લાભ થયેા છે, મહાનુભાવ ! તમારા પસાયથી શીળગુણુને માટે મને વધારે માન થયું છે, હવેથીજ મારૂં શાળરત્ન વિશેષ નિર્મળ થયુ છે.
જિનાગમમાં શીળનું જે મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે, તેનું મને વિશેષ સ્મરણ થાય છે. સ્ત્રીઓને મેટામાં માટે અલકાર શીળ છે, સર્વ ધર્મમાં અને સર્વ સોંપ્રદાયામાં શીળને સર્વોત્તમ ગણેલું છે, શાળના પ્રભાવથી માણસ આ ભવસાગરને તરી જાય છે, શીળરૂપ સિંહના ત્રાસથી પાપરૂપ મૃગલાંઓ પલાયન કરી જાય છે, શીલના માન્ શિખર ઉપર ચડેલાં પ્રાણીએ કદિ પણ પાછાં નીચે પડતાં નથી. શીળના માહાત્મ્યને જિનાગમ નીચે પ્રમાણે ગાય છેઃ—
“ सीलं चिय आभरणं, सीलं रुवं च परम सोहगं ।
સદ્ધિ પિય પંકિતત્ત, સારું પિયા નિશ્ચમ ધર્મ ॥ ॥”
“ શીળ તેજ આભૂષણ છે, રૂપ તથા પરમ સાભાગ્ય પણ શીળ છે, શીળજ પંડિતપણું છે, અને શીળ એ નિરૂપમ ધર્મ છે. ૧
હું સાવળીનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર વિગેરે બધા ખુશી થઇ ગયા. કુમાર શ્રીચદ્ર પણ તેની દ્રઢતા જોઇને હ્રદયમાં પ્રસન્ન થઈ ગયા. રાજા વસિદ્ધે પેાતાની પુત્રીને દ્રઢ નિશ્ચય, અને શ્રીચ દ્રકુમારના વિચાર સાંભળી હૃદયમાં વિચાર્યું કે, રાજકુમારી હંસાવળી પોતાના વિચાર ફેરવશે નહીં. તે શીળવતી બાળાને નિશ્ચય કાઇનાથી ાથિળ કરી શકાય તેમ નથી, આવું વિચારી રાજા વજ્રસિંહ ખેલ્યે—રાજકુમાર ! આપની ઉપદેશ વાણીએ સર્વનાં હૃદયને ખેંચ્યાં છે, રાજપુત્રી હંસાવળીના વિવાહની વાત તેા મનમાં રહી, કૃપના ધનની જેમ, અને વિધવાના યૌવનની જેમ અમારા તે વિષેના મનેરથ નર્થ થયા, હવે જો અમારી પ્રાર્થના સફ્ળ કરા તા, એક વિનતિ કરવાની છે. આ રાજમારી હુંસાવળીને ચંદ્રાવળી નામે એક નાની વ્હેન છે, તે ખાળા આપનાથી સાભાગ્ય વધારવાની ઇચ્છા રાખે છે, આપના પવિત્ર આશ્રય નીચે રહી આત્મજીવનને કૃતાર્થ કરવાની કામનાને તે ધારણ કરે છે. આ વાત સાંભળી મદના અને હંસાવળીએ તેને અનુમેાદન આપ્યું, અને ચદ્રાવળને પરણવા શ્રીયંદ્રને પ્રદુ કર્યો.
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org