________________
આનદ મંદિર.
पुप्फफलाणं च रसं सुराईसाण महिलियाणंच |
जाणता जे विरया ते दुक्करकारयं वंदे ॥ १ ॥
રાજેદ્ર ! વળી પ્રાણીને બેધીરત્ન મેળવવું અત્યંત મુશ્કેલ છે. એ મહા રત્નને માટે ઘણાએ ભ્રાંત થઇ ભમ્યા કરે છે, તથાપિ એ રત્નને મહા પ્રસાદ તેમને પ્રાપ્ત થયે નથી, દેવતાના વિમાનમાં વાસ મેળવવા સહેલા છે, અને પૃથ્વીનું એકછત્ર રાજ્ય પ્રાપ્ત કરવું, તે સહેલું છે, પણ એધિરત્ન મેળવવું ધણુંજ મુશ્કેલ છે, તેને માટે તેવાજ ભાવાર્થવાળી નીચેની ગાથાને જિનાગમ ઉંચે સ્વરે પોકારી જણાવે છે:
૩૫૨
सुलहो विमाणवासो एगच्छत्ता वि मेइणी सुलहा | दुलहा पुण जीवाणं जिणंदावरसासणे बोही ॥ १ ॥
રાજેદ્ર ! આવાં બોધિ રત્નને માટે પ્રત્યેક મનુષ્યે પ્રયત્ન કરવા ોઇએ જ્યાં સુધી એધિરત્ન પ્રાપ્ત થાય નહીં, ત્યાં સુધી માનવ ભવ કૃતાર્થ થતા નથી. જેણે મન, વચન અને કાયાથી ઓધિરત્ન મેળવ્યું છે, અને તે મેળવીને આત્મ સાધનને મહાન, ઉદ્યાગ કર્યા છે, તેજ પુરૂષનું જીવન કૃતાર્થ છે, તેવા પુરૂષથી આ રત્નગભા પૃથ્વી અલ`કૃત છે. જેના હૃદયરૂપ મુગટમાં એધિરત્નના ચળકાટ પડે છે, તેના હૃદયનું અજ્ઞાનરૂપ અં ધકાર તુરત નાશ પામી જાય છે. જ્યારે અજ્ઞાન અંધકાર નાશ પામે, એટલે તેનામાં જ્ઞાનની મહા જ્યાત પ્રગટે છે.
આ પ્રમાણે શ્રીચંદ્રનાં બેધ વચન સાંભળી સર્વ સમાજ ખુશ થઇ ગયો. રાજા વજ્રસિંહ, મત્રી વિગેરે બધા હૃદયમાં ચમત્કાર પામી ગયા. સર્વે શ્રીચંદ્રના ડાહાપણની પ્રરશંસા કરવા લાગ્યા, તે વખતે બંધમાંથી મુક્ત કરાવેલા કુમાર ચંદ્રસેન ઉભા થયા, અને શ્રીચંદ્રના ચરણમાં નમી આ પ્રમાણે મેલ્યા—ઉપકારી મહાશય ! આપે મારી ઉપર અપાર ઉપકાર કર્યા છે, મને ખરેખરૂં જીવન દાન આપ્યું છે, એટલુંજ નહીં, પણ મારા આત્માનું શ્રેય થાય, તેવા એધ આપી મારા જીવનને કૃતાર્થ કર્યું છે. આપનાં એધિ વચનેએ મારા હૃદય ઉપર એટલી બધી અસર કરી છે કે, જેથી હું મારા આત્મસ્વરૂપને ઓળખી શકયો છું. પાપના કષ્ટ ભરેલા માર્ગમાં હું કદિ પણ પ્રયાણુ કરીશ નહીં, જેનાથી હું બધનની અધમ દશાને પ્રાપ્ત થયા હતા, તેવા મેનું સ્વરૂપ આપે મને સક્ષે૫માં દર્શાવી આપ્યું છે. જગત માહિની મહિલાઓને મેહ કેવા ખરાબ છે ? અને મેહરૂપ મદિરાથી મત્ત થયેલા તરૂણ પુરૂષ કેવી સ્થીતિમાં આવે છે ? તે બધું મેં સારી રીતે અનુભવ્યુ છે, તથાપિ મેાહની પ્રબળતાથી હું તેને ભુલી જાત, પણ આપ માપકારીના સમાગમથી મને તે વિષેની સારી જાગ્રતિ મળી છે. મહાનુભાવ ! હવે કૃપા કરી આ સે વકતે માથે હાથ મુકી પાતાને કરો, અને દાસપણાની પદવી આપી કૃતાર્થ કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org