________________
કાષ્ટ ભક્ષણ.
૩૫૧ રાજે ! આ પિટી રાજકુમાર સર્વ રીતે નિગ્રહ કરવા યોગ્ય છે, તથાપિ મોહના સ્વરૂપ તરફ દષ્ટિ કરી એ કુમાર સારી રીતે દયાપાત્ર છે. મહારાજા ! આ જગતમાં સ્ત્રી એક મહરાજાની રાજધાની છે. અનેક પ્રાણીઓને એ મોહરાજાએ વિષયમાં રોળવી દીધા છે, તેની આગળ પાન, અને રંક બને સરખા છે. દ્રવ્ય, જીવિત, ભગ, ભજન, અને પાનમાં સઘળાં પ્રાણી તૃષાતુર છે. એ તૃષ્ણામાંજ કૈક ચાલ્યા ગયા, કેક ચાલ્યા જશે, અને કૈક ચાલ્યા જાય છે. એ તૃષ્ણાના વેગમાં તણાએલાં પ્રાણી ચાર ગતિરૂ૫ ખાણમાં ભમ્યા કરે છે, ત્યાં તેમને કામદેવરૂપ પિશાચ છળે છે. સ્ત્રીના ઉદરની ત્રિવળી ઉપર મહીત કરી તમને નીચે પાડે છે. ત્યાં આવેલા પુષ્ટ સ્તનરૂપ ચતરા ઉપર તેમને તે અથડાવે છે, અને ત્યાં રહી, તેઓ તરૂણીના ચપળ નેત્રને નીરખી સ્ત ભિત થઈ જાય છે. આવાજ ભાવાર્થને સૂચવનારી નીચેની સંસ્કૃત કવિતાને સાહિત્યના ઉપાસકે નિત્યે સ્મરણ કરે છે –
धनेषु जीवितव्येषु स्त्रीषु चाहारकर्मसु । अतृप्ताः पाणिनः सर्वे याता यास्यांत यांति च ॥ १ ॥ मध्यत्रिवलि त्रिपथी पीवरकुचचत्वरे च चपल दशाम् ।
छलयति मदनपिशाच पुरूषस्यमनोऽपि च स्खलितं ॥ २ ॥
રાજેદ્ર આ જગતમાં ત્રણ પ્રકારની મદિરા કહેવાય છે. પિષ્ટની, મધુની, અને ગળાની, એ ત્રણ પ્રકારની મદિરા ઉપરાંત ચોથી મદિરા કામિની છે. એ મદિરાને નિસ્સો બીજી બધી મદિરાથી વિલક્ષણ છે. એ મદિરાથી આ જગત મોહિત થઈ ગયું છે. બીજી મદિરા પીવાથી મદ કરે છે, અને આ મદિર તે જોવાથીજ મદ કરે છે. રાજેન્દ્ર ! સ્ત્રીઓના પ્રસંગમાં ચાર માર્ગ છે, તે ચતુઃ પથ કહેવાય છે, તેઓ સંકટ માર્ગ, વિષમ માર્ગ માહા ચાર્ગ–અને સમ માર્ગ એવાં નામથી ઓળખાય છે. એ ચાર માર્ગ ખરેખર ઉ. લંધન કરવા યોગ્ય છે. જ્યાં સુધી એ માર્ગનું ઉલ્લંધન ન થાય, ત્યાં સુધી મોક્ષનો માર્ગ મળી શકતો નથી. મોક્ષ માર્ગે જવામાં એ માર્ગ સારી રીતે વિતકારક થઈ પડે છે. એ ચાર માર્ગનું સ્વરૂપ આ પ્રમાણે છે–પરસ્ત્રી એ સંકટને માર્ગ છે, વિધવા સ્ત્રી એ વિજય માર્ગ છે, વેશ્યા એ મહા માર્ગ છે, અને પિતાની સ્ત્રી એ સમ માર્ગ છે. એ ચાર માર્ગમાં બીજા માને ત્યાગ કરી પ્રાણુઓ સમ માર્ગે ચાલવું જોઈએ. સમ માર્ગ શિવાયના બીજા માર્ગે ચાલનારાં પ્રાણીનું શીળરત્ન હરાઈ જાય છે. બધા કર્મમાં માહિતી કર્મ જીતવું અતિ દુષ્કર છે, વ્રતોમાં બ્રહ્મચર્ય રાખવું મુશ્કેલ છે, અને ત્રણ ગુપ્તિમાં મનોગુપ્તિ કરવી મુશ્કેલ છે. રાજેદ્ર ! જેઓ પુષ્પ, ફળ, રસ, મદિરા, માંસ, અને સ્ત્રીઓમાંથી વિરત થયા છે, તે પુરૂષો ખરેખર દુષ્કરકારક છે, અને વંદવા ગ્ય છે. તેને માટે તેવાજ ભાવાર્થની ગાથા નીચે પ્રમાણે કહેવામાં આવે છે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org