________________
કાષ્ટ ભક્ષણ.
૩૪
ક્રમ લજાય ? વળી શાસ્રને અનુસારે કરવામાં આવેલા પાણિગ્રહણમાં જે પતિની સાથે સર્વની સમક્ષ કટપણે કાયિક સબધ થયા હાય, તેવી લેાક મર્યાદાને કેવી રીતે ડાય ? આ ઉમય રીતે અસાધ્ય ઉપાધિ આવે, તે પછી કુલીન કન્યાને કાષ્ટ ભક્ષણ શિવાય ખીજું શું શરણ છે ? તમે જે આ કાષ્ટ ભક્ષણથી મને બચાવવાને ધરતા હા તે, તમારાથી બચ:વી શકાય તેમ છે. મન વચનથી પ્રથમ વરેલા એવા તમે જો એમ ધારો કે, જે બાળા મતે શુદ્ધ હૃદયથી વરી ચુકી છે, તેને છળ કપટ કરી વરીને બીજો કણ લઇ જનાર છે ? સિ ંહના ભાગને શિયાળ કેમ લઇ જશે ? આ પ્રમાણે જો આપ સાભિમાનપણાથી મારી ઉપર મમત્વ રાખો, તે પછી મારે લાક મર્યાદાની જરૂર નથી. મે મણિની ભ્રાંતિથી કાચ લીધો, પણ જ્યારે તે ર્માણને બદલે કાચ નીકળ્યેા, અને તેની ખાત્રી થઇ, તે પછી તે કાચને શા માટે લેવો ? રાજકુમાર ! હું જે છેતરાઇ છું, તે તમારા નામથાજ છેતરાષ્ટ્ર છું. તમારા નામથી અને વેષથી મારા હૃદયમાં ભ્રાંતિ થ, અને તે બ્રાંતિને યાગે હું વિલેમ કર્મમાં હોમાઇ ગઇ છું. મારો ઉદ્ધાર તમારેજ કરવાના છે. જો મારા ઉદ્ધાર નહિ થાય, અને મારે કાષ્ટ ભક્ષણ કરવું પડે તેા, તેથી તમારી લાજ જવાની છે, તેમાં મારે કાંઇ નથી. રાજપુત્ર ! વળી આમાં એકલી લેાક રૂઢી જોવાની નથી, પણ શાસ્ત્રની રૂઢી જોવાની છે. શાસ્ત્રમાં લખે છે કે, જે કામ મનથી થાય, તેજ ખરેખરૂં કામ ગણાય છે. વચન તથા કાયાથી કરવામાં આવેલું કામ નિરર્થક ગણાય છે, જેને માટે સંસ્કૃતમાં નીચેનું પઘ ગવાય છે.
(:
मन एव मनुष्याणां
कारणं बंध मोक्षयोः ।
મનુષ્યને બંધ અને મેાક્ષનું કારણ મનજ છે. જેવી રીતે અને આલિંગન કરવામાં આવે, તેવીજ રીતે બહેનને પણ આલિગન કરવામાં આવે છે.
""
વળી તેવાજ અર્થની પ્રાકૃત કવિતા નીચે પ્રમાણે કહેવાય છે—
tr
બંધ મેાક્ષના હેતુ છે, માનવને મન એવ,
આલિંગને સમાન છે, બહેન ને સ્ત્રી સ્વયમેવ. ૧
यथैवालिंग्य भार्या
तथैवालिंग्य स्वसा ॥ १ ॥
Jain Education International
હે રાજપુત્ર ! એથી કરીને સિદ્ધ થાય છે કે, મનવડે કરેલી ક્રિયા બળવાન ગણાય છે, માટે હું પ્રથમથીજ મનવડે તમને વરી હતી. જે પુરૂષ મને છળ કપટ કરી વર્ષા, તે માત્ર કાયાથીજ. તેમાં પણ તમારાજ ભ્રમ હતા. તો મારા તે પુરૂષની સાથેના વિવાહ ક્રમ વ્યર્થ ન ગણાય ?
For Personal & Private Use Only
www.jainelibrary.org