________________
કાષ્ટ ભક્ષણ
૩૪૭
વૃત્તિમાં અતિ આશ્ચર્ય ઉત્પન્ન થયું. રાજકુમારી હંસાવળીને આત્મઘાત ન થવા દે, એવે તેણે હૃદયમાં નિશ્ચય કર્યો. આ બાળાને આત્મઘાત પિતાને ઉદ્દેશીને છે, એવું ધારી તેણે રાજકુમારીને વિચાર ફેરવવાને માટે હદયમાં અનેક જનાઓ રચવા માંડી. પ્રથમ તેણે રાજા વજસિંહને સાંત્વન કરવા નીચે પ્રમાણે કહ્યું –
મહારાજ ! આ વૃત્તાંત સાંભળી મને હૃદયમાં ખેદ, અને આશ્ચર્ય બંને ઉત્પન્ન થાય છે. આ વિષે તમારે કોઈપણ અફસોસ કરે નહીં. આ જગતમાં કર્મની ગતિ વિચિત્ર છે. જીવને અનાદિ કાળથી કર્મની સાથે સંબંધ છે, તે સંબંધ પ્રત્યેક સમયે નવા નવા સ્વરૂપને ધારણ કરે છે. કોઈ ઠેકાણે જીવ બળવાન હોય છે, અને કોઈ ઠેકાણે કર્મ બળવાન હોય છે; જેને માટે નીચેની ગાથા જૈન આગમમાં ગવાય છે–
कत्तवि जीवो बलियो, कत्तवि कम्माइ हुँत्ति बलियाई । जीवस्सय कम्मस्स य, पुव्व निबद्धाइ वइराइं ॥ १ ॥
કોઈવાર જીવ બળવાન હોય છે, અને કોઈવાર કર્મ બળવાન હોય છે. જીવને, અને કર્મને પૂર્વનો સંબંધ છે. ” આ પ્રમાણે કર્મનું સ્વરૂપ જાણીને તમારે હદયમાં ખેદ રાખે નહીં. આ અજ્ઞ રાજકુમારે મોહાંધ થઈને આ કાર્ય કરેલું છે. તે મૂઢ કર્મવળીના ભ્રમથી ભુલાઈ ગયો છે, તેમાં તેને દેશ નથી. પ્રચંડ કર્મરૂપ પવને તેને ઉછાળાને આ દુઃખના ગર્તમાં નાખ્યો છે, તે બિચારો પામર આ વખતે તમારાથી કૃત્રિમ બંધને ભોક્તા થઈ પડે છે, પણ હજુ પર બંધ તેને હવે ભોગવવાનો છે. રાજન ! કર્મના સ્વરૂપને જાણી. અને દયા ધર્મના અંકુરને પ્રગટ કરી આ પામરને છોડી મુકે.
શ્રીચંદ્રનાં આવાં વચનથી વસિંહે તે ચંદ્રસેનને છેડી મુ. પછી વિદ્વાન શ્રીચ કે રાજકુમારી હંસાવળીને પ્રતિબોધ આપવા માંડ્યો–રાજપુત્રી ! તમે સુ છે. કર્મના સુકમ સ્વરૂપને ઓળખી, આવું સાહસ કેમ કરે છે ? આ ચિંતામણિ રત્ન સમાન માનવ જન્મ ફરી ફરીને મળી શકતો નથી. એ દુર્લભ જન્મને નાશ કરે, એ પિતાની મેળે વહોરી લીધેલ મહા પાપ છે. ભદ્ર ! તમે રાજશ્રાવિકા છે, દીર્ધ વિચાર કરો. આત્મહત્યાના મહા પાપને સ્વયમેવ અંગીકાર કરો નહિ. આત્મઘાત કરનારા પ્રાણીઓની ગતિ કેવી નઠારી થાય છે ? તેનું શાસ્ત્રીય વિચારથી મનન કરો. રાજપુત્રી ! ક્ષત્રિય કુમારી એકજ પતિની નારી થાય છે; મનમાં ધારેલે પતિ મેળવતાં કદિ છેતરાય, તો પણ સતી પોતાના વિચાર ફેરવતી નથી. કર્મ યોગે જે ભૉં મળે, તેથી સતિષ માની તે મહાશયા સતીવ્રતને આચરે છે. પૂર્વ કર્મના વેગથી જે પતિ પ્રાપ્ત થાય, તેને ઇષ્ટદેવની સમાન ગણનારી સુંદરીઓની જગતમાં સારી કીર્તિ કહેવાય છે. જેને માટે દેશી ભાષામાં નીચેની કવિતા ગવાય છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org