________________
કાષ્ટ ભક્ષણ
૩૪૫ બંદીના મુખથી ઉપરની કવિતા સાંભળી વજેસિંહ રાજાએ શ્રીચંદ્રને ઓળખી લીધો. તત્કાળ રાજા પુત્રીને સાથે લઈ તેની સામો આવ્ય, રાજકુમારને લઈ તે પિતાને સ્થાને આવ્યો, અને તેને એગ્ય સ્થાને બેસાય. રાજકુમારે યોગ્ય સ્થાને બેસી રાજા વજસિંહને કહ્યું. રાજેન્દ્ર ! આ શું છે ? રાજપુત્રીને આવી દુઃસ્થિતિમાં કેમ આવવું પડયું છે ? આ યુવાન પુરૂષને વૃક્ષની સાથે કેમ બાંધે છે ? વજસિંહ વિનયપૂર્વક બેલ્યો, રાજપુત્ર ! આ વૃત્તાંત જાણવા જેવું છે, એક ચિત્તે સાંભળો. નવલખ દેશને કનકસેન નામે રાજા છે, તેને કનકાવલી નામે પુત્રી છે, તે આ મારી પુત્રી હંસાવળીની સખી છે, તે કનકાવલી પૂર્વ તમને વરેલી છે. પોતાની સખીના સહવાસની ઈચ્છાથી તેમજ તમારા સગુણ સાંભળવાથી હંસાવાળીએ સર્વની સમક્ષ એવો નિશ્ચય કર્યો કે, જે પતિને કનકાવલી વરેલ છે, તે જ મારા પતિ થાઓ. મન, વચન અને કાયાથી હું તેમને જ વરી ચુકી છું. રાજકુમારીને આવો દ્રઢ નિશ્ચય જાણી, તમારી શોધ કરવાને મારા વિશ્રત નામના એક મંત્રિને મેં મોકલ્યો હતો. મંત્રિ વિશ્રુતને માર્ગમાં લક્ષ્મણ મંત્રિ મળે, તેણે જણાવ્યું કે, શ્રી ચંદ્રકુમાર વિદેશમાં છે. આ ખબર વિશ્રુતે આવી મને કહ્યા, અને તે રાજકુમારીના જાણવામાં પણ આવ્યા. તેથી તે ઘણી દુઃખિણી થઈ ગઈ; હમેશાં તમારા નામનું જ સ્મરણ કરતી, અને મન, વચન, કાયાથી તમારું જ રટણ કરતી એ બાળા ત્યારથી દિવસ નિર્ગમન કરવા લાગી.
આ અરસામાં કુંડલપુર રાજાનો કુમાર ચંદ્રસેન, રાજકુમારી હંસાવળીને પૂર્ણ રાગી થયેલ, તે પ્રતિદિન હું સાવળી મેળવવાનો પ્રયત્ન કરતો હતે. ચંદ્રસેન કપટ વિદ્યાનો કુંભ હતો, કઈ પણ છળ કપટ કરી, તે હંસાવળીને મેળવવાને લાગ જેતે હતા. એ કુમતિ કુમાર તમારા ખબર જાણ, એક સેવક લઈને રાત્રે કાનપુરમાં આવ્યો. તેણે તમારા જેવા વેષ પહેકી શ્રીચંદ નામ ધારણ કર્યું. ઘણા દિવસ સુધી તે છાની રીતે ક. નપુરમાં રહ્યા; તમારી જેમ તે લોકોમાં દાનગુણ પ્રગટ કરી ઘણી પ્રશંસા પામે. તેના કપટને કોઇ પણ જાણું શક્યું નહીં, હું પોતે પણ પતંગની જેમ તેના કપટામાં હોમાઈ ગયો. ચંદ્રસેનને શ્રીચંદ્ર ધારી રાજકુમારી હંસાવળી પણ લેભાણી, અને ગુપ્ત રીતે તેને વરવાનો પ્રયત્ન કરવા લાગી. રાજકુમારીની પવિત્ર પ્રીતિ જાણી મેં તેને ચંદ્રસેનની સાથે વિવાહ કર્યો. આખરે ચંદ્રસેને તમારા નામથી મોટી ફતેહ મેળવી.
આ અરસામાં કોઈ વણિક ગૃહસ્થ કનકપુરમાં આવી ચડે, તેણે આવી ચંદ્રશેનની વાત ઉધાડી પાડી. તે વાતની ખાત્રી થતાં મને ઘણો ક્રોધ ચડ્યો, તત્કાળ તેને શિક્ષા કરવાને પકડે, અને આ વૃક્ષની સાથે બાંધી મારવા લીધો. મારના ભયથી તેણે કબુલ કર્યું કે, “ હું કુંડલપુરપતિને પુત્ર ચંદ્રસેન છું, મેં કુબુદ્ધિથી આ છળ કપટનું કામ કર્યું છે, મને ક્ષમા કરે, પુનઃ આવું વિપરીત કાર્ય કદ પણ કરીશ નહીં. ” આ ખબર રાજકુમારી હંસાવળીને પડી, એટલે તેણીના હૃદયમાં ઘણો જ ખેદ થયો. પિતાના જીવનની નઠારી સ્થિતિ થયેલી જોઈ, તેનું હૃદય શેકાનળથી અતિશે દગ્ધ થવા લાગ્યું. આ સમયે અમારે મોકલેલે અંગદ ભાટ આબે, તેણે મારીને તમારા ગુણ સંભળાવ્યા, તે સાંભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org