________________
૩૪.
આનંદ મંદિર,
જીવન ધારણ કરી આ માનવ ભવને કૃતાર્થ કરવાની ઉત્તમ ધારણા આ મુસાફરના હદયમાં હમેશાં રહ્યા કરે છે, તેથી મારા વચન ઉપર વિશ્વાસ રાખજે.
શ્રીચંદ્રનાં આવાં અસરકારક વચન સાંભળી વિદ્યાધરીએ તેને જવાની આજ્ઞા આપી. તરતજ મદનાને લઈ તે રાજપુત્ર ત્યાંથી ચાલી નીકળ્યું. તેની બીજી પ્રિયાઓ આતુર હૃદયે તેના સામું જોઈ રહી, અને નયનમાંથી અશ્રુધારા વર્ષાવતી મદનાને કૃતાર્થ માનવા લાગી. શ્રીચંદ્ર કનકપુરને ઉદ્દેશીને આગળ ચાલ્યો.
વાંચનાર ! હવે તમારા હૃદયમાં સંતેષ થયો હશે. આપણી વાર્તાને નાયક ત્યાંથી જુદો પડી આ સ્થળે આવી ચડ્યો છે, તે સુવેગ રથમાં પ્રિયાની સાથે બેઠે છે, આ સ્થળ રૂદ્રપુરીનું ઉદ્યાન છે, તે કનકપુરના માર્ગમાં આવે છે. ત્યાં એક તરૂણ સ્ત્રી અગ્નિની ચિતા ખડકી કાષ્ટ ભક્ષણ કરવાને તૈયાર થઈ છે, અને પડખેના વૃક્ષની સાથે એક તરૂણ પુરૂષને બાંધેલ છે.
આ દેખાવ જોઈ દયાળુ શ્રીચંદ્ર એક વનપાળને પુછયું–ભદ્ર ! આ શું છે ? અહીં આ લેકે શું કરવા એકઠા થયેલા છે ? વનપાળ નમ્રતાથી બે —મહાશય ! આ રૂદ્રપલી નગરીનું ઉદ્યાન છે. આ નગરીના રાજાનું નામ વજસિંહ છે, તેને ક્ષેમવતી નામે રાણી છે, તેને હંસાવાળી નામે એક સુંદર રાજકુમારી છે, આટલી વાત વનપાળે કહી, ત્યાં વજસિંહ રાજાને મંત્રી હરિબંધુ શ્રીચંદ્રની પાસે આવ્યો. રાજા વસિંહે શ્રીચંદ્રનો અદ્દભુત રથ જોઈ, તેને તેડવાને તેને મોકલ્યો હતો. તેના કહેવાથી શ્રીચંદ્ર ત્યાં ગયે, તે વખતે એક બંદી નીચેની કવિતા બોલ્યો -
શ્રીગિરિ પર્વત ફૂટ પંચ છે અતિહિ ઉતગા, ગિરિસુરિ વિજયા નામ પ્રથમ છે શિખર સુગંગા, સદા ફળ સહકાર સાર છે તેની પાસે, અગ્નિ કેણે અગ્નિ કુંડ કનકની ખાણ વિભાસે, મધ્ય ફૂટે જિનગેહ ફૂટ દુર કેલીનું કામ છે, મિલરાય રક્ષક કે તે શ્રીચંદ્ર મનમાં એ. વળી શ્રીપર્વત શૃંગ ચંદ્રપુર પણ વાર્યું, વિજયદેવી આણંદ જેહ સુહઠાણ વિલાપ્યું, પુર મથે એક ચિત્ય પ્રથમ જિનનું મણિ કે,
બારું અતિચારું જયતાં જાણે મેરૂ, ધર્મ કર્મ કરતાં ઘણું જન્મારે સફલ કરે, તે શ્રીચંદ્ર નરિંદજી કીર્તિ જગમાં વિસ્તરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org