SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ કિષ્ટ ભક્ષણ, ૩૪૩ અહીં હરી લાવ્યો છે, ત્યારથી જ આ મદના અહીં રહે છે. એ શીળવતી અને ગુણવતી છે. પ્રતિદિન અનુરાગિણું થઇ, એ બાળા પતિનું સ્મરણ કરે છે. તેણીએ નિશ્ચય કર્યો છે કે, જે પતિ ધાર્યો છે, તેને જ પતિ કરે. રાજપુત્ર ! એક વખતે રત્નચૂલે કોઈ નિમિત્તિઓને પુછયું કે, મારું રાજ્ય મને ક્યારે મળશે ? અને આ આઠ કન્યાઓને પતિ કોણ થશે ? નિમિત્તિઓએ તેને જણાવ્યું કે, આઠ કન્યાઓને એકજ પતિ થશે. તે મહા સત્યવાન અને પરાક્રમી પુરૂષ તારા રાજ્યને પાછું લાવશે. તમે અપ્રતિચકા વિદ્યા સાધવા જાઓ, એ વિદ્યાના પ્રભાવથી તમારી કાર્ય સિદ્ધિ સત્વર થશે. નિમિત્તિઓનાં આવાં વચન સાંભળી તે રત્નસૂલ અને મણિચૂલ બંને ભાઈ વિદ્યા સાધના કરવાને ગયા છે, તે વિદ્યા સાધતાં છ માસ થાય છે. તેઓ દેવગિરિ પર આવેલા નંદન વનમાં રહી વિદ્યા સાધન કરે છે. તેમને વિદ્યા સાધતાં ચાર માસ તો વીતી ગયા છે, હવે બે માસ બાકી રહ્યા છે. તમે આ કન્યાને વરી બે માસ સુધી અહીં રહે. તે અવધિ પૂરો થતાં તે બંને ભાઈ અહીં આવી પહોંચશે. શ્રીચંદ્ર બો –માતા ! મારાથી રહી શકાય તેમ નથી. મારે હજી ઘણું કાર્યો સાધવાનાં છે. અહીંથી કનકપુર જવાની મારી ઇચ્છા છે, ત્યાં અનેક કામ કરવાનાં છે. માતા ! મને સત્વર આજ્ઞા આપે. જ્યારે તમારા પુત્ર વિદ્યા સાધીને આવે, ત્યારે તેમને આ વૃત્તાંત જણાવજે, અને મને ખબર કરજે, એટલે હું આવીશ. હવે હું જાઉં છું. સત્કર્મના યોગથી તમારાં દર્શન થયાં, તે દૂધ અને સાકર મળ્યા જેવું થયું છે. તેનાં આવાં વચન સાંભળી માતા બેલી-મહાવીર ! જ્યારે તમે તમારા કાર્યની ઉત્સુકતા વિશેષ જણાવો છો, ત્યારે હું તમને વિશેષ આગ્રહ કરતી નથી, તથાપિ એટલી વિનંતિ કરવાની છે કે, આ મદનાને સાથે લઈ જાઓ. હવે મદના તમારો વિયેગ સહન કરી શકે તેમ નથી. આ પતિ પ્રેમા મદનાને સાથે લઈ ખુશી કરે. શ્રીચંદ્ર તેમ કરવાને કબુલ કર્યું, એટલે મોહિત થયેલી રત્નચૂલા શ્રીચદ્રના વસ્ત્રનો છેડે પકડી ઉભી રહી, અને મધુર સ્વરે નીચેની કવિતા બેલી – અમને રહેવું નહિ ઘટે, આવીશું તુમ સાથ પતિવ્રતાને પતિ સમી, અવર ન બેલી આથ. ૧ શ્રીચંદ્ર શાંત સ્વરે બોલ્યો–તમે બધાં અધિરાં થાઓ નહીં. હું અવધિ પ્રમાણે આવીને અહીં ઉભો રહીશ. હજુ મારે અહીં ઘણું કામ કરવાનું છે. મણિચૂલ વિદ્યાધરને તેના પિતાનું રાજ્ય પાછું અપાવવું છે, અને તેના ગયેલા રાજતેજને પાછું પ્રકાશમાન કરવું છે. તમે બધાં અલ્પ સમયમાંજ મને પાછાં મળશે, અને આજની જેમ હું પાછો તમારા પ્રેમ ભરેલા આવકારને ગ્રહણ કરીશ. આ શ્રીચંદ્રનાં વચનપર શ્રદ્ધા રાખજે. આહત ધર્મનો ઉપાસક રાજપુત્ર કદિ પણ મૃષાવાદ બોલે નહીં. અધર્મ અને અસત્યના માર્ગથી દૂર રહેનાર મનુષ્યના જીવનને હું વધારે ઉપયોગી ગણું છું, અને તેવું ઉપયોગી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy