SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ આનંદ મંદિર. કઈ વાર સરસ્વતી તિર્યચ ભાવને પામી પિતાનાં કર્મને હૃદયમાં નિંદતી, પણ શ્રીચંદ્રના પુનઃ સમાગમની આશા રાખી, દિવસ નિર્ગમન કરતી હતી. કુંડલપુરની સર્વ પ્રજા રાજકુમારીનું વાનરીરૂપ જોઈ, કર્મના પ્રભાવ ઉપર વિશ્વાસ રાખી, આત્મસાધન કરવાને વિશેષ પ્રવૃત્ત થતી હતી. આ વાર્તાનો નાયક શ્રીચંદ્ર ત્યાંથી પ્રસાર થઈ ક્યાં ગયે ? અને તેનાં પુણ્યને પ્રભાવ કયાં પ્રગટ થયો ? તે આપણે હવે જોઈએ. પ્રકરણ ૬૨ મું. કાષ્ટ ભક્ષણ, E! Ps યંકાળના સમયની તૈયારી હતી, ગગનમણિને રથ અસ્તાચળના શિખર તરફ વળ્યા હતા, એવિહારના પ્રત્યાખ્યાન કરનાર ધાર્મિક જેને આહાર પાણી કરવાની તૈયારી કરતા હતા, જેન ઉપાશ્રયમાં આહાર પાણીના = યોગને માટે યોજના થતી હતી, તપધારી પુષે સાયંકાળના પ્રતિક્રમણની રાહ જોતા હતા, પ્રવૃત્તિ માર્ગમાં પડેલી સર્વ પ્રજા શાંતિ સુખને સ્વાદ લેવાની તૈયારી કરતી હતી, સૂર્યનાં કિરણએ પાથરેલી પ્રકાશિત જાજમ સંકેલાતી હતી, અને નિશારૂપ મલિન દાસી અંધકારની શ્યામ રંગની જાજમ પાથરવાની તૈયારી કરતી હતી. આ સમયે એક તરૂણ બાળા કાષ્ટ ભક્ષણ કરવાની તૈયારી કરતી હતી, કેટલાએક તેનાં સંબંધીઓ તેને તેવા કામમાંથી અટકાવવાનો પ્રયત્ન કરતાં હતાં, કોઈનાં નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી, કોઈ ઉંચે સ્વરે રૂદન કરી, એ ચતુર તરૂણીને પ્રાર્થના કરતું હતું. એક તરફ એક વૃક્ષની સાથે કઈ તરૂણ પુરૂષને બાંધવામાં આવ્યો, લેકે અનેક જાતના તિરસ્કારના શબ્દોથી તેને તરછોડતા હતા, કેઈ કર દ્રષ્ટિથી તેની સામે જોતા હતા, કોઈ તેને મહા શિક્ષા કરવાની સૂચના કરતા હતા, કોઈ હૃદયમાં દયા લાવી, તેને મારી આપવાની ભલામણ કરતા હતા, કોઈ પ્રચંડ શબ્દો ઉચ્ચારી તેને ગાળો આપતા હતા, અને કઈ તેની ધૂર્તતાને પ્રગટ કરવા તેનાં છળ કપટને વૃત્તાંત જણાવતા હતા. આ વખતે આ વાર્તાને નાયક શ્રીચંદ્ર પોતાના સુવેગ રથમાં બેસી તે માર્ગ પસાર થશે. તેની સાથે કુંજર સારથિ અને મદના નામે પોતાની સ્ત્રી રથમાં બેઠાં હતાં. આ સ્થળે ઉપરને દેખાવ જોઈ તેઓ પૂર્ણ આશ્ચર્ય પામી ગયાં. તેમની મનોવૃત્તિમાં અનેક જાતનાં કૌતુક થવા લાગ્યાં, તે વિષેની પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy